SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ સબોધ યાને ધર્મનું સ્વરૂપ આત્મામાં તત્કાળ તીવ્ર એ જે વૈરાગ્ય તે વૈરાગ્યને લઈને પ્રજ્યાને ગ્રહણ કરવાને પરિણામ ઉત્પન્ન થયા. તરત જ ગોભદ્ર આચાર્ય ભગવાનની સમીપે જઈને ગોભદ્ર આચાર્ય ભગવાનને વિનંતિ કરી કે, ભગવંત આપનું અમૃત વચન મને પરિણમ્યું છે. એથી મારામાં વિવેક સમુલસિત થયો છે. અને મારી ગૃહવાસની વાસના તૂટી જવા પામી છે. આ કારણે આપ નિર્ધામક દ્વારા પ્રવજ્યારૂપી યાનપાત્ર ઉપર આરૂઢ થઈને ભવરૂપી સાગરને ઓળંગી જવાની ઈચ્છા છે. ગુરૂમહારાજે પણ એની વિનંતિના જવાબમાં એ જ કહ્યું કે, ભદ્ર! તમારા જેવાઓને માટે આમ કરવું એ જ યોગ્ય છે, ગોભદ્ર એ વાતની પણ ખાત્રી આપે છે કે હું સંસારસાગરને તરી જવાની એકમાત્ર કામનાથી જ આપની પાસે પ્રત્રજ્યાને ગ્રહણ કરવાને ઈચ્છું છું અને પ્રવજ્યાને ગ્રહણ કરીને હું કરી પણ સ્વચ્છેદપણે વર્તીશ નહિ. પરંતુ આપ જે શતિએ ફરમાવશે તે રીતિએ પ્રવજ્યાનું પાલન કરીશ. ગોભદ્રની વિનંતિના શબ્દમાં ગીભદ્રની પ્રત્રજ્યા માટેની લાયકાત ઘણા જ સ્પષ્ટ રૂપમાં જણાઈ આવે છે. પ્રત્રજ્યાને સ્વીકાર કરવાને માટે પ્રત્રજ્યાના અથી એવા આત્મામાં આવા પ્રકારને ભાવ પેદા થે જોઈએ અને પ્રવજ્યાના અર્થ એવા પણ આત્મામાં આવા પ્રકારને ભાવ પેદા થવા પામે નહિ ત્યાં સુધી સુગુરૂએ તેને પ્રવજ્યાદાન કરવાની ઉતાવળ નહિ કરવી. પ્રવજ્યા લેવા માત્રથી જ–તરાઈ જવાતું નથી પરંતુ પ્રવજ્યાનું પાલન કરવાથી તરાય છે, હવે આચાર્ય ભગવાનને નમસ્કાર કરીને ગોભદ્ર પિતાને ઘરે ગયે. પિતાને ઘરે જઈને જાલંધર
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy