________________
૩૧૦
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
पाठसिद्धा एव, नवरं ‘इच्छंतो रिद्धीओ' इत्यादिगाथायामयं भावार्थो यथा कश्चिचिरजीवितार्थ्यापि मूढो विपर्यस्तः सद्यो मरणहेतुः कालकूटं कवलयति एवं भवानपि हे जीव ! धर्मस्य फलभूताः - कार्यभूताः ऋद्धीर्वाञ्छन्नपि दारिद्र्यादिदुःखहेतुभूतानि पापानि करोतीति । 'जइ धम्मामयपाण' मित्यादिगाथाया अप्ययं परमार्थः यतो विषया:शब्दरूपरसगन्धस्पर्शरूपाः ते च नरकादितीव्रवेदनाहेतुत्वाद्विषमिव विषं, तझ विषयविषं स्वल्पमप्यर्थेनैव संप्राप्यते, धर्मस्त्वमृतपानरूपः सुरमनुजमोक्षसुखहेतुत्वात्, स च बहुरपि साधुमूले मुधैव लभ्यते, परं मोहविपर्यस्तो जीवस्तं परिहृत्य द्रविणेनापि क्रीत्वा विषयविषमेव पिबतीति । 'साउं न जेमिय' मित्यादि, तथाविधप्राप्त्यभावात् स्वादुमनोज्ञं न भुक्तं १, श्लक्ष्णं-सूक्ष्मं वस्त्रं न परिहितं २, शेषं स्पष्टमिति ।। अथोदाहरणप्रदर्शनगर्भमुपसंहरन्नाह ટીકાર્થ : ગાથાઓ સ૨ળ છે પરંતુ ‘ ંતો રિદ્ધીઓ' ઇત્યાદિ ગાથાઓનો આ ભાવાર્થ છે. જેવી રીતે કોઈક ચિરકાળ જીવવાનો અર્થી પણ મૂઢ તરત મરણ થાય તેવા કાળફૂટ વિષના કોળીયા ભરે છે તે પ્રમાણે હે જીવ ! તું પણ ધર્મના ફળ સ્વરૂપ સિદ્ધિના ફળને ઇચ્છતો હોવા છતાં પણ દારિદ્રચ અને દુઃખોના કારણ સ્વરૂપ પાપોને આચરે છે.
‘નફ ધમ્મામયપાળમ્’ વગેરે ગાથાઓનો પણ આ પરમાર્થ છે કે જે કારણથી શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શ સ્વરૂપ વિષયો નરકાદિ તીવ્રવેદનાના કારણો હોવાથી વિષની જેમ વિષ છે અને તે સ્વલ્પ પણ વિષયરૂપી વિષ અર્થથી જ પ્રાપ્ત થાય છે જ્યારે દેવ-મનુષ્ય અને મોક્ષના કારણભૂત એવું ધર્મરૂપી અમૃત સાધુ પાસેથી મફતમાં જ મળે છે છતાં પણ મોહાધીન જીવ તેને છોડીને દ્રવ્યથી પણ વિષયરૂપી વિષને જ ખરીદીને પીએ છે.
‘સારું ન નેમિય’ ઇત્યાદિ તેવા પ્રકારની પ્રાપ્તિનો અભાવ હોવાથી મનોજ્ઞ ભોજન ન કરાયું (૧) સૂક્ષ્મ વસ્ત્ર ન પહેરાયું. (૨) આથી ચિંતામાં જેઓએ ધર્મ ન કર્યો તેઓ મનુષ્ય જન્મ હારી ગયા. બાકીનું સુગમ છે. अलमित्थ वित्थरेणं कुरु धम्मं जेण वंछियसुहाई ।
पावेसि पुराहिवनंदणो व्व धूया व नरवइणो ।।५००।। अलमत्र विस्तरेण कुरु धर्मं येन वांछितसुखानि
प्राप्स्यसि पुराधिपनंदन इव दुहितेव नरपतेः । । ५०० ।।
ગાથાર્થ : અહીં વિસ્તારથી સર્યું. ધર્મને ક૨ જેથી શ્રેષ્ઠી પુત્રની જેમ અથવા રાજપુત્રીની જેમ વંછિત સુખોને મેળવશે. (૫૦૦)
સુરમા, નવાં પુરાધિપ: શ્રેષ્ઠી તસ્ય નન્દ્રન:-પુત્રઃ, તત્ત્વજ્યાનમુચ્યતે –
-
શ્રેષ્ઠી પુત્રનું કથનાક
જ્યાં ગૃહદીર્થિકામાં (વાવડીમાં) વિચરતી હંસલીઓની જેમ આવાજથી વાચાટ કરતા નૂપુરના સંગવાળી કામિનીઓ ઘરમાં લીલાથી વિચરે છે તેવું ધરણીતિલક નામનું નગર છે અને સુંદર નામનો શ્રેષ્ઠી વસે છે અને ત્યાં તેને ક્યારેક પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્ર જ્યારે ઉદરમાં આવ્યો ત્યારે પિતા મરણ પામ્યો અને જન્મ થયા પછી માતા મરણ પામી કુળનો પણ ક્ષય થયો અને સર્વ પણ વિભવ નાશ પામ્યો. (૩) પછી કરુણાથી લોકે પાળીને મોટો કર્યો. વૃદ્ધિને પામેલો એવો આ હવે લજ્જાને પામતો નગરને છોડીને જ્યાં કોઈપણ નામ ન