SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સંક :::::: ૪૪ __ अथवा प्रकारान्तरेण सन्मात्रलक्षणस्य परमब्रह्मणः साधनं दूषणं चोपन्यस्यते । ननु परमब्रह्मण एवैकस्य । परमार्थसतो विधिस्पस्य विद्यमानत्वात् प्रमाणविषयत्वम् । अपरस्य द्वितीयस्य कस्यचिदप्यभावात् । तथाहि । प्रत्यक्षं । | तदावेदकमस्ति । प्रत्यक्षं द्विधा भिद्यते निर्विकल्पकसविकल्पकभेदात् । ततश्च निर्विकल्पकप्रत्यक्षात् सन्मात्रविषयात् | तस्यैकस्यैव सिद्धिः । तथा चोक्तम् – “अस्ति ह्यालोचनाज्ञानं प्रथमं निर्विकल्पकम् । बालमूकादिविज्ञानसदृशं शुद्धवस्तुजम्" ॥ न च विधिवत् परस्परव्यावृत्तिरप्यध्यक्षत एव प्रतीयते इति द्वैतसिद्धिः । तस्य निषेधाविषयत्वात् । "आहुर्विधातृ प्रत्यक्षं न निषेद्ध" इत्यादिवचनात् । यच्च सविकल्पकप्रत्यक्षं घटपटादिभेदसाधकं, तदपि सत्तारूपेणान्वितानामेव तेषां प्रकाशकत्वात् सत्ताऽद्वैतस्यैव साधकम् । सत्तायाश्च परमब्रह्मरूपत्वात् । तदुक्तम् - “તં તત્ પ્રહાખો રૂ૫” તિ ll પ્રત્યક્ષનો વિષય “સત’ શુદ્ધ હોવાથી સર્વત્ર સમાનરૂપે છે તેથી સરૂપ એક જ તત્ત્વ સિદ્ધ થાય. સવિલ્પક પ્રત્યક્ષ સામાન્યવિશેષ ઉભયાત્મક પર્યાય ગ્રાહક છે. તેથી જયારે સવિકલ્પક પ્રત્યક્ષ ઘટ, પટ વગેરેના ભેદનો બોધ કરાવે છે ત્યારે પણ સત્તારૂપથી અન્વય પામેલા એકરૂપ થયેલા ઘટાદિ વસ્તુઓનો બોધ કરાવે છે. આમ છે સવિકલ્પકપ્રત્યક્ષ પણ સત્તાતની જ સિદ્ધિ કરે છે. અને સત્તા જ પરમબ્રહ્મરૂપ છે. આ ઉક્તિ છે કે, જે અત છે તે જ બ્રહ્મનું સ્વરૂપ છે અને સત્તા પોતે અતરૂપ છે. આમ પ્રત્યક્ષથી અદ્વૈતનો સદ્ભાવ દર્શાવ્યો. અનુમાનથી પણ આ પુરવાર થઈ શકે છે. પ્રયોગ વિધિ જ તત્વ છે, કેમકે પ્રમેય છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થોપત્તિ આ બધા પ્રમાણો ભાવ (=સત્પદાર્થો)ને જ પોતાનો વિષય બનાવીને પ્રવર્તતા હેવાથી જે પદાર્થ પ્રમાણનો વિષય બને તે પદાર્થ પ્રમેય જ હોય. વચન છે કે “વસ્તુનાં ભાવઅંશો ગૃહીત કરવાના અવસરે પ્રત્યક્ષાદિપ્રમાણો ઉપસ્થિત થાય છે. અને વસ્તુનાં અભાવઅંશનેગ્રહણ (બોધ)કરવાની ઈચ્છાકાળે પ્રત્યક્ષાદિની અનુત્પત્તિનો વ્યાપાર થાય છે. અર્થાત પ્રત્યક્ષાદિપ્રમાણપંચકનો અભાવ પ્રવર્તે છે. અભાવપ્રમાણ અપ્રમાણભૂd શંકા :- પ્રત્યક્ષાદિ પ્રમાણપંચકની અનુત્પત્તિથી અભાવનો બંધ કરવા કરતા અભાવ નામના છઠ્ઠા સ્વતંત્રપ્રમાણદ્વારા તે બોધ કરવો વધુ તર્કસંગત છે. સમાધાન :- તમે જે અભાવ નામનું પ્રમાણ કહે છે, તે વાસ્તવમાં પ્રમાણ જ નથી. કેમકે કોઇ વસ્તુ છું આ પ્રમાણનો વિષય બનતી નથી. અને જેઓ આ પ્રમાણનાં વિષયતરીકે ઈષ્ટ છે, એ (વસ્તનો અભાવ)પોતે અભાવરૂપ લેવાથી વસ્તુ નથી. જયારે “વસ્તુવિષયકત્વ' એ પ્રમાણનું લક્ષણ છે. આમ પ્રામાયનો અભાવ |ોવાથી અભાવ એ સ્વતંત્ર પ્રમાણ નથી. અને પ્રમાણપંચકનો વિષયવિધિરૂપ જ છે, નિષેધાત્મક નહિ કેમકે નિષેધ અભાવરૂપ છે.) પ્રમેય પણ પ્રમાણપંચકની વિષયતાથી જ વ્યાપ્ત છે. અર્થાત જે ભાવ પ્રમાણપંચકનો છે વિષય બને તે જ ભાવ પ્રમેય બને, તેથી સિદ્ધ થાય છે કે માત્ર વિધિ જ પ્રમેયરૂપ અને તત્વરૂપ છે. જે વિધિરૂપ છે નથી તે પ્રમેય પણ નથી, જેમકે ગધેડાનું શિંગડુ. આ સઘળીય સત વસ્તુઓ પ્રમેય છે. તેથી સિદ્ધ થાય છે, કે કિ છે તેઓ વિધિરૂપ છે. તથા અન્ય પ્રક્રિયાથી પણ અતની સિદ્ધિ થાય છે. તે આ પ્રમાણે-ગામઉદ્યાનાદિઅશેષપઘર્થો પ્રતિભાસમાં સમાવેશ પામ્યા છે, કેમકે તેઓ પ્રતિભાસિત થાય છે. જેનો પ્રતિભાસ થાય, તે પ્રતિભાસમાં સમાવેશ પામ્યા જ હેય. જેમકે પ્રતિભાસનું સ્વરૂપ (પ્રતિભાસ – જ્ઞાન = બોધ. તેનું સ્વરૂપ પણ પ્રતિભાસિત થાય છે. આમ વિધિ અને પ્રતિભાસરૂપે અદ્વૈતની સિદ્ધિ કરી) १. मीमांसाश्लोकवार्तिक ४ प्रत्यक्षसूत्रे ११२ । .:::::શ અભાવ પ્રમાણ અપ્રમાણભૂત 155 ન
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy