SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સòાધ યાને ધનુ સ્વરૂપ તેમાં ભલે આનંદ દેખાય પણ તે આન ંદ મૂઢતાના ઘરનો છે. આથી જીવને ખરેખર શાશ્વત સુખની પ્રાપ્તિના ભાવ જાગે અને તેના હેતુ રૂપ ધની ભૂખ જાગે તે તે સાચા સુખના સાથે માર્ગ હાથમાં આવ્યે ગણાય. જીવને સુખના કારણમાં ધન છે તે દુર્બુદ્ધિ છે. અને સુખના કારણમાં ધ છે. તે સદ્ધિ છે. આવી બુદ્ધિ જેને મલે તેનુ જીવન ધન્ય બની જાય છે. આ માનવ જન્મમાં કમસે કમ આટલી બુદ્ધિ પ્રાપ્ત થાય અને તેની ઝ ંખના મોક્ષ સુખના (સાચા સુખના) અવશ્ય બીજ સ્વરૂપ છે. આજે માનવા વિષયની ભૂખ પાષવા ધનને પરિપૂર્ણ સાધન માનતા થઈ ગયા છે. અને એ ચેપ જૈનામાં ણ લાગી ગયા છે. જેથી શ્રદ્ધાના અંકુરા ધીમે ધીમે કરમાઇ ને અસ તાષ અને લાલસાના કાંટા પ્રગટ થતા જાય છે. અરે ! ભાગ્યશાળીઓ, દેવને દુર્લભ એવા મળેલું માનવભવ, સાથે મળેલું જિનેશ્વરદેવનું શાસન મેળવીને જેણે જિનેશ્વર દેવની આજ્ઞા માની નહિ, પાપ કરવામાં પાછું વાળીને જોયું નહિ, તેને મનુષ્ય અવતાર ફોકટ જાય છે. એટલુ' જ નહી ફરીથી તેને માનવભવ મળવા અતિ મુશ્કેલ છે. હે જીવ! તું પ્રમાદમાં મનુષ્યપણું હારી જઈશ. તે ફરી તે મળવુ અતિ મુશ્કેલ છે. માટે પ્રમાદ છેડ અને વીતરાગ ધર્મ સ્વીકાર.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy