SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ સદ્નાધ યાને ધર્મનું સ્વરૂપ લેડ્ડી અને પરૂ વહી રહ્યું હતું. દુઃસહ વેદના ભોગવી રહ્યો હતો. જાણે સાક્ષાત્ દુઃખમૃતિ જોઈ લે.. રાણી મૃગાવતીએ વિનયપૂર્ણાંક બે હાથ જોડી શ્રી ગૌતમ સ્વામી ભગવંતને પૂછ્યું, “ ભંતે ” કયા કર્મનાં ઉદયથી અહીં આ જીવ નારકીનાં જેવી વંદના ભાગવી રહ્યો છે ? -: પ્રભવનાં પાપકમાં : ચાર જ્ઞાનનાંધારક શ્રી ગૌતમસ્વામી ભગવાન જ્ઞાનવડે જાણીને એનાં પૂર્વભવનુ વર્ણન કરતાં રાણી મૃગાવતીને જણાવે છે કે મૃગાવતી ! પૂર્વ જન્મમાં આ જીવ શતદ્વાર નામનાં નગરમાં ધનપિત નામનાં રાજાને અખાઈ રોડ નામના એક માલિક હતા. તે રાડોરને જીવ અત્યારે તમારા પુત્રરૂપે છે. આ અખાઈ રોડ, ૫૦૦, ગામના અધિપતિ હતા. સાતે બ્યસન, (દારૂ, માંસ, શિકાર, પરસ્ત્રીગમન, વધ્યાસે વન, અને જુગાર )માં એ મશગુલ હતા. પોતાની પ્રજાને રંજાડવામાં કઈ બાકી નહાતું રાખ્યું, આકરા કરવેરા નાંખી પ્રજાને એ પીડી રહ્યો હતા. લોકેાના નાક, કાન, હાથ, પગ, વગેરે અંગોપાંગ કાપી નાખી તેમને અપાર વેદના આપત. આવા ઘેર પાપકર્મનું પરિણામ તેજ ભવમાં જાણે ઉદયમાં આવ્યુ હોય તેમ તે અક્ખાઈ રાઠોડનાં શરીરમાં સાળ ભચકર વ્યાધિરોગો ઉત્પન્ન થયા., જવર-દાહ, ખાંસી, ઉદર શૂળ, ભગંદર, અર્ખ, અણુ, તેમ ભમ્ર મુળ શેષ, અન્ન, નેત્રપીડા, કર્ણ પીડા, ખૂજલી, જલેાદર, અને કોઢ, અવા પ્રાણઘાતક અનેક રોગોથી એની કાયા ઘેરાઈ ગઈ.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy