SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ સદઐાધ યાને ધર્મોનું સ્વરૂપ ૪૦૪ ગઇ કારણ કે તે સર્વેના જીવનાધાર રાજવી હતા. બાવનાચંદનના કચાળા ભરી ભરીને રાજવીના શરીર પર ચોપડવા લાગી પણ બળતરા ઘટવાને બદલે ઉલટી વધવા જ માંડી.. જ્યારે માણસ માંદો હોય ત્યારે જરા પણ અવાજ તેને અપ્રિય લાગે છે. પાંચસા સ્ત્રીએ સુખડ ઘસતી હોવાથી અને દરેકના હસ્તમાં કંકણ-મલાયા હેાવાથી તેને ખૂબજ અવાજ થવા લાગ્યા. દાહની બળતરામાં આ અવાજે વધારા કર્યાં. રાજાથી ન રહેવાયુ”—તેણે આદેશ કર્યા આ શેના ઘોંઘાટ છે ? બંધ કરેા, મારૂં માથુ ફરી જાય છે. ’ સ્ત્રી ચતુર હતી. તેણે વધારાના ચૂડા ઉતારી નાખી ફક્ત સૌભાગ્યનું ચિહ્ન એક એક વલય રાખ્યુ. અને ચંદન ઘસવા લાગી. અવાજ ખંધ થઈ જતાં રાજાએ પૂછ્યું. અવાજ કેમ બંધ થઈ ગયા ? વૈદરાજે ખુલાસો કર્યો “ આપની પાંચસો સ્ત્રીઓ ચંદન ઘસતી હતી, તેનો એ અવાજ હતા.” “શું સ્ત્રીઓ ચંદન ઘસતી બંધ થઇ ગઈ?” રાજાએ ફરી પૂછ્યું. વૈદરાજે કહ્યું–“ના, ચંદન તે! ઘસે છે પણ સ` ચુડા કાઢી નાખી ફક્ત એક સૌભાગ્ય કક જ રાખ્યું જેથી અવાજ આવતા નથી.” આ ખુલાસાથી નિમ રાજવીના મનમાં વિચારોનુ ઘણુ જાગ્યું, ખરી શાંતિ એકમાં જ છે. તેની પ્રતીતિ થઈ.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy