SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ અને તેથી તેઓશ્રીના સર્વથા દોષો દૂર થયા છેએમ માનવાનું વિરુદ્ધ થશે. સર્વથા દોષવિગતત્વનો વિરોધ આવે નહીં : એ માટે કેવલપરમાત્મામાં કવલાહારની પ્રવૃત્તિ મનાતી નથી. શ્રી કેવલીભગવંતો કવલાહાર કરતા નથી. કારણ કે તેઓશ્રી કૃતકૃત્ય છે. તેઓશ્રી સામાન્ય લોકોની જેમ કલાહાર કરે તો તેઓશ્રીમાં સામાન્ય જનોની જેમ જ કૃતકૃત્યત્વ માની શકાશે નહિ. કારણ કે કવલાહારની પ્રવૃત્તિ જ્યાં હોય ત્યાં કૃતકૃત્યત્વ રહેતું નથી. કેવલીભગવંતમાં કવલાહાર(કવલભોજિત્વ) માનવામાં આવે તો કૃતકૃત્યત્વની હાનિ થવાનો પ્રસડ આવશે. જેઓ કૃતકૃત્ય નથી, તેઓ કવલાહાર કરે છે; જેમ કે આપણે બધા. પરંતુ જેઓ કૃતકૃત્ય છે, તેઓ ક્વલાહાર કરતા નથી; જેમ કે શ્રી સિદ્ધ-પરમાત્માઓ. આવી રીતે જ શ્રી કેવલી પરમાત્માઓમાં આહારસંજ્ઞા ન હોવાથી તેઓશ્રી કવલાહાર કરતા નથી. કારણ કે આહારનું કારણ આહાર સંજ્ઞા છે. કારણ(આહારસંશા)નો અભાવ હોવાથી કાર્યનો(ક્વલાહારનો) પણ અભાવ શ્રી કેવલપરમાત્માને હોય છે. તેમ જ તેઓશ્રીને અનંતસુખ હોવાથી તેને લઈને તેઓશ્રીને કવલાહારનો અભાવ હોય છે. કારણ કે સુધાની વેદનાનો ઉદય થવાથી જ આહાર (ભોજન) કરવાનો પ્રસવું આવે છે. શ્રી કેવલજ્ઞાની જો 当当当当当当当当当 FFFFFFF #FF
SR No.005727
Book TitleKevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy