________________
૩૩૦
સબધ યાને ધર્મનું સ્વરૂપ સમકિતિ બની ગયે. (આ પણ એક નિમિત્ત કહેવાય. ) નિમિત્ત મળતાં ઘણાં સાચા ધર્મને પામી ગયાના દૃષ્ટાંત શાસ્ત્રમાં આવે છે.
-શ્રાવિકા મહાસતી સુલસાના દયમાં કેરાયેલ ભાવનાનું દર્શન -
મહાસતી સુલસાના ચારિત્ર તરફ દૃષ્ટિ કરે. એનું સભ્યત્વ કેવું ? સ્વયમ ભગવાન શ્રી મહાવીર દેવ પીર વ્રાજક સંબડ દ્વારા ધર્મલાભ કહેવરાવ્યા. આ વાત પ્રસિદ્ધ છે. એના પતિને એક જ ચિંતા હતી અને તે સંતાનના અભાવની, જ્યારે સુલસાને તે રૂંવાડે ય એ માટે કશું યન હતું. કેમકે એ પરમ શ્રાવિકા હતી. વસ્તુતત્વની સાચી જ્ઞાતા હતી. છતાં પણ તેણીએ ચિંતાનું કારણ પતિદેવને પૂછ્યું ત્યારે કીધું કે પુત્ર નથી તેની ચિંતા છે. કેટલાક વખત સમજાવ્યા બાદ જોયું કે પતિ આ ચિંતાથી મુક્ત થાય તેમ નથી. ત્યારે કોઈ પણ અંગમાં કઈ પણ સ્ત્રી ન કહે. છતાં બીજી સ્ત્રી પરણવાનું પતિને કહ્યું. ખુલે દિલે એ પરમ પતિવ્રતા દેવીએ જણાવ્યું, સ્વામિન! આ ઈજી સ્ત્રી કરી શકે છે. અને તેથી લેશ પણ અડચણ નથી. (તે સમયે બક્ષત્ની કરવાને રિવાજ હતા.) સુલસાએ અનુજ્ઞા આપી એટલે શું તેના પતિએ તુરત જ બીજી પત્ની કરી લીધી? ના, તેણે કહ્યું–દેવી ! જરૂર મને સંતાનને અભાવ સાલે છે. તે પણ તેટલા માટે બીજી સ્ત્રી કરવાની ઈચ્છા તે નથી જ. ભાગ્યને મંજુર હોય તે તને જ કાં સંતાન ન