SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ જીરું .:- સ ક્યાકર્મીઓને ક ___ अथ चेत् स्वपक्षसंसिद्धये किमपि प्रमाणमयमङ्गोकुरुते, तत्रायमुपालम्भः कुप्येदित्यादि । प्रमाणं प्रत्यक्षाद्यन्यतमत् । स्पृशते = आश्रयमाणाय, प्रकरणादस्मै शून्यवादिने, कृतान्तस्तत्सिद्धान्तः कुप्येत्कोपं कुर्यात्, सिद्धान्तबाधः स्यादित्यर्थः। यथा किल सेवकस्य विरुद्धवृत्त्या कुपितो नृपतिः सर्वस्वमपहरति, एवं तत्सिद्धान्तोऽपि शून्यवादविरुद्धं A प्रमाणव्यवहारमङ्गोकुर्वाणस्य तस्य सर्वस्वभूतं सम्यग्वादित्वमपहरति । किञ्च, स्वागमोपदेशेनैव तेन वादिना शून्यवादः प्ररूप्यते, इति स्वीकृतमागमस्य प्रामाण्यमिति कुतस्तस्य स्वपक्षसिद्धिः प्रमाणाङ्गीकरणात् । किश, प्रमाणं प्रमेयं विना न भवतीति प्रमाणानङ्गोकरणे प्रमेयमपि विशीर्णम् । ततश्चास्य मूकतैव युक्ता, न पुनः शून्यवादोपन्यासाय तुण्डताण्डवाडम्बरम् । शून्यवादस्यापि प्रमेयत्वात् । अत्र च स्पृशिधातुं कृतान्तशब्दं च प्रयुञ्जानस्य सूरेरयमभिप्रायः । यद्यसौ शून्यवादी दूरे प्रमाणस्य सर्वथाङ्गोकारो यावत् । प्रमाणस्पर्शमात्रमपि विधत्ते, तदा तस्मै कृतान्तो यमराजः कुप्येत् । तत्कोपो हि मरणफलः ।। ततश्च स्वसिद्धान्तविरुद्धमसौ प्रमाणयन् निग्रहस्थानापन्नत्वाद् मृत एवेति ॥ સ્વઆગમનાં ઉપદેશથી જ કરે છે. અને આગમ પણ એક પ્રમાણ છે. આમ આગમનું પ્રામાણ્ય અંગીકાર કરનાર શૂન્યવાદી શૂન્યવાદની સિદ્ધિ શી રીતે કરી શકશે? શૂન્યવાદ = સર્વ વસ્તુનાં અભાવનો ખ્યાપકવાદ. અહીં પ્રમાણનો ભાવ ( સત્તા) સ્વીકારીને તે પોતાનાં આ શૂન્યવાદસિદ્ધાંતને બાધ પહોંચાડશે. વળી પ્રમેય વિના પ્રમાણ સંભવે નહીં. અને પ્રમાણ વિના પ્રમેયનું ગ્રહણ થઈન શકે. બન્ને પરસ્પરસાપેક્ષ છે. તેથી પ્રમાણના અસ્વીકારમાં પ્રમેયનો પણ અસ્વીકાર આવી જાય. તેથી શૂન્યતાવાદસાધક પ્રમાણ અને તે પ્રમાણના પ્રમેયભૂત શૂન્યતાવાદ-આ બન્ને શૂન્યતાવાદીને અસ્વીકાર્ય છેવા જોઈએ. તેથી શૂન્યવાદનો ઉપન્યાસ કરવા માટે મુખની વાચાળતાનાં ફટાટોપને છોડી શૂન્યવાદીઓએ મૌનનું આલંબન કરવું એજ શ્રેય છે. અહીં “સ્પૃશ ધાતુ અને કૃતા' શબ્દનો પ્રયોગ કરવામાં કવિશ્રીનો આશય આ છે–પ્રમાણનો સર્વથા અંગીકાર તો દૂર રહે, તેનો આંશિક સ્વીકારરૂપ સ્પર્શ પણ જો આ શૂન્યવાદી કરે, તો કૃતાન્ત (યમરાજ) તેના પર ગુસ્સે થાય. એટલે કે તેને મારી નાંખે, અર્થાત જો સ્વસિદ્ધાંતથી વિરૂદ્ધ અર્થને તે શૂવાદી પ્રમાણિત કરે, તે તે નિગ્રહસ્થાનને પ્રાપ્ત કરે, અને વાદીરૂપે મૃત્યુ પામે. તેથી અંશે પણ પ્રમાણનો સ્વીકાર કરવો એ તેઓ માટે સિદ્ધાંતવિરૂદ્ધ હેવાથી પ્રમાણને ગ્રહણ કરવા જતા તેઓનો નિગ્રહ થાય તેમ છે. કાવ્યમાં અહો !” પ્રયોગ કટાક્ષયુક્તપ્રશંસા માટે કર્યો છે. ગુણોમાં પણ દોષોને પ્રગટ કરેવા દ્વારા કુવાદીઓ , પરમાત્મા પર અસૂયા ધારણ કરે છે. આવા કુવાદીઓએ મતિઅજ્ઞાનરૂપ નયન દ્વારા જે જ્ઞાન મેળવ્યું, તે દર વિપરીતલક્ષણથી યુક્ત લેવાથી સમ્યગ જ્ઞાન નથી. અહીં “સુદેષ્ટમ' શબ્દપ્રયોગ પણ કટાક્ષમાં છે. “અસૂર્ય ધાતને શીલ(=સ્વભાવ)અર્થમાં “પ પ્રત્યયની પ્રાપ્તિ હેવાછતાં વહુ ના આધારે અન્ય પ્રત્યય લાગીને , અસૂચિન' શબ્દ બન્યો છે. અથવા તો “અસૂયાવાળા એવા અર્થમાં મત્વર્થી (=સ્વામિત્વદર્શક)ફન પ્રત્યય લાગ્યો છે. કવચિત ત્વસૂયુદર એવો પાઠ પણ છે. તેમાં પણ વાંધો નથી. કેમકે ઉદયન વગેરે આચાર્યોએ ન્યાયતાત્પર્યાદિ ગ્રંથોમાં મત્સરઅર્થમાં ઉદન્ત (=ઉકારાત) અસૂય શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રમાણાદિ ચતુષ્ટયનો અભાવ-શૂન્યવાદી શૂન્યવાદીનો પૂર્વપક્ષ:- પરવાદીપરિકલ્પિત પ્રમાતા (જ્ઞાન કરનાર), પ્રમેય (=જ્ઞાનનો વિષય), પ્રમાણ છે (જ્ઞાનનું કરણભૂત સાધન) અને પ્રમિતિ (જ્ઞાનફળ) આ ચાર તત્વ (પક્ષ) અવસ્તુ છે-અસત છે Bર (સાધ્ય), કારણ કે, વિચારસહ છે. યુતિક્ષમ નથી, હેતુ) જેમકે ઘોડાનાં શિંગડા દષ્ટાંત) હવે ચારે તત્વનું ફરી Bી પૃથક–પૃથક અસત્વદર્શાવવાધારા હેતુ અસિદ્ધ નથી' એમ બતાવે છે. અહીં પરવાદીને પ્રમાતા તરીકે આત્મા કાવ્ય-૧૭
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy