SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ક : : Dાઠમંજરી દર્શનીય સૌન્દર્ય છે. (૫) કવિવરના કુશળહસ્તે કેળવાયેલા આ કાવ્યપુષ્પ એકાનિત્યાનિત્યપક્ષે રહેલા દૂષણોની દુર્ગન્ધ દૂર કરી અનેકાન્તવાદની મહેક પ્રસરાવી છે. (૬) ઇશ્વરની કલ્પનાના આધારે કરાયેલા તેના એકત્વ, નિયત સ્વવશ્યત્વ, સર્વવ્યાપિતા અને સર્વજ્ઞતા આદિના નિરાકરણો આ કાવ્યકમળની કેસરાઓ છે. ઇવરના માથેથી જગત્કર્તત્વનો અયોગ્ય ભારત દૂર કરી કવિવરે ઇશ્વરને આપેલો ન્યાય-આ કાવ્યકમળના કેસરાનો મધુર રસાસ્વાદ છે. (૭) આ કાવ્યગુલાબમાં કવિવરની કલમની કૃપા પામવાનું લ્યાણ ધર્મધર્મભેદ અને સમવાયની કલ્પનાના ખંડનને પ્રાપ્ત થયું છે. (૮) કવીશ્વર કુશળ માળી છે. તેમણે પોતાના કાવ્યબાગમાં ઉછરેલો આ કાવ્યમોગરો “સત્તા પદાર્થ, જ્ઞાનની આત્માથી ભિન્નતા અને જ્ઞાન-સુખ વિનાનો મોક્ષ પર પરિકલ્પિત આ ત્રણ સિદ્ધાન્તોના ખંડનજલથી સિચાયો છે. (૯) વિભુઆત્મવાદના ચૂરણખાતરથી આ કાવ્યચંપકને સુંદર વિકાસ થયો છે. " (૧૦) કવિવરમાળીએનૈયાયિકમાન્ય સોળપદાર્થોની અવિચારિતરમણીયતારૂપ અને તેમના સ્થાપકના પોકળ વૈરાગ્યરૂપ બાવળોને દૂર કરવા દ્વારા આ કાવ્યમાલતીનું વાવેતર કર્યું છે. (૧૧) આ કાવ્યકુંડમાં વેદવિહિતહિંસાની ગર્ધતા અને અપવાદપદની અયોગ્યતા સાધક અર્થ કેવો બનીને ખીલ્યો છે અને જિનભવનાદિઅંગેની હિંસાની ન્યાયપુર:સરતા પરમ આહ્વાદ બક્ષતી સુવાસ છે. ( ૧૨) નિત્યપરોક્ષજ્ઞાનવાદી મીમાંસકમત અને એકાત્મસમવાયિજ્ઞાનાન્નરવેદ્યજ્ઞાનવાદીનેયાયિકમતનું આ કાવ્યમાં “બારમું કરવામાં આવ્યું છે. તેમાં ભેગીભેગી કરેલી જ્ઞાનના સ્વસંવેદનની સ્થાપના પુષ્પાંજલિરૂપ (૧૩) માયાવાદની માયા (= કપટ) પ્રગટ કરી કવિવરે મુગ્ધલોકોને માયામાંથી મુક્ત કરવાનો કરેલો સુયોગ્ય પ્રયત્ન આ કાવ્યચમેલીની સ્મરણીય સુવાસ છે.. ૧૪) આ કાવ્યઉધાનમાં કવિવરે અનેકાન્તપુષ્પોની “સામાન્યવિશેષઉભયાત્મક વાચ્ય વાચકભાવ શું પાંખડીને પાંગરવાની તક આપી છે. અને તેમાં એકાવાદના અવરોધને દૂર કર્યા છે. (૧૫) બત્રીશડાળીમય સ્યાદ્વાદવૃક્ષની આ ડાળી પર વિકસેલી મંજરીનો રસાસ્વાદ પીરસતા કવિ શ્રેષ્ઠ સાંખ્યમત અભીષ્ટ પુરુષપ્રકૃતિ આદિ વાદનું “કચુંબર' કર્યું છે. (૧૬) સાપેક્ષવાદવૃક્ષની આ શાખામાં રહેલી મંજરીને પકડી કવિકોયલે કરેલા ટહુકારના પડઘામાં બૌદ્ધદર્શનમાન્ય પ્રમાણથી અભિન્ન પ્રમાણફળવાદ અને જ્ઞાનાતવાદના નિરાસનો ધ્વનિ સંભળાય છે. ! (૧૭) વિજયવાદ = સ્યાદ્વાદ) વૃક્ષની આ ડાળી પર વિકસેલી મંજરી પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રિમિતિરૂપ તત્વચતુષ્ટયનિષેધક શૂન્યવાદના ખંડન આકારને ધારણ કરે છે. (૧૮) કવિવરે ગુંથેલા કાવ્યહારના આ સ્ફટિકમણિમયમણકામાં ક્ષણિકવાદમાં રહેલા કતપણાશ, જ ::: : પ્રસ્તાવના
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy