SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ *-- - * 1. પ છે હિદી છે . * * *' . માલજી આ , AS ' . .:: ર મ ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦च न कार्योत्पत्तिः । न च भूतान्येव तथापरिणमन्ति विजातीयत्वात्, काठिन्यादेरनुपलम्भात् । अणव एवेन्द्रियग्राह्यत्वरूपां स्थूलतां प्रतिपद्यन्ते तजात्यादि चोपलभ्यते । तन्न भूतानां धर्मः फलं वा उपयोगः । तथा भवांश्च यदाक्षिपति तदस्य लक्षणम् । स चात्मा स्वसंविदितः । भूतानां तथाभावे बहिर्मुखं स्याद् । गौरोऽहमित्यादि तु नान्तर्मुखं बाह्यकरणजन्यत्वात्। છ થતા વિષયોનું સંવેદન થતું નથી. ચૈતન્યની શરીરવિકાર સાથે અનેકાંતિકતા શંકા :- જો ચૈતન્ય ભૂતધર્મ ન હોય, તો શરીરની વિકૃતિ સાથે ચૈતન્યની વિકૃતિ કેમ દેખાય છે? બાળકનું શરીર જેમ જેમ મોટું થતું જાય છે. તેમ તેમ તેનું ચૈતન્ય વધુ વધુ વિકસિત થતું દેખાય છે. તેજ પ્રમાણે જયારે રોગાદિથી શરીર વિકૃત થાય છે, ત્યારે બુદ્ધિ પણ વિકૃત થતી દેખાય છે. આ બધી વિકૃતિઓ જો ચૈતન્ય ભૂત ધર્મ ધ્યેય અને આત્મધર્મ ન હોય, તો જ સંભવી શકે. સમાધાન :- શરીરની વિકૃતિ વખતે ચૈતન્યની વિકૃતિ એકાને નથી. કેમકે કોઢવગેરેથી કલુષિત શરીરવાળો પણ, શુદ્ધ બુદ્ધિવાળો દેખાય છે. એ જ પ્રમાણે શરીરમાં કોઇ વિકાર ન હોય, તો પણ ચૈતન્યમાં આ પ્રીતિવગેરે ભેદ દેખાય છે. તથા ઘણીવાર બુદ્ધિમાં શોકાદિવિકારો ઉત્પન્ન થાય તો પણ શરીરમાં વિકાર દેખાતા નથી. આમ અન્વય-વ્યતિરેક બંનેદ્રારા ચૈતન્યના વિકારો શરીરના વિકારને વ્યાપ્ત (અવ્યભિચારી) સિદ્ધ થતાં નથી. ઉપયોગ ભૂતવિજાતીય વળી જો ઉપયોગ કાર્ય હેય, તો આ કાર્યની ઉત્પત્તિ પોતાના પરિણામી ઉપાદાનકારણ વિના સંભવી શકે છે નહિ કેમકે ઉપાદાનકારણ પોતે જ કાર્યરૂપે પરિણત થાય છે. શંકા:- પાંચભૂતો જ ઉપયોગાદિકાર્યરૂપે પરિણત થાય છે. તેથી તેઓ ઉપયોગનાં ઉપાદાનકારણ છે. સમાધાન:- પાંચભૂતો ઉપયોગરૂપે પરિણત થઇ શકે નહિ, કેમકે પાંચભૂતો ઉપયોગાદિકાર્યથી ભિજાતીય છે. પાંચભૂતો મૂર્તિ છે. જયારે ઉપયોગ અમૂર્ત છે. તથા ઉપયોગમાં ભૂતગતકાઠિન્યવગેરે ધર્મો ઉપલબ્ધ થતાં નથી. કાર્ય હંમેશા સ્વાનુરૂપ કારણમાંથી ઉત્પન્ન થાય છે. અને કારણગતધર્મો કાર્યમાં અન્વય પામે છે. તેથી જો ઉપયોગ ભૂતનું કાર્ય હોય, તો એમાં પણ કાઠિન્યવગેરે ભૂતધર્મો ઉપલબ્ધ થવા જોઈએ. પણ થતાં નથી. શંકા :- ઉપયોગની જેમ અતીન્દ્રિય એવા પરમાણુઓમાંથી થતાં સ્થૂળ કાર્યો અતીન્દ્રિય નથી. તેથી કારણમાંથી સર્વથા સજાતીય કાર્ય જ થાય તેવો નિયમ નથી. તેથી ભૂતથી ઉત્પન્ન થયેલા વિજાતીય ઉપયોગમાં ભૂતગતકાઠિન્યવગેરે ધર્મો ઉપલબ્ધ ન થાય તેમાં દોષ નથી. - સમાધાન:- પરમાણમાં અને ઉપયોગમાં અતીન્દ્રિયતા તત્યસ્વરૂપવાળી નથી. ઉપયોગગત અતીન્દ્રિયતા સ્વભાવથી (=ધર્મરૂપે) જ છે. જયારે પરમાણુઓમાં તે સ્વભાવથી નથી, પરંતુ અત્યંત સૂક્ષ્મતાને કારણે છે. છે તેથી જ અનેક પરમાણુઓ પરસ્પરના સંયોગમાત્રથી ઈન્દ્રિયગ્રાહ્ય સ્થૂળપર્યાયને પ્રાપ્ત કરે છે. તથા તે છે પર્યાયોમાં પરમાણગત જાતિ ઉપલબ્ધ થાય જ છે. અર્થાત પરમાણુઓથી તેઓ વિજાતીય નથી. આમ કારણમાંથી વિજાતીયકાર્યની ઉત્પત્તિ થાય, અને કારણગત અસાધારણ ધર્મો કાર્યમાં ઉપલબ્ધ ન થાય તેમાં કશું અનુપપન્ન નથી” એવી માન્યતા યુનિસંગત કે દષ્ટાંતસંગત નથી. તેથી સિદ્ધ થાય છે કે ઉપયોગ ::::** ** ****** :::: ઉપયોગ ભતવિજાતીય ::::::::::::::::::::::: :::::::::::::::: :::::::::: 255)
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy