________________
અંડ : ૨ જે
૩૩૯ ઓળખે નથી હું અંગ અને મગધ દેશને મહારાજા શ્રેણીક છું. મારા તાબામાં હજારો કર્યો અને લાખે ગામડાઓ છે. વળી હું હજાર હાથી, ઘોડા અને અસંખ્ય રથ, સુભટોને સ્વામી છું. તથા રૂપાળી રમણીથી ભરેલું સુંદર અંતઃપુર ધરાવું છું. મારે પાંચ મંત્રીઓ છે. જેને વડે મારે પિતાને પુત્ર અભયકુમાર છે. મારે હજારો મિત્ર છે. જે મારી હરવખતે, હરપળે ખૂબ કાળજી રાખે છે. મારું અિધર્ય અજોડ છે અને મારી આજ્ઞા અફર છે. આવી દ્ધિ-સિદ્ધિ અને આ અધિકાર હેવા છતાં હું અનાથ કેવી રીતે ગણાઉં ? “ભગવન્! આપનું કહેવું કદાચ અસત્ય તે નહી હોય !” | મુનિવરે કહ્યું: “હે રાજન ! હું જાણું છું કે તું અંગ અને મગધને અધિપતિ મહારાજા શ્રેણીક છે. હું જાણું છું કે તારી પાસે તારા કહેવા મુજબ બધું છે. છતાં કહું છું કે નાથ થવું તારા અધિકારમાં નથી, તેથી તું મારે નાથ થઈ શક્તા નથી. પોતે જ અનાથ છે. નિગ્રંથ મુનિએ કદિ મૃષાવાદનું શ્રવણ કરતા નથી.”
મગધરાજ સમજી ગયા કે આ વચને મુનિરાજે અણસમજ કે ઉતાવળથી વાપર્યા નથી. તેમણે કહ્યું: “હે મહાપુરુષ ! આપના વચને કદિ અસત્ય હેય નહીં. પણ અહુ વિચાર કરવા છતાં ય મને એમ નથી લાગતું કે હું પિતે અનાથ છું. અને આપને નાથે થઈ શકું એમ
નથી.”