________________
ખંડ : ૧ લે
૧૨૧ આત્માની આવી સમજણ પામવાની અને કર્મને ઓળખીને તેનાથી પાછા હટવાની જિજ્ઞાસા જાગે, એ પણ પુણ્યનો ઉદય સમજ.
મનુષ્ય જન્મની સાર્થકતા શું છે? અજન્મા થવાની એટલે જન્મ-મરણના ફેરામાંથી છૂટી જવામાં જ સાર્થકતા છે. જન્મ થયા પછી મરણ તે જરૂર થશે જ પરંતુ મરણ બાદ જન્મને અટકાવી દે એ તે આપણા હાથની વાત છે. અને મરણ કયારે બાજ પક્ષીની જેમ તૂટી પડશે, તે જ્ઞાની સિવાય કોઈ કહી શકતું નથી. '
ક્ષણભંગુર છે દેહ, વૈભવે નથી સર્વદા માથે મેત ખડું નિત્યે, તે જાણું ધર્મ આચરે”
શરીર કાયમ સાથે રહી શકતું નથી કારણ કે તે પર છે.
રંટ આવશે વનવગડે, અણચિંતવ્યું યમરાજનું છે કાયદો કર્મ રાજાને, નથી રાજ પોપાબાઈનું.
મદેન્મત્ત એ રાવણ પણ (મરણને) ભવિતવ્યતાને મિથ્યા ન કરી શકે, એક વખત રાવણના દરબારમાં એક નિમિત્તિક આવ્યું. વાતચીતમાં તેણે કહ્યું. દરેક પ્રાણીનું મરણ નિશ્ચિત છે. જે જન્મે છે તે અવશ્ય મૃત્યુને પામે છે. રાવણે તેને પ્રતિવાદ કરતાં કહ્યું કે બધા પ્રાણીઓમાં હું અપવાદ છું. યમ મારે સેવક છે. આથી મારું મૃત્યુ થવાનું નથી. ત્યારે નૈમિત્તિકે આગાહી કરી કે લંકેશપતિ !