SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) બીજી રીતે તે તારૂં અરૂપીપણું જગમાં કહેવરાવે છે. ૧. * કર્તા છે ને અકર્તા પણ છે. હરતા છે ને ભરતા પણ છે. તું એવું છું કે તને નામ લઈને કેવો છું? એમ કોણ બતાવી શકે? કઈ બતાવી શકે તેમ નથી. તું એકમાં એક છે અને અનેકમાં અનેક છે; વળી એક પણ નથી અને અનેક પણ નથી. તારી વાત કહી જાય તેમ નથી. ૨-૩. - તું ઉપજે છે ને વળી નથી ઉપજતે, એ વાત પણ ખરી છે. તેમજ મરે છે ને મરતે નથી, એ પણ ખરૂં છે. ખટરસ જન ખાય છે અને વળી જરા પણ ખાતે નથી, એ વાત ખરી છે. ૪. તું પરપરિણતિના-જુદુંગળના સંગથી અનેક પ્રકારના જુદા જુદા રંગ કરે છે. ચિદાનંદજી કહે છે કે હે પ્યારા આત્મા!' તું તે નટની બાજી જેવી બાજી બતાવી રહ્યો છે. ૫. સાર–આ પદમાં આત્માના વ્યવહાર ને નિશ્ચય સ્વરૂપની જુદી જુદી વાત કહી બતાવી છે. વ્યવહારથી આ જીવ રૂપી છે. તે રાજા થાય છે, રંક થાય છે; પણ નિશ્ચયથી છવ અરૂપી છે. વળી વ્યવહારથી કર્તા છે, હર્તા છે, ભરતા છે ને.નિશ્ચયથી અકર્તા છે. વ્યવહારથી એક છે, અનેક છે, અને નિશ્ચયથી એક પણ નથી ને અનેક પણ નથી. વ્યવહારથી ઉપજે છે, જન્મે છે, મરે છે, નિશ્ચયથી જન્મતે નથી ને મરતે પણ નથી-આત્મા અમર છે. વ્યવહારથી ખાય છે, પીએ છે; નિશ્ચયથી આત્મા ખાતે કે પોતે નથી—અણુહારી છે. આ પ્રમાણે પરપરિણતિના પ્રસંગથી જુદા જુદા રૂપરંગ
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy