SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સધ યાને ધર્મનું સ્વરૂપ હિતચિંતક, અને પ્રજા પણ રાજ્યસ્થિતિનિષ્ઠ ! જ્યાં રાજા ન્યાયી. અને ધમ હોય, ત્યાંની પ્રજા સુખીને સંતોષી હોય કે નહિ? આ નગરીમાં શ્રીમંતેમાં માન્ય-પ્રતિષ્ઠિત સંવર નામના શેડ રહેતા હતા. જો કે તેમની પાસે કેઈ અંતરાયના ઉદયે લક્ષ્મી અઢળક નહતી. પણ તે ધર્મપરાયણ, અને સત્યમૂર્તિ જેવા હેવાથી તેમની છાપ સૌના ઉપર પડતી, સૌ તેમનું માન રાખતા, અને તેમની વાતને માનતા, તેમને ગુણવંતી નામની ધર્મપત્ની હતી. વ્યવહારિક સમાજની દષ્ટિએ ઉભય દંપતિના જીવન આદર્શ અને ઉચ્ચ કક્ષાનાં વખણાતાં નગરજનેની સાથે પણ બન્ને આત્મીયતાથી જ રહેતા, સાંસારિક સુખે. અંત તે આવતે જ નથી, ગમે તેટલા ભવમાં ગમે તેટલા સુખ ભોગવાય, પણ જીવાજી તે અસંતોષી જ રહ્યા ! કારણકે વૈરાગ્યથી કે અન્ય કોઈ વિશિષ્ટ જ્ઞાનથી તે વિષે પમ. વિષય ઉપર, જ્યાં સુધી સૂગ આવતી નથી, ત્યાંસુધી. અનાદિના બ્રાન્તિવાલા સંસ્કારો તે તે તરફ જ તાણી જાય. છે, સંસારીઓની દષ્ટિએ શુભ ગણાતું ગુણવંતી સ્ત્રીને ગર્ભાધાન થયું. ગર્ભમાં આવનાર જીવ જે. પૂર્વભવની સારી. પુણ્યકમાણી લઈને આવ્યો હોય, તે તેના પ્રભાવથી ચિંતામણ રત્નની જેમ ઘરમાં અને ઘરના સ્વજનમાં સુખઆનંદની લહેર વતી જાય છે, પુણ્યવંતા છે જ્યાં જાય, અરે ! ગર્ભમાં હોય તે ય તેઓની પુણ્ય-પ્રભા છૂપી રહેતી. નથી. શેઠના વ્યાપારમાં ય અચિન્ય ઘણા જ ધનને લાભ. થતે ગયે, શેઠના ભંડાર ધનથી ઉભરાવા માંડયા, સાચે જ પુણ્યખેતી જેઓની હરીભરી હોય છે. તેઓને દુઃખ
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy