SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ # # * # # સ્થાઠમંજરી | तथा 'नानृतं ब्रूयात्' इत्यादिनाऽनृतभाषणं प्रथमं निषिध्य पश्चात् “ब्राह्मणार्थेऽनृतं ब्रूयात्" इत्यादि। तथा → "न नर्मयुक्तं. वचनं हिनस्ति न स्त्रीषु राजन्! न विवाहकाले। प्राणात्यये सर्वधनापहारे पञ्चानृतान्याहुरपातकानि"। तथा “परद्रव्यानि लोष्ठवत्" इत्यादिना अदत्तादानमनेकधा निरस्य पश्चादुक्तम् – “यद्यपि ब्राह्मणो हठेन परकीयमादत्ते छलेन । वा तथापि तस्य नादत्तादानम् । यतः सर्वमिदं ब्राह्मणेभ्यो दत्तम् । ब्राह्मणानां तु दौर्बल्याद् वृषलाः परिभुञ्जते। तस्मादपहरन् ।। ब्राह्मणः स्वमादत्ते स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददाति" इति ॥तथा “अपुत्रस्य गतिर्नास्ति' इति लपित्वा, “अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम्। दिवं गतानि विप्राणामकृत्वा कुलसन्ततिम् ॥” इत्यादि। कियन्तो वा दधिमाषभोजनात् । कृपणा (कृष्णा?) विवेच्यन्ते। तदेवमागमोऽपि न तस्य सर्वज्ञतां वक्ति। किञ्च, सर्वज्ञः सन्नसौ चराचरं चेद् विरचयति, तदा जगदुपप्लवकरणवैरिणः पश्चादपि कर्तव्यनिग्रहान् सुरवैरिणः एतदधिक्षेपकारिणश्चास्मदादीन् किमर्थं सृजति ? તા તન્નાથં સર્વજ્ઞઃ | યોગ્યતાનાં સાધન તરીકે તેઓની વિચિત્રતા પણ અનાદિસિદ્ધ છે. આમ જગતમાં રહેલી સર્વ વસ્તુઓની વિચિત્રતા સિદ્ધ થઈ જાય છે. તેથી તેની ઉપપત્તિમાટે સર્વજ્ઞ એવા ઇશ્વરને માનવાની આવશ્યક્તા નથી. સર્વજ્ઞતા આગમથી અસાધ્ય આગમથી પણ ઈશ્વરની સર્વજ્ઞતા સિદ્ધ નથી. તે આ પ્રમાણે – આગમના રચયિતા કોણ? ઇશ્વર પોતે કે બીજો કોઈ? જો ઇશ્વરને આગમના કર્તા માનશો તો ઇશ્વરનાં સર્વજ્ઞતા વગેરે વિશિષ્ટગુણોને આગમ દ્વારા આ ઇશ્વર પોતે જ બતાવનાર થયો. અર્થાત જો ઇશ્વર સ્વકૃત આગમ દ્વારા પોતાનાં જ ગુણોનું ઉત્કીર્તન કરશે, આ તો ઈશ્વરમાં મહત્તા નહી આવે. કેમ કે મહાન પુરુષો પોતાનાં ગુણો સ્વમુખે ગાતા નથી. વળી ઈશ્વર આ શાસ્ત્રોનાં કર્તા છે તે વાત બુદ્ધિમાં બેસે એવી નથી. શાસ્ત્ર એ “અવગેરે વર્ણમય છે અને વર્ગોની ઉત્પતિ તાલ વગેરેનાં વ્યાપારથી ઉદ્ભવે છે. આવા વ્યાપારો શરીરમાં જ સંભવી શકે. શરીર વિના આવી ચેષ્ટાઓ સંભવી ન શકે. હવે શાસ્ત્રકર્તા ઇશ્વરને સશરીર માનવામાં તો પૂર્વોકતદોષો છે. તેથી ઇશ્વરને સશરીર માની ન શકાય. તેવી, ઈશ્વરને વર્ણાત્મકશાસ્ત્રોનાં રચયિતા તરીકે પણ જાણી શકાય નહિ. પૂર્વપક્ષ :- આ શાસ્ત્રોની રચના ઈશ્વરે નથી કરી, પણ પૂર્વના મહર્ષિ વગેરે અન્યોએ કરી છે. તેઓ સશરીર લેવાથી શાસ્ત્રનિર્માણ કરે તેમાં દોષ નથી. ઉત્તરપલ :- એ શાસ્ત્ર રચનારા ઋષિઓ સર્વજ્ઞ હતા કે અસર્વજ્ઞ? જો ‘શાસ્ત્ર રચનારાઓ સર્વજ્ઞ છે. એમ માનશો તો એ ઈશ્વર માનવા પડશે, કેમકે તમારા મતે ઇશ્વર સિવાય બીજો કોઈ સર્વજ્ઞ હેઈ ન શકે. તેથી તમારા એક ઈશ્વરનો અભ્યપગ બાધિત થઈ જશે. વળી ઇશ્વરને સર્વજ્ઞ તરીકે સિદ્ધ કરવાની ચર્ચામાં તમે બીજા સર્વજ્ઞની કલ્પના કરી. એની સર્વજ્ઞતા પૂર્વોક્ત રીતે સિદ્ધ કરવા માટે વળી ત્રીજા સર્વજ્ઞને કલ્પ. આમ ઘણા સર્વજ્ઞોની કલ્પના કરવાની રહેશે, તેથી અનવસ્થાદોષ આવશે. જો આ શાસ્ત્રકર્તા સર્વજ્ઞ નથી, એમ માનશો તો તેનાં વચનપર કોણ વિશ્વાસ કરશે? કારણ કે અસર્વજ્ઞનાં આગમો પ્રત્યક્ષાદિથી બાધિત થઈ શકતાં હેવાથી વ્યભિચારી હેય છે. તેથી આવા અસર્વજ્ઞના આગમ દ્વારા ઇશ્વરની સર્વજ્ઞતા પ્રમાણભૂત બનતી નથી. દ ૨. બાપતંમસૂત્ર છે. EAR. उद्वाहकाले रतिसम्प्रयोगे प्राणात्यये धनापहारे । विप्रस्य चार्थे ह्यन्तं वदेयुः पञ्चानृतान्याहरपातकानि ॥ "इति वसिष्ठधर्मसूत्रे १३-३५॥ RAHA ३. सर्व स्वं ब्राह्मणस्येदं यत्किञ्चिजगतीगतम् । श्रेष्ठं येनाभिजनेनेदं सर्वं वै ब्राह्मणोऽर्हति ॥ स्वमेव ब्राह्मणो भुक्ते स्वं वस्ते स्वं ददाति च। RA आनृशंस्याद् ब्राह्मणस्य भुञ्जते हीतरे जनाः ॥ इति पाठः मनुस्मृतौ १-१००-१०१ ॥ ૪. રેવીમા વિતે / ૫. સાપતંમસૂત્રે || સર્વજ્ઞતા આગમથી અસાધ્ય .
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy