SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૨ જે ૪૧૦ કઈ ઉપાયથી ઠીક થાય તે સારૂં. આના ઉપાય માટે રાજાએ નગરમાં ઉલ્લેષણું જાહેર કરાવી કે- “ આ રાજકુમારીને જે કોઈ નિર્મળ નેત્રવાળી બનાવશે તેને રાજા અર્ધ રાજય આપશે. અને કન્યા પરણાવશે” આ માટે દેશાન્તરથી અનેક ચિકિત્સકો આવ્યા છે પણ સઘળાય નિરાશ થયા છે. આથી આવતી કાલે પ્રાતઃ કાળે આ ચિંતાતુર રાજારાણી અને પુત્રી ત્રણેય ચિતામાં પ્રવેશ કરીને બળી મરશે. આ બધું આપણને જોવાનું મળશે.” તે પછી એક નાનું પક્ષી બોલ્યું કે- “એના ને નિપ કરવાને ઉપાય નહિ જ હોય ?’, એક અનુભવી રંથવિર પક્ષીએ જવાબ આપ્યો કે “અરે ! ઔષધિઓને અચિંત્ય મહિમા હોય છે. આ જ વૃક્ષના મૂળમાં એક વેલડી છે. તે અને આપણી વિષ્ટા એ બન્નેને એકમેક કરીને જે નેત્રોમાં અંજન કરવામાં આવે, તે આંધળાને દિવ્ય નેત્રોની પ્રાપ્તિ થાય - લલિતાંગકુમારે આ વાર્તાલાપ સાંભળ્યો. અને તે ચક્તિ થયા. આથી તેણે તરત જ પિતાની પાસેની છુરીથી વેલડીને કાપી અને તેના રસમાં ભારેડ પક્ષીઓની વિષ્ટા મેળવી. બાદ તેણે પોતાના નેત્રોમાં તે આંજી અને તેને અંધાપ દૂર થયે. ધર્મશ્રદ્ધાથી ધર્માત્માએ આપત્તિઓના સાગરને તરી જાય છે, એ હકીકત સાચે જ યથાર્થ છે. લલિતાંગકુમાર આ રીતે દિવ્ય નેત્રોને પામ્યા. સત્યની ખાતર વિપત્તિનાં કે સંકટના વાદળોને પોતાની
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy