SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશમું ઉચિતયોગ (સ્વાધ્યાય) દ્વાર છે? 332 (૨૧) ઉચિતયોગ (સ્વાધ્યાય) દ્વાર आवस्सयं तु काऊणं, सज्झायं च तहेव य । तओ य पुच्छे सुत्तत्थे, गुरुणो गुणसायरे ॥ २४३ ॥ दारं २१ ।। હવે યતિવિશ્રામણ દ્વારનું ઉલ્લંઘન કરીને આવશ્યક દ્વાર પછી સ્વાધ્યાય (ઉચિતયોગ) દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે છે– પ્રશ્ન : શા માટે યતિવિશ્રામણ દ્વારનું ઉલ્લંઘન કરીને સ્વાધ્યાય દ્વારનું વિવરણ કરવામાં આવે શ્રાદ્ધદિનકૃત્ય ઉત્તર : સ્વાધ્યાય અનેક ગુણોનું કારણ છે. તે આ પ્રમાણે - સ્વાધ્યાયથી શુભ ધ્યાન થાય છે, સર્વ પરમાર્થોને જાણી શકાય છે, સ્વાધ્યાયમાં વર્તતો જીવ ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે. ‘‘કોઈ પણ યોગમાં (મોક્ષસાધક અનુષ્ઠાનમાં) રહેલો જીવ પ્રત્યેક સમયે અસંખ્યભવોમાં બાંધેલાં કર્મોને ખપાવે છે, પણ સ્વાધ્યાયરૂપ યોગમાં વિશેષ કર્મો ખપાવે છે.’’ અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ. આપ્રમાણે સ્વાધ્યાય અનેક ગુણોનું કારણ હોવાથી સ્વાધ્યાયની પ્રધાનતા પ્રસિદ્ધ કરવા માટે ચતિવિશ્રામણા દ્વારનું ઉલ્લંઘન કરીને સ્વાધ્યાયદ્વારનું વિવરણ કરવામાં આવે છે— આવશ્યક કર્યા પછી જ પોતાની બુદ્ધિ પ્રમાણે પૂર્વે ભણેલા કર્મગ્રન્થ આદિના પરાવર્તનરૂપ સ્વાધ્યાયને, અથવા શીલાંગરથને ગણવારૂપ સ્વાધ્યાયને અથવા નમસ્કારાવલિકાને ગણવારૂપ સ્વાધ્યાયને કરે. ત્યાર બાદ પાઠ કરતાં જે સૂત્ર અને અર્થ ન સમજાયા હોય તે જ્ઞાનાદિગુણસમૂહરૂપ મણિ માટે સમુદ્ર સમાન ગુરુને પૂછે. વિવેચન શીલાંગરથ આ ગાથા ઉપરથી જાણવો. करणे ३ जोए ३ सन्ना ४ इंदिअ ६ भूमाइ १० समणधम्मो अ १० ॥ सिलांगरहसहस्साणं, अट्ठारसगस्स णिप्पत्ती ॥१॥ અર્થ :- કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યોગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ (છત્રીસ) થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રોત્ર, રસ અને ઘ્રાણ એ પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં ૧૮૦ (એકસો એંશી) થયા. તેને પૃથ્વીકાય, અખાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અજીવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ (અઢારસો) થયા. તેને ૧. ક્ષાંતિ, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ (નિર્લોભતા), ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ (પવિત્રતા), ૯. અકિંચનતા (પરિગ્રહત્યાગ) અને ૧૦. બ્રહ્મચર્ય. એ દસ પ્રકારના સાધુધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ (અઢાર હજાર) થાય. એ રીતે શીલાંગરથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy