SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શું કali ' ક્યા મજરી વિકાસ કરી રહી वादस्य प्रतिक्षेपबीजम् । सर्वे हि भावा द्रव्यार्थिकनयापेक्षया नित्याः, पर्यायार्थिकनयादेशात्पुनरनित्याः । तत्रैकान्तानित्यतया । IN परैरङ्गीकृतस्य प्रदीपस्य तावद् नित्यानित्यत्वव्यवस्थापने दिमात्रमुच्यते ॥ સાફિ-પ્રદીપપર્યાયાપન્ના તૈના પરમાવ: વરસત:તૈનાતા વકિપાતા વાક્યોતિષ્પ પરિત્યજ્ય તમો # पर्यायान्तरमाश्रयन्तोऽपि न एकान्तेनानित्याः पुद्गलद्रव्यरूपतयाऽवस्थितत्वात् तेषाम् । न हि एतावतैवानित्यत्वं यावता पूर्वपर्यायस्य विनाश उत्तरपर्यायस्य चोत्पादः । न खलु मृद्रव्यं स्थासकोशकुशूलशिवकघटाद्यवस्थान्तराण्यापद्यमानमपि एकान्ततो विनष्टं,तेषु मृद्रव्यानुगमस्याबालगोपालंप्रतीतत्वात्। नचतमसः पौगलिकत्वमसिद्धं, चाक्षुषत्वस्याऽन्यथाऽनुपपत्तेः અંધકારની અભાવરૂપતા-પૂર્વપક્ષ પૂર્વપક્ષ:- આ તમારી વાત સાચી તો કરે જો અંધકાર પૌદ્ગલિક પુદ્ગલદ્રવ્યના પર્યાય તરીકે સિદ્ધ થાય. પરંતુ અંધકાર પ્રકાશના અભાવરૂપ હોઈ પૌદ્ગલિકરૂપે અસિદ્ધ છે. શંકા :- અંધકારને અભાવરૂપ કેમ કહે છે? સમાધાન - અંધકાર એટલે શું? આ પ્રશ્નનો આબાલ-ગોપાલ પ્રસિદ્ધ એક જ જવાબ છે-અંધકાર એટલે પ્રકાશનો અભાવ. આમ અંધકારની અભાવરૂપતા અવશ્યકતા છે. જયારે તેની દ્રવ્યરૂપતા નવી કલ્પનારૂપ છે. આમ અંધકારને દ્રવ્યરૂપ માનવામાં કલ્પનાગૌરવ છે. તેથી અંધકાર દ્રવ્યના પર્યાયરૂપ નથી પણ અભાવરૂપ જ છે. (લોકમાં અને પ્રમાણિક પુરુષમાં સ્થાન પામી ચૂકેલી કલ્પના અવશ્યકલુપ્ત છે. એ કલ્પનામાટે નવી વિચારણા તર્ક વગેરેની જરૂર નથી. જે કલ્પના આવી પ્રસિદ્ધ નથી માટે વિચારણા આદિની જરુર હોવાથી તેમાં કલ્પનાગૌરવ છેષ રહેલો છે.) અંધકાર દ્રવ્યરૂપ-ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ :- જો અંધકાર અભાવરૂપ ય તો તે અંધકાર આંખથી પ્રત્યક્ષ દેખાવો જોઈએ નહિ. હું (ચાક્ષુષત્વચક્ષુ ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ દેખાવાપણું)કેમ કે માત્ર પુદ્ગલદ્રવ્ય જ ચાક્ષુષપ્રત્યક્ષને યોગ્ય છે. અભાવ પુદ્ગલરૂપ ન હોયતો પ્રત્યક્ષ યોગ્ય બને નહીં. જયારે અંધકારને તો નાનો બાળક પણ આંખથી જોઈ શકે છે. આમ ચક્ષુગ્રાહ્ય હેવાથી જ અંધકાર પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ છે નહિ કે માત્ર અભાવરૂપ, તેમ સિદ્ધ થાય છે. અહં અનુમાનપ્રયોગ- “અંધકાર (પક્ષ) પૌદ્ગલિક છે (સાધ્ય)કેમ કે તેનું ચાક્ષુષપણે અન્યથા અનુપપન્ન છે. (હેત)જેમ કે પ્રદીપનો પ્રકાશ. (દષ્ટાંત)” અંધકાર ચાક્ષુષપ્રત્યક્ષ નથી-પૂર્વપક્ષ પૂર્વપક્ષ:- તમારા અનુમાનમાં હેતુ અસિદ્ધ છે કેમ કે, અંધકાર ચાક્ષુષપ્રત્યક્ષ નથી, કેમ કે એવો નિયમ છે કે જે ચોષપ્રત્યક્ષ શ્રેય છે, તે બધું પોતાના પ્રતિભાસમાં પ્રકાશની અપેક્ષા રાખે છે. અંધકારના પ્રતિભાસમાં પ્રકાશની અપેક્ષા નથી. કેમ કે પ્રકાશની હાજરીમાં અંધકાર રહી શકતો જ નથી એટલી સમજ તો નાના બાળકને પણ છે. તેથી અંધકાર ચાક્ષુષ પ્રત્યક્ષ નથી. (શંકા:- પણ બધાને અંધકાર સ્પષ્ટ દેખાય છે તેનું શું? સમાધાન :- એમ તો બધાને અંધકાર ચાલતો પણ દેખાય છે તો શું અંધકાર ખરેખર ખસે છે? શંકા :- પ્રકાશના ખસવાથી અંધકાર ખસતો દેખાય છે. તેથી અંધકાર ખસતો દેખાય છે એ તો ભ્રમ છે. સમાધાન:- બસ તે જ પ્રમાણે પ્રકાશના અભાવમાં અંધકારનો આભાસ થાય છે પરંતુ તે ભ્રમ છે.) કાલ અંધકાર દ્રવ્યરૂપ ###### # # #
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy