SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ a ..- સ્યાહુકમંજરી કે, હું શું चेत् ? ज्ञानात्मनोरपि किं न तथास्वभावता, येन स्वयमेवैतौ सम्बध्येते? किञ्च, प्रदीपदृष्टान्तोऽपि भवत्पक्षे न जाघटीति। यतः प्रदीपस्तावद् द्रव्यं, प्रकाशश्च तस्य धर्मः, धर्मधर्मिणोश्च त्वयात्यन्तं भेदोऽभ्युपगम्यते तत्कथं प्रदीपस्य । प्रकाशात्मकता? तदभावे च स्वपरप्रकाशस्वभावताभणितिर्निर्मूलैव। यदि च प्रदीपात् प्रकाशस्यात्यन्तभेदेऽपि प्रदीपस्य । स्वपरप्रकाशकत्वमिष्यते, तदा घटादीनामपि तदनुषज्यते, भेदाविशेषात्॥ સ્વરૂપ સમવાયથી અભિન્ન હોવાથી સમવાય જ છે, તેમ આ બને પણ સમવાયરૂપ જ છે. નહીં કે તેનાથી વિપરીત અલગ સ્વભાવરૂપ. અને તો માત્ર સમવાય જ રહેશે. તેવા સ્વભાવો તો અસિદ્ધ જ રહેશે. વળી જયાં “આ સમવાયીઓમાં સમવાય' એવી મતિ થાય છે ત્યાં સમવાયને સમવાયીમાં રાખનાર અન્ય સમવાય અનવસ્થા આદિદોષોને કારણે અનુ૫૫ન્ન છે, તેથી સમવાય સંબંધ વિના જ આવી મતિ ઉપપન કરવી પડશે. તો “આ આત્મામાં જ્ઞાન' એવી બુદ્ધિ પણ સમવાય વિના થાય છે. તેમ માનવામાં શું દોષ છે? અર્થાત તેમ માનવામાં પણ વિરોધ હેવો ન જોઈએ. કર્તા અને કરણ વચ્ચે ભેદભેદની ચર્ચા પૂર્વપક્ષ :- બોધકાર્યનો કર્તા આત્મા છે. અને કરણ જ્ઞાન છે. આ કર્તા અને કરણ વચ્ચે સુથાર અને તેના ઓજારની જેમ ભેદ જ પ્રતીત છે. તેથી જ્ઞાન અને આત્મા વચ્ચે અભેદ શી રીતે ઘટે? ઉત્તરપલ :- જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ સિદ્ધ કરવા તમે જે દૃષ્ટાંત આપો છો, તે દાબ્દન્તિકસાથે વિષમતા ધરાવે છે. કેમ કે વાસી (સુથારનું લાકડા છોલવાનું સાધન વિશેષ. “ર)બાહ્યકરણ છે. જયારે જ્ઞાન આંતરકરણ છે. તેથી બન્ને વચ્ચે સાધર્મ ઘટી ન શકે. કરણ બે પ્રકારના પ્રસિદ્ધ છે. લાક્ષણિકો વયાકરણ) એ કહ્યું જ છે કે, “કરણ બે પ્રકારે છે. બાહ્ય અને આત્યંતર. જેમ કે “દાતરડાં વડે લખે છે. ચિત્તથી (મનથી) મેરૂ પર જાય છે. તેથી દષ્ટાંત તરીકે કોઇક એવું આંતરકરણ બતાવવું જોઇએ કે જે કર્તાથી એકાંતે ભિન્ન હોય, અને જેથી વ્રત-દાર્ટોન્સિકવચ્ચે સાધર્મ આવે. પરંતુ એવું કોઈ આંતકરણ પ્રસિદ્ધ નથી. વળી, બાહ્યકરણમાં રહેલા બધા જ ધર્મો આંતરકરણમાં પણ દર્શાવવા શકય નથી. જો બાહ્યકરણના જેવા અને જેટલા જ ધર્મો આવ્યંતરકરણના ધ્યેય, તો દેવદત્ત દીવા દ્વારા ચક્ષુથી જૂએ છે એવા પ્રયોગસ્થળે દીવાની જેમ ચક્ષને પણદેવદત્તથી એકાંતે ભિન્નતયા પ્રતીત કરવો જોઈએ. પરંતુ તેવી પ્રતીતિ લોકસિદ્ધનથી.લોકો દીવાને દેવદત્તથી ભિન્નરૂપે ઉપલબ્ધ થતો જૂએ છે, પણ દેવદત્તની આંખને દેવદત્તથી ભિન્નરૂપે ઉપલબ્ધ થતી પ્રતીત કરતા નથી. તેથી બાહ્ય અને આત્યંતરકરણ વચ્ચે ભિન્નતા સિદ્ધ થાય છે. વાસીવર્ધક દષ્ટાન સાધ્યવિક્લ વળી, વાસીવકિષ્ટાંત સાધ્યવિકલ છે. કેમ કે વાસી અને વર્ષકિ (=સુથાર) વચ્ચે એકાંતે ભેદ અસિદ્ધ છે, કારણ કે તે બન્ને વચ્ચે આ પ્રમાણે કથંચિત અભેદ પણ ઉપપન્ન થઈ શકે છે– સૌ પ્રથમ સુથાર “આ સાધનથી આ લાકડાને ઘડીશ' એવા પરિણામથી પરિણત થાય છે. આ પરિણામથી પરિણત થયા વિના, કે તે પછી સાધનને ગ્રહણ કર્યા વિના સુથાર લાકડાને ઘડતો નથી પણ તેના પરિણામથી પરિણત થઈને અને સાધનને ગ્રહણ કરીને જ લાકડાને ઘડે છે. આમ ઓજાર અને સુથાર બન્ને લાકડાને ઘડવામાં પ્રવૃત્ત થાય છે. અને કાષ્ઠને ઘડવારૂપે એક કાર્યનાં સાધક બને છે. તેથી એકકાર્યસાધકત્વરૂપઅભેદ પણ બન્નેમાં સિદ્ધ થાય છે. તેથી બને છે સર્વથા ભિન્ન નથી. તાત્પર્ય:- કાર્યમાં સાધકતમ કારણ કરણ કહેવાય છે. સુથાર કાષ્ઠાટનમાં માત્ર કર્તા નથી પરંતુ કરણ પણ છે. કેમ કે તેનામાં જ્યાં સુધી પૂર્વોક્તપરિણામ ઉત્પન્ન થતો નથી, ત્યાં સુધી ઓજાર કિયામાં પ્રવૃત્ત થતું નથી. તેથી wી કર્તા-કરણ વચ્ચે ભેદભેદ જ કોઈ87 wwwwww oo prin
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy