SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ::::::::: 2 . ! = કે : ' સાલા ક્ષય ક. ૫ अथ - "यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव संधत्ते कसे रक्तता यथा" ॥ इति कर्पासे रक्ततादृष्टान्तोऽस्तीति चेत् ? तदसाधीयः, साधनदूषणयोरसम्भवात् । तथाहि -अन्वयाद्यसम्भवान्न साधनम् । न हि कार्यकारणभावो यत्र तत्र स्मृतिः कर्पासे रक्ततावदित्यन्वयः सम्भवति । नापि यत्र न स्मृतिस्तत्र न कार्यकारणभाव इस इति व्यतिरेकोऽपि । असिद्धत्वाद्यनुद्भावनाच्च न दूषणम् । न हि ततोऽन्यत्वात् इत्यस्य हेतोः कर्पासे रक्ततावत् इत्यनेन कश्चिद् दोषः प्रतिपाद्यते ॥ 1લ કાર્યને) સ્મરણ થઈ શકે, કારણ કે તે બે વચ્ચે કાર્યકારણભાવ છે" અર્થાત સ્મૃતિમાટે કાર્યકારણભાવ નિયામક છે, એકાધિકરણત્વ કે અન્યત્વ એ મહત્વનું નથી. ભિન્નસંતાનગત બે બુદ્ધિક્ષણો વચ્ચે કાર્ય –કારણભાવ ન લેવાથી જ એકસંતાનગત બુદ્ધિક્ષણે જોયેલાનું અન્યસંતાનગત બુદ્ધિક્ષણ સ્મરણ કરી શકે ! નહિ. જયારે સમાનતાનગત બે બુદ્ધિક્ષણો ભિન્ન છેવા છતાં તે બે વચ્ચે કાર્ય-કારણભાવ હેઇ, પૂર્વબુદ્ધિક્ષણે છે દેખેલા અર્થનું તેજ સંતાનગત ઉત્તરબુદ્ધિક્ષણને સ્મરણ થાય તે અનુ૫૫ન નથી. ઉત્તર પક્ષ:- આ પણ શોભન નથી. એક સંતાનગત બે બુદ્ધિક્ષણો વચ્ચે કાર્ય-કારણભાવ ોય, તો પણ ફા બંને વચ્ચે અન્યતા તો તદવસ્થ જ છે. કાર્યકારણભાવ અન્યતાને દૂર કરવા સમર્થ નથી. કેમકે ક્ષણિક હોવાથી આ સર્વબુદ્ધિક્ષણો એકબીજાથી અત્યંતભિન્ન છે. વળી કાર્યકારણભાવ હોવાથી સ્મૃતિ થાય છે. તેવા વિકલ્પનું ! સાધક દૃષ્ટાંત ઉભયપક્ષમાં અપ્રસિદ્ધ છે. કસરkતા દષ્ટાંત વ્યર્થ પૂર્વપક્ષ- જે કપાસબીજમાં રકતતા વાસિત કરવામાં આવી હોય, તે જ બીજનાં કપાસફળમાં રકાતા , દેખાય છે, અન્યત્ર નહિં તથૈવ જે સંતાનમાં કર્મવાસનાનું આધાન થયું હોય, તે જ સંતાનમાં (સ્મૃત્યાદિ)ફળ પણ પ્રગટ થાય છે ”આ વચનનાં બળથી “કપાસમાં રક્તતા" દષ્ટાંત પ્રસિદ્ધ છે. કપાસબીજ અને કપાસફળ | બને ભિન્ન લેવા છતાં બન્ને વચ્ચે કાર્યકારણભાવ હોવાને લીધે બીજમાં વાસિત કરેલી લાલાશ એનાં ફળ માં પ્રગટ થાય છે. તે જ પ્રમાણે અનુભવદ્વારા પૂર્વ બુદ્ધિક્ષણમાં નિહિત કરાયેલા સંસ્કારો તે ક્ષણનાં કાર્યભૂત ઉત્તરાણોમાં આવે છે. તેથી સ્મૃતિરૂપફળ પણ એ ઉત્તરક્ષણોને પ્રાપ્ત થાય છે. આમ પ્રસિદ્ધ દષ્ટાંતદ્વારા સ્મરણમાં કાર્યકારણભાવ' હેતુ તરીકે સિદ્ધ થાય છે. ઉત્તરપક્ષ:- આ પણ સુંદર વિચાર નથી જ. સ્મૃતિસાધક તમારું અનુમાન આ છે– “સમાનસંતાનગત ઉત્તરબુદ્ધિક્ષણને પૂર્વેક્ષણઅનુભૂત અર્થનું સ્મરણ છે (સાધ્ય) કેમકે બે વચ્ચે કાર્યકારણભાવ છે. (સાધન)" અમારું સ્મૃતિભંગદર્શક અનુમાન આ પ્રકારે છે- “ઉત્તરક્ષણને પૂર્વેક્ષણે અનુભવેલા અર્થનું સ્મરણ નથી (સાધ્ય) કેમકેને(=ઉત્તરક્ષણ પૂર્વલણથી ભિન્ન છે (સાધન)." હવે કપાસની રક્તતાનું જે દષ્ટાંત તમે તમારા સાધ્યની સિદ્ધિ અર્થે બતાવ્યું, તે દષ્ટાંત તમારા અનુમાનમાં સાધનો અને અમારા અનુમાનમાં દૂષણરૂપ બની શકતું નથી. શું તમારા અનુમાનનું સાધન નથી એ આ પ્રમાણે આ દષ્ટાંતદ્વારા પણ અન્વયાદિ સંભવતા નથી. જયાં કાર્યકારણભાવ હેય, ત્યાં સ્મૃતિ હેય જેમકે કપાસમાં રક્તતા" એવો અન્વય સંભવી શકતો નથી. કેમકે ત્યાં છે. બાધ છે. કપાસમાં રક્તતા એ બીજની રક્તતાનું માત્ર કાર્ય જ છે. આમ ત્યાં માત્ર કાર્ય-કારણભાવ જ સિદ્ધ થાય છે, સ્મૃતિની સિદ્ધિ થતી નથી. એ જ પ્રમાણે જ્યાં સ્મૃતિ નથી, ત્યાં કાર્યકારણભાવ નથી એવો વ્યતિરેક પણ સંભવતો નથી. કેમકે આ જ દૃષ્ટાંતસ્થળે વ્યભિચાર છે, કેમકે અહીં સ્મૃતિ ન વા છતાં કાર્યકારણભાવ છે છે. આમ આ દેટાંત અન્વય કે વ્યતિરેક બેમાંથી એકને પણ બળ આપવાદ્વારા અનુમાન સાધક બની શકતું નથી. જ::::::::::::: કાવ્ય-
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy