________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૨૮૫
સિંહવિક્રીડિત તપ હવે સિંહવિક્રીડિત તપ કહેવાય છે અને આ તપ લઘુ અને બૃહના ભેદથી બે પ્રકારનો છે તેમાં લઘુસિંહ વિક્રીડિત તપ આ પ્રમાણે જાણવો
તેમાં પ્રથમ એક ઉપવાસ પારણું, પછી બે ઉપવાસ પછી પારણું, પછી એક ઉપવાસ પારણું, પછી ત્રણ ઉપવાસ પારણું, પછી બે ઉપવાસ પારણું, પછી ચાર ઉપવાસ પારણું, પછી ત્રણ ઉપવાસ પારણું, પછી પાંચ પછી ચાર, પછી છ પછી પાંચ, પછી સાત પછી છે, પછી આઠ પછી સાત, પછી નવ પછી આઠ એમ ઉપવાસ કરી પારણું કરવું. ત્યાર પછી પચ્ચાનુપૂર્વીએ લેવું એટલે કે પ્રથમ નવ ઉપવાસ પછી સાત, પછી આઠ પછી છે, પછી સાત પછી પાંચ, પછી છ પછી ચાર, પછી પાંચ પછી ત્રણ, પછી ચાર-પછી બે, પછી ત્રણપછી એક, પછી બે-પછી એક, પછી પારણું કરવું. આ તપમાં ઉપવાસના ૧૫૪ દિવસ અને પારણના ૩૩ મળી કુલ ૧૮૭ દિવસ થાય છે. છ માસ અને સાત દિવસથી આ તપ પૂર્ણ થાય છે.
હવે બૃહત્ સિંહ વિક્રીડિત કહેવાય છે
આ તપ પૂર્વની જેમ છે પરંતુ અહીં તપસ્યાના દિવસો અધિક છે તે આ પ્રમાણે પ્રથમ એક ઉપવાસ પારણું, પછી બે ઉપવાસ પારણું, પછી એક ઉપવાસ પારણું, પછી ત્રણ ઉપવાસ પારણું, પછી બે ઉપવાસ પારણું, પછી ચાર પછી ત્રણ, પછી પાંચ પછી ચાર, પછી છ પછી પાંચ, પછી સાત-પછી છે, પછી આઠ-પછી સાત, પછી નવ-પછી આઠ, પછી દસ પછી નવ, પછી અગીયાર પછી દસ, પછી બાર પછી અગીયાર, પછી તે પછી બાર, પછી ચૌદ પછી તેર, પછી પંદર પછી ચૌદ, પછી સોળ પછી પંદર પછી પારણું ત્યાર પછી પચ્ચાનુપૂર્વીએ આ પ્રમાણે લેવું
પ્રથમ સોળ ઉપવાસ પારણું પછી ચૌદ ઉપવાસ પારણું, પછી પંદર-પછી તેર, પછી ચોદ પછી બાર, પછી તેર-પછી અગીયાર, પછી બાર-પછી દસ, પછી અગીયાર-પછી નવ, પછી દસ-પછી આઠ, પછી નવ-પછી સાત, પછી આઠ-પછી છે, પછી સાત પછી પાંચ, પછી છ પછી ચાર, પછી પાંચ-પછી ત્રણ, પછી ચાર-પછી બે, પછી ત્રણ-પછી એક, પછી બે-પછી એક પછી પારણું એમ દરેક બારી પછી પારણું કરવું.
આ રીતે કુલ ઉપવાસના દિવસો ૪૯૭ તથા પારણના દિવસો ૬૧. સર્વે મળી કુલ ૫૫૮ દિવસ એટલે કે એક વર્ષ માસ, અને અઢાર દિવસે આ તપ પૂર્ણ થાય છે આ તપ પણ પૂર્વની જેમ ચાર પટિપાટીથી ઇચ્છિતથી અર્થાત્ એકાસણા કે નિવિ કે અલેપ કે આયંબિલથી થાય છે.
જે આ સુપ્રતિષ્ઠિત ગુણકારી તપમાં ચાર ભેદવાળો છેલ્લો બૃહત્ સિંહવિકીડિત તપ વિચ્છેદ પામ્યો છે એમ શ્રી વિરજિનેશ્વરે કહ્યું છે.
અહીં પ્રમુખ શબ્દથી બીજા ઘણાં તપ વિશેષો છે અને શિષ્યના અનુગ્રહને માટે કેટલાક બતાવાય છેબીજા ત૫ વિશેષમાં પ્રથમ ભદ્રતાપ કહેવાય છે. આ પણ લઘુ અને બૃહદ્ના ભેદથી બે પ્રકારે છે. તેમાં લઘુ તપ આ પ્રમાણે જાણવું.
લઘુભદ્ર તપ પ્રથમ એક ઉપવાસ પછી પારણું, પછી બે ઉપવાસ પારણું, પછી ત્રણ ઉપવાસ પારણું, પછી ચાર ઉપવાસ પારણું, પછી પાંચ ઉપવાસ પારણું એ પ્રથમ સર પૂર્ણ થઈ.