SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૧ લે ૧૭૩ ચીજ હાથમાં આવ્યા પછી ભાગી છુટવું હોય તે કે અટકાવી શકે તેમ નથી. સર્વ સમીહિતને સાધી આપનારૂં આ રક્ષાવલય છે. એટલે જ્યાં સુધી મારી પાસે આ રક્ષાવલય છે ત્યાં સુધી તે ખૂદ વિદ્યાસિદ્ધ પણ મારી પૂંઠે પડી ને ય મારૂ કયું શું કરી શકવાનો હતો ? આ વિચાર આવવાને અવકાશ છે ને ? પણ ગભદ્રને આવો કોઈ વિચાર આવતા નથી. એમાં ગંભદ્રનો કોઈ ગુણ કારણ રૂપ છે એમ તમને લાગે છે? આવી તક જે આપણને મળી ગઈ હોય તે આપણું મન કેવું બને? એ દૃષ્ટિએ તમે આ વાત વિચારી જુઓ ! વિદ્યાસિદ્ધ પુરૂષને ગંગાના પાણીમાં ઉતર્યા ને એક મુર્ત જેટલો વખત થઈ ગયો ત્યાં સુધી તે ગભદ્ર નિશ્ચિત્ત પણે ત્યાં ને ત્યાં બેસી રહ્યો પરન્તુ એક મુહૂર્ત જેટલો સમય વીતી જવા છતાં પણ જ્યારે વિદ્યાસિદ્ધ પુરૂષ દેખાય નહિ ત્યારે ભદ્રનું મન શક્તિ બનવા માંડ્યું. આથી સંભ્રાન્તભરી આંખે તે અહીં તહીં એમ બધે ય જેવા લાગે. એટલામાં તે સૂર્યને અસ્ત થવાની તૈયારી થઈ ગઈ. આ જોઈને ગંભદ્રને થયું કે રાત પડી જાય અને અધિકાર પ્રસરી જાય તે પહેલા પહેલા જ મારે. આ નદીમાં વિદ્યાસિદ્ધ પુરૂષની શોધ કરાવી લેવી જોઈએ. આથી તરત જ ગભદ્ર નદીના તરવૈયાઓને વિનંતિ કરતાં કહ્યું કે ભદ્રો ! અત્યન્ત રૂપવાળે એ એક શ્રેષ્ઠ પુરૂષ આ ગંગા તીર્થમાં પડે છે. પછી મગર વગેરે દુષ્ટ સત્વેએ તેને ફાડી ખાધે છે કે પછી વિષમ એવા કાદવમાં તે લપેટાઈ ગયો છે. એ જે બન્યું હોય તે ખરૂં. એ શ્રેષ્ઠ પુરૂષના
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy