SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળી ' ' ચાકુટમેજીક , , ફ્રેન્ડ છે તો अनन्तधर्मात्मकत्वं च आत्मनि तावद् साकारानाकारोपयोगिता, कर्तृत्वं, भोक्तृत्वं, प्रदेशाष्टकनिश्चलता, अमूर्तत्वम्, असंख्यातप्रदेशात्मकता, जीवत्वमित्यादयः सहभाविनो धर्माः । हर्षविषादशोकसुखदुःखदेवनरनारकतिर्यक्त्वादयस्तु क्रमभाविनः । धर्मास्तिकायादिष्वपि असंख्येयप्रदेशात्मकत्वम्, गत्याद्युपग्रहकारित्वम्, मत्यादिज्ञानविषयत्वम्, तत्तदवच्छेदकावच्छेद्यत्वम्, अवस्थितत्वम्, अपित्वम्, एकद्रव्यत्वम्, निष्क्रियत्वमित्यादयः । घटे पुनरामत्वम्, पाकजस्पादिमत्त्वम्, पृथुबुधोदरत्वम्, कम्बुग्रीवत्वम्, जलादिधारणाहरणसामर्थ्यम्, मत्यादिज्ञानज्ञेयत्वम्, नवत्वम्, पुराणत्वमित्यादयः । एवं सर्वपदार्थेष्वपि नानानयमताभिज्ञेन शाब्दानार्थांश्च पर्यायान् प्रतीत्य वाच्यम् ॥ પણ હેતું નથી. જેમકેઆકાશકુસુમ આવ્યતિરેકવ્યાપ્તિ અને દષ્ટાંત છે. (જે સત છે તેને અનનધર્માત્મક છે આ અવયવ્યાપ્તિ છે.) અહીં ગેલોરાવર્તી સર્વ સત વસ્તુઓ પક્ષભૂત ધર્મી છે. તેથી સાધન-સાધ્યની આ અવયવ્યાપ્તિ પક્ષમાં જ મળે છે. આને અન્તર્થાપ્તિ કહે છે. તથા સપક્ષનો અભાવ હેવાથી સાધર્મદેષ્ટાંત મળી શકે તેમ નથી. તેથી બાહ્યઅન્વયવ્યાપ્તિ મળતી નથી. તેથી આ હેતુ કેવળવ્યતિરેકી છે. જીવના અનંત ધર્મો હવે જીવદ્રવ્યના અનજોધ દર્શાવે છે. આત્માના ધમ બે પ્રકારના છે. સહભાવી અને ક્રમભાવી. જે ધર્મો સદાકાળ દ્રવ્ય સાથે સંકળાયેલા હેય, તે બધા સહભાવી ધર્મો કહેવાય છે. જીવના સહભાવધર્મોસકારોપયોગ (=જ્ઞાનઉપયોગ) તથા અનાકારઉપયોગ (દર્શન ઉપયોગ) કર્તુત્વ, ભોકતૃત્વ, આઠ પ્રદેશોની १. सर्वसंसारिजीवानामपि सर्वकालं मध्यगताष्टजीवप्रदेशा निश्चलतया सम्मताः ॥ २. जीवसिद्धिः चार्वाकं प्रति; ज्ञानदर्शनोपयोगलक्षणं नैयायिकं प्रति; अमूर्तजीवस्थापन भट्टचार्वाकद्वयं प्रति; कर्मकर्तृत्वस्थापनं सांख्यं प्रति; स्वदेहप्रमितिस्थापनं नैयायिकमीमांसकसांख्यत्रयं प्रति; कर्मभोक्तृत्वव्याख्यानं बौद्धं प्रति; संसारस्य व्याख्यानं सदाशिवं प्रति; सिद्धत्वव्याख्यानं भट्टचार्वाकद्वयं प्रति; ऊर्ध्वगतिस्वभावकथनं माण्डलिकग्रन्थकारं प्रति, इति मतार्थो ज्ञातव्यः । द्रव्यसंग्रहवृत्तौ । ३. नित्यावस्थितान्यरूपाणि । आ आकाशादेकद्रव्याणि । निष्क्रियाणि च। असंख्येयाः प्रदेशाः धर्माधर्मयोः । गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः । तत्त्वार्थाधिगमभाष्ये पंचमाध्याये सूत्राणि । ૧. ઉપયોગલક્ષણવાળો જીવ છે. ઉપયોગ બે પ્રકારે (૧)સાકાર અને (૨) અનાકાર. જ્ઞાનનો ઉપયોગ સાકાર કહેવાય. તે આઠ ઝિ પ્રકારે (૧)મતિ, (૨)શ્રત, (૩)અવધિ, (૪)મન:પર્યવ, (૫) કેવલજ્ઞાન તથા (૬)મતિઅજ્ઞાન (૭)શ્રુતઅજ્ઞાન (૮) વિર્ભાગજ્ઞાન (અવધિજ્ઞાનનો વિપર્યય.)મિથ્યાત્વથી યુક્ત જ્ઞાન અ( કૃત્સિત ખરાબ) જ્ઞાન કહેવાય છે. કેવલજ્ઞાન કેવળજ્ઞાનાવરણીયકર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટે. બાકીના તેને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટે. આ પ્રગટ થયેલું જ્ઞાન લબ્ધિરૂપ છે. જયારે તે જ્ઞાન વિષયના પરિચ્છેદમાં પ્રવર્તે, ત્યારે ઉપયોગ કહેવાય છે. એ જ પ્રમાણે ચાર અનાકાર દર્શનઉપયોગ છે. (૧)ચક્ષુદર્શન (૨) અચાદર્શન (૩)અવધિદર્શન અને (૪)કેવલદર્શન. કુલ બાર ઉપયોગ છે. આ વ્યવહારનયની અપેક્ષાએ સમજવું. નિશ્ચયનયથી અખંડ કેવલજ્ઞાનઉપયોગ જ જીવનું લક્ષણ છે. આ જ્ઞાન-દર્શન-ઉપયોગ જીવના સ્વભાવ છે. નૈયાયિકો આ જ્ઞાન-દર્શનને ગણ માની સમવાય સંબંધથી તેઓની આત્મામાં વૃત્તિ માને છે, જે બરાબર નથી. તે દર્શાવવા અહીં જીવનાં ઉપયોગધર્મને બતાવ્યો. (૨) સાંખ્યમતે પુરુષ (-જીવ)કર્તા નથી, પણ દૃષ્ટા છે. જે અયોગ્ય છે. જીવ વ્યવારથી જ્ઞાનાવરણીયાદિકર્મ તથા બાહ્યઘટપટાદિનો કર્યા છે, અને નિશ્ચયથી પોતાના જ રાગ-દ્વેષ-વગેરે અશુદ્ધ અને વીતરાગભાવાદિ શુદ્ધપરિણામોનો કર્તા છે. (૩) એ જ પ્રમાણે ક્ષણિકવાદી બૌદ્ધમતે જે કર્તા છે, તે ભોકતા થઈ ન શકે. તેથી તેનો નિરાસ કરવા જે જીવ કર્તા છે તે જ જીવ ભોકતા છે એમ દર્શાવ્યું છે. જીવ વ્યવહારથી સ્વકર્મનો ભોકતા છે. નિશ્ચયથી સ્વગુણોનો ભોકતા છે. (૪)સિદ્ધ થયેલ જીવના તથા અયોગી કેવલીના સર્વ જીવપ્રદેશો સ્થિર છે. સર્વ સયોગી સંસારીજીવોના બધા આત્મપ્રદેશો સર્વઘ ચલ છે, અને ઉકળતા પાણીની જેમ સદા તેઓમાં કંપન ચાલુ છે, છતાં તે બધા સંસારી જીવોના પણ મધ્યના આઠપ્રદેશો સર્વદા સ્થિર રહે છે. અને કર્મના લેપથી પણ વિમુક્ત છે. (૫) જીવદ્રવ્ય રૂપ-રસગન્ધ-સ્પર્શથી રહિત છે, તેથી નિશ્ચયથી તે અમૂર્ત છે. (૬) જીવના આત્મપ્રદેશો લોકાકાશના આકાશપ્રદેશો જેટલા જ અસંખ્ય છે. કેવળ સમુદઘાતના ચોથાસમયે લોકાકાશના દરેક આકાશપ્રદેશને અવલંબીને કેવળીનો એકએક આત્મપ્રદેશ રહ્યો હોય છે. જીવત એ જીવનો પારિણામિકભાવ છે. આદિથી દૂર ભવ્યત્વ-અભવ્યતાદિ પણ જીવના આ ઉપરાંત સહભાવી ધર્મો છે. કાવ્ય-૨૨ ::::::::::::::::::::: :
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy