SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ :::::::::::::: नन्वर्थाजन्यत्वे ज्ञानस्य कथं प्रतिनियतकर्मव्यवस्था । तदुत्पत्तितदाकारताभ्यां हि सोपपद्यते । । तस्मादनुत्पन्नस्यातदाकारस्य च ज्ञानस्य सर्वार्थान् प्रत्यविशेषात् सर्वग्रहणं प्रसज्येत । नैवम् । तदुत्पत्तिमन्त रेणाप्यावरणक्षयोपशमलक्षणया योग्यतयैव प्रतिनियतार्थप्रकाशकत्वोपपत्तेः । तदुत्पत्तावपि च योग्यतावश्यमेष्टव्या । १३अन्यथाऽशेषार्थसान्निध्ये तत्तदर्थासान्निध्येऽपि कुतश्चिदेवार्थात् कस्यचिदेव ज्ञानस्य जन्मेति कौतस्कुतोऽयं विभागः॥ तदाकारता त्वर्थाकारसंक्रान्त्या तावदनुपपन्ना, अर्थस्य निराकारत्वप्रसङ्गात्, ज्ञानस्य साकारत्वप्रसङ्गाच्च । अर्थेन च मूर्तेनामूर्तस्य ज्ञानस्य कीदृशं सादृश्यम् ? इत्यर्थविशेषग्रहणपरिणाम एव साभ्युपेया । ततः- “अर्थेन घटयत्येनां न | हि मुक्त्वार्थस्पताम् । तस्मात् प्रमेयाधिगतेः प्रमाणं मेयस्पता" ॥ इति यत्किञ्चिदेतत् ॥ અર્થાજન્યત્રમાં પણ પ્રતિનિયત વ્યવસ્થા પૂર્વપક્ષ:- જો જ્ઞાન અર્થથી જન્ય ન હોય તો પ્રતિનિયતકર્મવ્યવસ્થા ( જ્ઞાનના વિષયતરીકે પ્રતિનિયત પદાર્થ જ ય તેવી વ્યવસ્થા)ને રહે. જ્ઞાન જે અર્થમાંથી ઉત્પન્ન થાય, અને જેના આકારને ધારણ કરે, તે જ અર્થ તે જ્ઞાનનો વિષય બને, એવી વ્યવસ્થા છે. જો આ તદુત્પત્તિ અને તદાકારતા વિના જ્ઞાન અર્થનો પરિચ્છેદ કરે, (સ્વવિષયથી ભિન્નમાંથી ઉત્પન્ન થાય અને ભિનાકારવાળું હેય) તો જ્ઞાન નીલાદિ પ્રતિનિયત વિષયવાળું બની ન શકે. કેમકે તે જ્ઞાન બધા અર્થોપ્રત્યે સમાનરૂપ બની જાય અને એકજ્ઞાનથી જ બધા અર્થો ગ્રહણ થવાની આપત્તિ આવે. કેમકે એ જ્ઞાન જેમ તે અર્થમાંથી ઉત્પન્ન થયું નથી, તેમ બીજા અર્થમાંથી પણ ઉત્પન્ન થયું નથી. તથા જેમ તે અર્થના આકારવાળું નથી, તેમ બીજા અર્થોનાં આકારવાળું પણ નથી. તેથી . જો એ જ્ઞાન ને અંર્થને વિષય બનાવી શકે, તો બીજા અર્થોને પણ વિષય બનાવી શકે. ઉત્તરપલ :- આ બરાબર નથી. સ્વવિષયમાંથી ઉત્પત્તિ વિના પણ, જોયપદાર્થના બોધને ઢાંકતા આ જ્ઞાનવરણીય કર્મનાં ક્ષયોપશમરૂ૫યોગ્યતાથી જ જ્ઞાન પ્રતિનિયતઅર્થનો પ્રકાશક બની શકે છે. અર્થાત જે અર્થવિષયક જ્ઞાનનાં આવારકકર્મનો ક્ષયોપશમ થાય જ્ઞાન તે અર્થનો પ્રકાશક બને એવી વ્યવસ્થા સુયોગ્ય છે. તેથી જ્ઞાન સ્વવિષયમાંથી ઉત્પન્ન થયું હોય, તો પણ તેનામાં ઉપરોક્ત યોગ્યતા તો હોવી જ જોઈએ. જો આ વ્યવસ્થા માન્ય નહિ રાખશો, તો સઘળા અર્થોનું સાન્નિધ્ય ોય, કે તેને અર્થોનું સાન્નિધ્યન પણ શ્રેય ત્યારે પણ “અમુક જ અર્થનો બોધ થાય, અન્યનો નહિ. આવો થતો વિભાગ અસંગત ઠરે. અર્થાત કર્મયોપશમ જો હેતુ ન હોય અને તદુત્પત્તિ અને તદાકારતા જ જો વ્યવસ્થાપક હોય, તો “સાનિધ્યમાં રહેલાં અર્થોમાંથી અમુક અર્થોમાંથી જ જ્ઞાન ઉદ્ભવે, અન્યમાંથી નહિ ઈત્યાદિવ્યવસ્થા રહેશે નહિ. જોયોપશમને આ વ્યવસ્થાના નિયામક તરીકે માનશો, તો તેનાથી જ જ્ઞાનનાં પ્રતિનિયતવિષયની વ્યવસ્થા પણ સિદ્ધ થઈ શકે છે. તેથી તદુત્પત્તિ અને તદાકારતા અન્યથાસિદ્ધ છે. જ્ઞાનની અર્થકારતા અસંગત અર્થકારની સંક્રાન્તિથી જ્ઞાનની તદાકારતા સર્વથા અનુ૫૫ન જ છે. “જ્ઞાન અર્થકાર છે (=અર્થની સદેશતાવાળું છે.)એમ કહેવામાં નિરાકારજ્ઞાનને સાકાર માનવાનો પ્રસંગ છે. તથા જ્ઞાન અર્થસદેશ છે. એનો શું અર્થ અર્થ જ્ઞાનસંદેશ છે, તેમ પણ થઈ શકે. તેથી જ્ઞાન નિરાકાર ઈ અર્થને પણ નિરાકાર માનવો પડે વળી જ્ઞાન અમૂર્ત (=અરૂપી) છે. જયારે અર્થ મૂર્ત રૂપી છે. મૂર્તિની અમૂર્તિ સાથે સદશા કેવી હોઇ શકે? અર્થાત મૂર્ત અને અમૂર્ત આકૃતિથી સમાન ન ઈ શકે. તેથી “જ્ઞાન અર્થાકાર છે એ વાક્યમાં અર્થકારતા એટલે ૬. પ્રાઇવર્તિ રૂ-૩૦૫ / E B અર્થાજન્યત્રમાં પણ પ્રતિનિયતવ્યવસ્થા Kિ.. ::: 2009
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy