________________
૧૨
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
કૃષ્ણાગરુથી મધમધાયમાન શ્રેષ્ઠ ગંધ દ્રવ્યોથી બનાવેલી ગોળી જેવા છે. સકળ ઇચ્છિત પદાર્થોથી યુક્ત છે. (૩૩૩-૩૩૪).
સેંકડો પુષ્કરિણીથી શોભિત ઉપવન અને ઉદ્યાનોથી રમ્ય પ્રદેશોમાં દેવી સહિત દેવોવડે નૃત્યમાં કરાયેલી છે હજારો ક્રીડાઓ જેમાં એવા ભવનો છે. (૩૩૫)
સ્થાને સ્થાને આરંભ કરાયેલ ગીતના ધ્વનિવડે અપાયું છે કર્મેન્દ્રિયનું સુખ જેમાં એવા ભવનો છે. વાગતા વેણુ-વીણા-મૃદંગના ધ્વનિથી ઉત્પન્ન કરાયો છે હર્ષ જેમાં એવા ભવનો છે. (૩૩૬)
મણિના વલયોથી વિભૂષિત સેંકડો અપ્સરાઓ હર્ષના અતિરેકથી જેમાં નૃત્ય કરે છે એવા ભવનો છે. આનંદિત થયેલા દેવોના સમૂહો વડે વગાડાયેલા દુદુભિના અવાજો જેમાં હંમેશા સંભળાય છે તેવા ભવનો છે. (૩૩૭)
ભવનો દશે દિશામાંથી નીકળેલા નિર્મળ સૂર્યના કિરણોથી અધિક તેજવાળા હોવાથી દુરાલોક છે. તે ભવનો બહુ પુણ્યથી પ્રાપ્ત થનારા છે અને પુણ્યશાળી જીવોથી લેવાયેલા છે. (૩૩૮)
દરેક ભવન મણિ અને રત્નોથી નિર્મિત એવી એકસો આઠ પ્રતિમાથી યુક્ત જિનભવનથી પવિત્ર કરાયેલ છે. તથા મન અને આંખોને આફ્લાદક છે. (૩૩૯) _ 'बहिर्वृत्तानी'त्यादीनि मनोनयनसुखदानीत्येतत्पर्यन्तानि भवनानां विशेषणानि । तत्र च दीप्यमानरत्नभासुराणि निविष्टानि-स्थितानि गोपुरेषु-प्रतोलीद्वारेषु कपाटानि येषु तानि तथा । द्वारेषु प्रतिद्वारेषु च तोरणैश्चन्दनकलशैश्च भूषितानि । तथा रत्नविनिर्मितैः पुत्तलिकास्तंभशयनासनैश्च भूषितानि । तथा रत्नराशिभिः कलितानि, सौम्यकान्तिभिर्दीप्यमानानि । वितीर्णा दत्ता दशार्द्धवर्ण:-पंचवर्णः कुसुमैरुपचारा येषु तानि तथा । बहुसुरभिद्रव्यमिश्रितेन सुगन्धगोशीर्षश्रीखंडरसेन निषितानि हरिचन्दनस्य बहलस्तबकैर्दत्तानि पंचांगुलितलानि येषु तानि तथा । शेषं सुखोन्ने यमिति ।।
ટીકાર્થ : વદિ વૃત્તાની થી માંડીને મનોનયન સુહલાની ત્યાં સુધીમાં બધા ભવનોના વિશેષણો છે અને તેમાં (ભવનોમાં) શેરીના દરવાજા પર જે કબાટો છે તે દેદીપ્યમાન કાંતિવાળા રત્નોથી જડેલા છે મુખ્ય દરવાજા તથા અંદરના દરવાજાઓ તોરણો અને ચંદન કળશોથી વિભૂષિત છે. તથા રત્ન-વિનિર્મિત પુત્તળીઓના સ્તંભ શયન અને આસનોથી વિભૂષિત છે તથા સૌમ્યકાંતિવાળા દીપ્યમાન રત્નના રાશિથી યુક્ત છે તથા ભવનો પાંચવર્ણવાળા ફુલોના સમૂહવાળા છે. ઘણાં સુગંધી દ્રવ્યોથી મિશ્રિત એવા સુગંધગોશીષચંદનના રસથી સિંચાયેલ છે તથા હરિચંદનના કદમના પિંડથી જેમાં થાપા અપાયેલા છે. બાકીનું સુગમ છે.
अथ व्यन्तरनगराणां संख्यां स्वरूपं चाह - હવે બંતરના નગરોની સંખ્યા અને સ્વરૂપને કહે છે
तह चेव संठियाइं संखाईयाइं रयणमइयाइं । नयराइं वंतराणं हवंति पुव्वुत्तरूवाइं ।।३४०।।
૨. યતિ – વા. ||