________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
પાસત્થા આદિના પરિચયથી જિનપ્રણીતતત્ત્વોની શ્રદ્ધરૂપ સમ્યક્ત્વ પણ નાશ પામે. જો સમ્યક્ત્વ પણ નાશ પામે તો પછી દેશવિરતિ વગેરે નાશ પામે તેમાં તો શું કહેવું ? સમ્યક્ત્વનો વિનાશ થતાં તપ, નિયમ અને આવશ્યક વગેરે અનુષ્ઠાન બીજના અભાવમાં ખેતીની ક્રિયા કરવાની જેમ નિષ્ફળ જ બને.
352
આ પ્રમાણે સર્વ પ્રકારથી વિશુદ્ધ સમ્યક્ત્વવાળા જીવનું વિશેષ કાર્ય દ્વારા લિંગ વગેરે બતાવાય છે. તે આ પ્રમાણે સર્વત્ર ઉચિત કરવું, ગુણાનુરાગ, જિનવચનમાં પ્રીતિ, ગુણહીન જીવો પ્રત્યે માધ્યસ્થ્યભાવ - આ સમ્યક્દષ્ટિ જીવનાં લિંગો છે.’’
આ પ્રમાણે અનુપમ સુખનું (=મોક્ષસુખનું) સાધન એવા અનુપમ સમ્યક્ત્વને પામીને હવે કહેવાશે તે ઉત્તરગુણોની રક્ષા માટે હમણાં જ કહેલા જુગારી વગેરેના કુસંગનો પ્રયત્નથી ત્યાગ કરવો. (૨૫૬) पाणिवहस्सय विरई, अलिअस्स विवज्जणं अदिन्नस्स । बंभव्वयस्स धरणं, कायव्वं पव्वदियहेसु ।। २५७ । परिगहपरिमाणं चिय, निसिभत्तविवज्जणं च कायव्वं । दिसिवयपरिमाणं तह, भोगुवभोगस्स परिमाणं ॥ २५८ ॥
અવિરતસમ્યગ્દષ્ટિ મૃત્યુ પામીને ચારે ગતિમાં જનારો હોય, આથી અણુવ્રત આદિના ઉપદેશ માટે કહે છે*
પ્રાણિવધની વિરતિ કરવી, અસત્યનો અને ચોરીનો ત્યાગ કરવો, પર્વદિવસોમાં બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું, પરિગ્રહનું પરિમાણ કરવું, રાત્રિભોજનનો ત્યાગ કરવો, દિશાવ્રતનું પરિમાણ કરવું, ભોગોપભોગનું પરિમાણ કરવું. આ વ્રતોની વ્યાખ્યા વૃત્તિમાં પ્રતિક્રમણસૂત્રના વ્યાખ્યાનમાં જણાવી છે તે પ્રમાણે જાણવી. (૨૫૭–
૨૫૮)
कम्मओ य वज्जिज्जा, खरकम्माईणि पावजणगाणि । इंगालाईणि तहा, भोयणओ वक्खमाणाणि ॥ २५९॥ मज्जं महुं नवनीयं, जावज्जीवं तु वज्जणिज्जाणि । सेसेसु वि परिमाणं, कायव्वं विविहदव्वेसु ॥२६० ॥
દરરોજ ઉપયોગી હોવાથી ગ્રન્થકાર જ ભોગ-ઉપભોગ વ્રતનું કંઈક વિવરણ કરતાં કહે છે– ભોગ–ઉપભોગ પરિમાણવ્રતમાં શ્રાવક કર્મથી પાપજનક અંગાર કર્મવગેરે કઠોર ધંધાનો ત્યાગ કરે. ભોજનથી મદિરા, મધ અને માખણનો જાવજ્રીવ ત્યાગ કરવો. બીજા પણ વિવિધ દ્રવ્યોનું પરિમાણ કરવું. મદિરા વગેરેનું સ્વરૂપ પૂર્વે પ્રતિક્રમણ સૂત્રના વ્યાખ્યાનમાં (વૃત્તિમાં) જણાવ્યું છે. દોષો તો કહેવાય
છે.
* સમ્યગ્દર્શન પામ્યા પહેલાં નરગતિ વગેરેનું આયુષ્ય બાંધી દીધું હોય એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ મૃત્યુ પામીને ચારે ગતિમાં જાય. દેશવિરતિજીવ નિયમા દેવલોકમાં જાય. આથી જે શ્રાવકે નરગતિ આદિમાં ન જવું હોય તેણે સમ્યગ્દર્શન પામ્યા પછી અણુવ્રત આદિનો સ્વીકાર કરવો જોઈએ. આથી અહીં સમ્યગ્દર્શનના રક્ષણનો ઉપદેશ આપીને હવે અણુવ્રત આદિનો ઉપદેશ આપે છે.
- વાંચવામાં સરળતા રહે એ દૃષ્ટિએ વવશ્વમાળાળિ પદ અનુવાદમાં લીધું નથી.