SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ : w : : ' : ' : ' : , ' : ' ' ' 8 :::::: माध्यस्थमिवास्थाय तान्प्रति हितशिक्षामुत्तरार्धेनोपदिशति। साथापि त्वदाज्ञाप्रतिपत्तेरभावेऽपि लोचनानि-नेत्राणि | संमील्य=मिलितपुटीकृत्य सत्यं युक्तियुक्तं नयवर्त्म-न्यायमार्ग विचारयन्तां = विमर्शविषयीकुर्वन्तु ॥ अत्र च 'विचारयन्ताम्' इत्यात्मनेपदेन फलवत्कर्तृविषयेणैवं ज्ञापयत्याचार्यो यद् अवितथनयपथविचारणया तेषामेव फलं, वयं तु केवलमुपदेष्टार इति । किं तत्फलम् ? इति चेत् ? 'प्रेक्षावत्ता' इति ब्रूमः। संमील्य विलोचनानीति इंच वदतः प्रायस्तत्त्वविचारणमेकाग्रताहेतुनयननिमीलनपूर्वकंलोके प्रसिद्धमित्यभिप्रायः।अथवा, अयमुपदेशस्तेभ्योऽरोचमान एवाचार्येण वितीर्यते ततोऽस्वदमानोऽपि अयं कटुकौषधपानन्यायेनायतिसुखत्वाद् भवद्भिर्नेत्रे निमील्य पेय एवेति કાનૂતમ્ II ઉત્તર :- ભગવાનને સ્વામી તરીકે સ્વીકારવાનો સીધો ઉપદેશ આપવામાં, તે બીજાઓ “સ્વદર્શનનો રાગી આ અમને વટલાવવા માંગે છે એમ માની દૂરથી જ ભડકીને ભાગી જાય. અને કવિએ હવે જે કહેવું છે તે સાંભળે જ નહિ. તેથી બીજાઓ ખોટા કવિ૫માં ચડવાનું છોડી પોતાના સત્ય અને હિતકર ઉપદેશને સાંભળે એ હેતુથી જ કવિએ કહ્યું કે તેઓ ભગવાનને ભલે સ્વામી તરીકે ન સ્વીકારે. તેથી જ કવિ માધ્યચ્યભાવ ધારણ કરી તેઓને હિતશિક્ષા આપતા ઉત્તરાર્ધમાં કહે છે. તથાપિ' ઇત્યાદિ. બીજાઓએ પરમાત્માની આજ્ઞા સ્વીકારવી ન હોય, તો પણ જો તેઓ સત્યના શોધક ોય, તો તેઓ બે આંખ બંધ કરી–અર્થાત સ્વસ્થચિત્ત વિક્ષેપ વિના યુક્તિસંગત ન્યાયમાર્ગનો વિચાર કરે. અહીં ‘વિચારયન્તા' આ પ્રયોગ આત્મપદને છે. ધાતુના ધાત્વર્થ ક્રિયાનું ફળ કને મળતું હોય, તો તે ધાતુને આત્મપદના પ્રત્યય લાગે છે. અહીં વિચારય' નામધાતુમાં આત્મપદનો પ્રયોગ કરવાદ્વારા કવિ કહેવા માંગે છે કે “આ પ્રમાણે અવિસંવાદી નયમાર્ગની વિચારણા કરવાનું ફળ તેઓને જ મળશે. અમે તો માત્ર ઉપદેશક જ છીએ. અર્થાત અમે અમારો સ્વાર્થ સાધવા તેઓને વિચારવાનું નથી કહેતા, કેમકે અમારું પ્રયોજન તો ઉપદેશ આપવામાત્રથી સરી જાય છે, પણ જો તેઓ વિચારશે તો તેઓને જ લાભ થવાનો છે. શંકા :- આ પ્રમાણે વિચારવાથી શું ફળ મળશે? સમાધાન:- આ પ્રમાણે વિચારવાથી જ તેઓ પ્રેક્ષાવાન-વિચારકની કક્ષામાં આવી શકશે, અન્યથા નહીં ! આ તત્ત્વવિચારણાનું ફળ છે. સમીત્યવિતોનાનિ' (આંખ બંધ કરીને એમ એટલા માટે કહ્યું છે કે પ્રાય:એકાગ્રતા માટે આંખ બંધ કરવા પૂર્વક જ તત્ત્વની વિચારણા થઈ શકે એમ લોકોમાં પ્રસિદ્ધ છે. અથવા કવિનો આ ઉપદેશ બીજાઓ માટે કડવા ઔષધ સમાન છે. કેમકે આ ઉપદેશરૂ૫ ઔષધનું પાન બીજાઓને ગમે તેવું નથી. પરંતુ ભાવમાં હિત કરનારું છે. તેથી જેમ કડવી દવા આંખ બંધ કરીને પણ પી જવાય છે તેમ આ ઔષધને તમે પણ આંખ બંધ કરીને તે ગ્રહણ કરી લેજો. એવો આશય છે. શંકા:-અવિવેકના અતિરેકને કારણે તેઓને પરમેશ્વરના વચનો જો પસંદ જન હેય, તો શા માટે તેઓને વ્યર્થ ઉપદેશ આપીને ગળું દુઃખાડો છો? સમાધાન:-મહાપુરુષો તત્ત્વવાણી પીરસતી વખતે શ્રોતાની રુચિ-અરુચિનો વિચાર કર્યા વિના હિતકારી તત્વવાણી પીરસતા દેખાય છે. અર્થાત મહાપુરુષો કડવા પણ હિતકારી સત્યનો ઉપદેશ આપતાં અચકાતા નથી. આ કેમકે તે ઉપદેશ આપતી વખતે તેઓનો પરાર્થ સિવાય બીજો કોઈ સ્વાર્થ નથી. કેમકે તેઓને મન પરાર્થ એ ૧. નવતર . fસ. છે. શ. સૂ. રૂારૂ અન્ય તીર્થિને સલાહ જ
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy