SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું ભોજન દ્વાર ( 288 ) શ્રાદ્ધદિનકૃત્યા કેવળ સાધુએ જ નહિ, કિંતુ સુથાવકે પણ શ્રાવકોના હિત માટે ઉભય લોક્યાં સુખ લાવનારા અપ્રમાદ માટે સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા કરવી જોઈએ. સારણા એટલે ભૂલાઈ ગયેલા ધર્મકર્તવ્યને જણાવવું = યાદકરાવવું. વારણા એટલે કુસંગ આદિ અકૃત્યનો નિષેધ કરવો=અકૃત્યથી રોકવું. સતત સારણા અને વારણા કરવા છતાં ઘણા પ્રમાદવાળા કોઈ શ્રાવક નિયમમાં પ્રમાદ વગેરે કરે તો આવા કુળમાં ઉત્પન્ન થયેલા તમને આ પ્રમાણે વર્તવું એ યુક્ત નથી ઇત્યાદિ વચનોથી ઠપકો આપવા પૂર્વક પ્રેરણા કરવી તે ચોયણા. તથા તે જ વિષયમાં અનેક વખત પ્રમાદ વગેરે કરે તો તારા જન્મ અને જીવનને ધિક્કાર છે ઈત્યાદિ કઠોર વચનોથી અતિશયદઢપ્રેરણા કરવી તે પડિચોયણા. કહ્યું છે કે – “ભૂલાયેલાનું સ્મરણ કરાવવું તે સારણા, અશુભ આચરણથી રોકવાતે વારણા, ભૂલકરનારાઓને પ્રેરણા કરવીતે ચોયણા (વારંવાર ભૂલ કરનારાઓને) કઠોરવચનોથી પ્રેરણા કરવી તે પડિચોયણા કહેવાય છે.” પાંચમાં આરાના દોષથી ઘણા શ્રાવકો પ્રમાદમાં તત્પર બનશે એમ જણાવવા માટે અહીં શ્રાવકોના એ પ્રમાણે બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. (૨૧૦) रुसऊ वा परो मा वा, विसं वा परियत्तउ । भासियव्वा हिया भासा, सपक्खगुणकारिया ॥२११॥ જે શ્રાવક અપ્રીતિના ભયથી સાધર્મિકની ઉપેક્ષા કરે હિતશિક્ષા ન આપે તેને આશ્રયીને આ કહે છે સારણા વગેરે કરાતું હોય ત્યારે અન્ય કોઈક અસહિષ્ણુ હોવાના કારણે રોષ પામે અથવા સહિષ્ણુ હોવાના કારણે રોષ ન પામે, અથવા ભારે કર્મી કોઈકને સારણા વગેરે વિષની જેમ ઉગ કરનાર થઈને પાછું ફરે, અર્થાત્ ખોટું લાગે, તો પણ અનુગ્રહબુદ્ધિથી સ્વપક્ષને ગુણકરનારી હિતકર એવી સારણા આદિ ભાષા કહેવી જોઈએ. સ્વપક્ષને ગુણ કરનારી એટલે પ્રમાદના ત્યાગથી ધર્મરૂપ કાયાની પુષ્ટિ આદિ ગુણને કરનારી. હિતકર ભાષા એટલે ટુ ઔષધ આદિની જેમ જલદી મિથ્યાત્વરૂપ રોગને દૂર કરવાથી સુંદર ભાષા. (૨૧૧). पमायमइरामत्तो, सुयसायरपारओ । अणंतं णंतकायंमि, कालं सो वि य संवसे ॥२१२॥ કારણ કે પ્રમાદીઓને મોટામાં મોટો અનર્થ થાય. ગ્રંથકાર તે પ્રમાણે કહે છે-- નિદ્રા-વિકથાધિરૂપ મઘથી મત્ત બનેલા સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાતા પણ જ્ઞાનાદિ આચારોની વિરાધના કરવાથી વિશિષ્ટ ચૈતન્યથી રહિત બનીને સાધારણ વનસ્પતિરૂપ અનંતકાયમાં અનંતઉત્સર્પિણી–અવસર્પિણીરૂપ અનંતકાળ સુધી રહે. કહ્યું છે કે- “ચૌદ પૂર્વી, આહારક શરીરી, મન:પર્યવજ્ઞાની અને *વીતરાગીઓ પ્રમાદને આધીન બનીને તરત જ ચારગતિઓમાં પરિભ્રમણ કરનારા થાય છે.' આ રીતે જો બહુશ્રુત પણ પ્રમાદથી અનંતકાયમાં અનંતકાળ સુધી રહે તો અબહુશ્રુત માટે તો શું કહેવું? આથી શ્રાવકને પ્રમાદ દૂર કરવા માટે કહેવું જોઈએ. – અહીં ઋજુમતિ મન:પર્યવજ્ઞાની સમજવા. * ઉપશમ શ્રેણિમાં અગિયારમા ગુણસ્થાને વીતરાગી બનેલા.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy