SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ -::::::::: : :::: » ચાહુકમંજરી ___किञ्च, अपरिचितास्पष्टचैतन्यानुपकारिपशुहिंसनेनापि यदि त्रिदिवपदवीप्राप्तिः, तदा परिचितस्पष्टचैतन्यपरमोपकारिमातापित्रादिव्यापादनेन यज्ञकारिणामधिकतरपदप्राप्तिः प्रसज्यते । अथ 'अचिन्त्यो हि मणिमन्त्रौषधीनां प्रभावः” इति वचनाद् वैदिकमन्त्राणामचिन्त्यप्रभावत्वात् तत्संस्कृतपशुवधे संभवत्येव स्वर्गप्राप्तिः, इति चेत् ? न। इहलोके विवाहगर्भाधानजातकर्मादिषु तन्मन्त्राणां व्यभिचारोपलम्भाद् अदृष्टे स्वर्गादावपि तद्व्यभिचारोऽनुमीयते । दृश्यन्ते हि वेदोक्तमन्त्रसंस्कारविशिष्टेभ्योऽपि विवाहादिभ्योऽनन्तरं वैधव्याल्पायुष्कतादारिद्र्याधुपद्रवविधुराः परःशताः। अपरे च मन्त्रसंस्कारं विना कृतेभ्योऽपि तेभ्योऽनन्तरं तद्विषरीताः। अथ तत्र क्रियावैगुण्यं विसंवादहेतुः, इति चेत् ? न। संशयानिवृत्तेः । किं तत्र क्रियावैगुण्यात् फले विसंवादः, किं वा मन्त्राणामसामर्थ्याद्, इति न निश्चयः। तेषां फलेनाविनाभावासिद्धेः ॥ વૈદિકહિંસામાં પુણ્યકારણતાનો અભાવ વેદમાં વધતું જે વિધાન છે. તે આમ પુણ્ય પ્રાપ્ત કરવામાં કારણ તરીકે ઉપપન થઈ શકતું નથી. , પૂર્વપક્ષ:- આ વેૉક્ત વધનાં અવસરે બ્રાહ્મણોને પુરોડાશ ( હેમ કર્યા પછી વધેલું દ્રવ્ય) આપવામાં આવે છે. આ દાન પુણ્યાનુબંધી છે. તેથી અહીં પણ ગુણ છે જ. ઉત્તરપા:- રાંકડા પશુઓને હણીને માંસનું દાન કરવું એ તમારી નિર્દયતાને જ સૂચવે છે. કારણ કે, હિંસા કર્યા વિના પણ પવિત્ર નિર્દોષ સુવર્ણ વગેરેનાં દાનથી પુણ્યની પ્રાપ્તિ થઈ શકે જ છે. પૂર્વપક્ષ:- પશુવધક્રિયાનું ફળ એકમાત્ર બ્રાહ્મણને દાન જ નથી, પરંતુ ભૂતિ-આબાદી વગેરે પણ છે. આ શ્રુતિમાં કહ્યું છે કે, “ભૂતિની ઇચ્છાવાળાએ વાયુદેવતાને માટે શ્વેતબકરાથી યજ્ઞ કરવો જોઈએ.” : ઉત્તરપ:- આ વાત પણ વ્યભિચારપિશાચથી યુક્ત હોવાથી અપ્રમાણ છે. (અર્થાત-બકરાનાં હવનથી ઐશ્વર્યની પ્રાપ્તિ સંદિગ્ધ છે.)તથા આ બકરાનાં હવનથી જ એશ્વર્યની પ્રાપ્તિ થાય અને અન્ય ઉપાયથી ન થાય એવું નથી. કેમ કે બીજા ઉપાયોથી પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે જ. પૂર્વપક્ષ:- યજ્ઞમાં હણાતા પશુઓને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. યજ્ઞનો આ જ મોટો ઉપકાર છે. ઉત્તરપક્ષ:- આ કથન માત્ર વચનરૂપ છે પ્રમાણયુક્ત નથી. સદ્ગતિના લાભથી પ્રસન્નમનવાળા થયેલા, હણાયેલા પશુઓ અહીં આવી કોઈને પણ પોતાનું તે સ્વરૂપ જણાવતા નથી. તેથી તેઓનું સ્વર્ગગમન પ્રત્યક્ષસિદ્ધ નથી. તથા અનુમાનસિદ્ધ પણ નથી, કેમ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક ધ્યેય છે. પૂર્વપક્ષ:- પશુઓની સદ્ગતિનાં વિષયમાં આગમપ્રમાણ છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે, “ઔષધિ, પશુઓ, વૃક્ષો, તિર્યો અને પક્ષીઓ યજ્ઞ માટે મૃત્યુને ભેટે છે; અને ઉચ્ચગતિને પામે છે." ઉત્તરપક્ષ:- આ આગમપ્રમાણ બરાબર નથી. કેમકે, તમે જેને આગમતરીકે ઊી પ્રમાણ તરીકે બતાવો છો, તે કહેવાતા આગમને અમે આગળ ઉપર પૌરુષેય-અપૌરુષેય વિકલ્પ દ્વારા આગમ તરીકે અસિદ્ધ કરશું. શંકા:- શ્રુતિમાં કહેલી વિધિથી પશુની હત્યા કરનારને તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે જ. આ જ ઉપકારરૂપ છે. થાય તેવા આશયથી ગૃહસ્થ જિનપૂજાનો આરંભ કરે, તો તેમાં હિંસાનો અંશ હોવા છતાં તે તદ્દન નિર્માલ્ય છે. ઉપેક્ય છે અને | અકિંચિત્કર છે. તેથી જિનભવન કે જિનપૂજા સંબંધી હિંસાને વૈદિકહિંસા સાથે સરખાવવી જરાપણ વ્યાજબી નથી. અને આ ઉદ: હિંસાના અલ્પવ્યયથી ડરીજિનપૂજાનો મહેલાભગુમાવવો એ પણ યોગ્ય નથી. તેથી જેઓ હિંસાદિના ડરથી જિનભવનઆદિની ફી ESજ નિંદા કરે છે, તેઓ ખરેખર હાથમાં આવેલા ચિંતામણિરત્નને કાચ સમજી ફેકી દેવાની મૂર્ખામી કરે છે. વૈદિકહિંસા શા માટે અસંગત છે! | છે? અને જિનભવન બનાવવું વગેરે શા માટે યુક્તિયુક્ત છે? તે અંગેની ચર્ચા, પ્રતિમાશતક, સ્તવપરિજ્ઞા વગેરે ગ્રંથોમાંથી જોવી જોઈએ. જ:::::::::::::: ::::::::::::::::૪28) કાવ્ય-૧૧ 4િ ::::::::::::: :
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy