________________
ખંડ : ૨ જે
૩૧૯ પ્રથમ વરદાન પુરું થાય છે. (દેવનું વચન મિથ્યા થતું નથી)
છે. દિવસ બાદ કેશવ શહેરમાં ફરવા નીકળ્યો છે. ત્યાં એક ચીંથરેહાલ ભીખારી જેવા ઘરડા માણસને જુએ છે. તેનું ન જોતાં જ તે સમજી જાય છે કે આ મારા પિતા છે. એટલે દોડીને પગે પડે છે. અને પૂછે છે કે પિતાજી ! આ શું ? પિતા પણ તેને ઓળખી લે છે. અને કહે છે કે બેટા કેશવ ! તું અહીં ક્યાંથી? કેશવ કહે છે. હું અને રાજા થયેડ છું. પછી બધી વાત કરે છે. તે વખતે પિતા કહે છે કે ભાઈ તે બહુ સારું કર્યું. જે ટેક ન છે. તે આવા સારા દિવસો જેવાને વખત આવ્યો. હું તે તું યે તે દિવસથી દુઃખી દુઃખી થઈ ગયો છું. તે દિવસે તારા ભાઈ હું રાત્રિભોજન કર્યું. તેમાં કંઈ ઝેરી જંતુની લાળ આવી ગઈ. આથી તેને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. ઘણા ઉપચાર પછી પણ તેના પર કાબુ આવે નહી. તેનું શરીર લીલું કાચ થઈ ગયું. અને આખા શરીરમાં વેદના થવા લાગી. ગમે તેટલા ઉપાય કરવા છતાં પણ આ વેદના મટી નડ. આખરે એક અનુભવી વૃદ્ધ વૈદ્ય કહ્યું કે, તમે એક મહિના પહેલાં અમુક ઔષધ લઈ આવે છે? તમારે પુત્ર સાજો થઈ શકશે. પછી કોઈ ઉપાય નથી. એટલે હું ઔષધની શોધમાં નીકળ્યો છું અને ગામે ગામ રખડી રહ્યો છું.
(આ છે કર્મની લીલા)