SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઈષ્ટ હોય તો તાદશકૃતકૃત્યત્વ તો કેવલીપરમાત્મામાં તેઓશ્રી - વલાહાર કરે તો પણ અક્ષત જ છે. આ વાત લગભગ જણાવી દીધી છે. ૩૦-લા 1 1 0 ત્રીજા હેતુનું નિરાકરણ કરાય છેआहारसंज्ञा चाहारतृष्णाख्या न मुनेरपि । किं पुनस्तदभावेन, स्वामिनो भुक्तिबाधनम् ॥३०-१०॥ “ખાવાની તૃષ્ણા નામની આહાર સંજ્ઞા તો મુનિ ભગવંતોને પણ હોતી નથી, તો પછી તે આહાર સંજ્ઞાથી રહિત એવા શ્રી કેવલી પરમાત્માને ભોજન કરવામાં કયો દોષ છે ?'-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મોહનીયકર્મથી અભિવ્યક્ત થનારું ચૈતન્ય જ “સંજ્ઞા'પદનો અર્થ છે. તેથી ખાવાની તૃષ્ણાને જ આહાર સંજ્ઞા તરીકે ઓળખાય છે. એવી આહાર સંજ્ઞા ભાવસાધુને પણ હોતી નથી, તો પછી તેના (આહારસંજ્ઞાના) અભાવથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓને વાપરવામાં ક્યો દોષ છે ? કારણ કે આહારસંજ્ઞા ન હોવાથી ભાવસાધુઓ વાપરે છે તો તેમને કોઈ દોષ નથી તેમ આહારસંજ્ઞાનો અભાવ હોવાથી શ્રી કેવલજ્ઞાનીઓને પણ કવલાહાર કરવામાં કોઈ દોષ નથી... આથી સમજી શકાશે કે આહાર ( ૧૪ )
SR No.005727
Book TitleKevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy