________________
પંદરમું ભોજન દ્વાર
(268)
શ્રાદ્ધદિનકૃત્ય વસતિદાનનું આ લોક સંબંધી ફળ કહે છે –
જે જીવ બીજાનાદબાણ આદિથી પરાધીન બનીને નહિ, સ્વેચ્છાથી હર્ષપૂર્વક, વસતિઆદિમાં મમત્વરહિત સુસાધુઓને વસતિ આપે છે તે જીવોને આ જ ભવમાં સુકીર્તિ અને ઉત્તમભોગો પ્રાપ્ત થાય છે, એમ જિનેશ્વરો કહે છે. કારણ કે અતિશય ઉગ્ર પુષ્ય આ લોકમાં પણ ફળ આપે છે. (૧૯૨).
देवा य देवलोएसु, हुंति ते सुमहिड्डिया । इंदा वा इंदतुल्ला वा, दिति जे उ उवस्सयं ॥१९३॥ વસતિદાનનું પરલોક સંબંધી ફળ કહે છે– જે જીવો હર્ષપૂર્વક સાધુઓને ઉપાશ્રય આપે છે તે જીવો દેવલોકમાં સુમહર્થિક દેવો, ઈદ્રોકે ઈદ્રતુલ્ય થાય
જે દેવોને દિવ્યવિમાન અને દેવાંગનાઓ વગેરે ઋદ્ધિ અતિશય વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય તેવો મહર્થિક છે. ઈદ્ર એટલે સૌધર્મ વગેરે સંપૂર્ણદેવલોકનો અધિપતિ દેવ. ઈદ્રતુલ્ય એટલે ઈદ્રની સમાન ઋદ્ધિવાળા. (૧૩)
अवंतीसुकुमालो य, वंकचूलो नराहिवो । उप्पया गणिया चेव, दिटुंता एवमाइया ॥१९४॥ હવે વસતિદાનના આ લોક સંબંધી અને પરલોક સંબંધી ફળને દષ્ટાંત સહિત કહે છે--
વસતિના દાનમાં અવંતિસુકમાલ, વંકચૂલ, ઉત્પલમાલા આદિદષ્ટાંતો છે. (અહીંઆદિશબ્દથી (કલ્પક મંત્રીના પિતા) કપિલ બ્રાહ્મણ વગેરે દષ્ટાંતો જાણવા.)
અવંતિસુકુમાલની કથા એકવાર વિહાર કરતાં કરતાં આર્યસહસ્તી ઉજ્જયિનીમાં જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા પધાર્યા. તે વખતે ભગવાન સુહસ્તી બાહ્ય ઉદ્યાનમાં રહ્યા અને વસતિ માગવા બે મુનિઓને નગરમાં મોકલ્યા. તેઓ ભદ્રા નામની કોઈ શેઠાણીને ઘરે ગયા. એટલે તેણે નમસ્કાર કરીને તેમને પૂછ્યું કે – હે ભગવન્! શી આજ્ઞા છે ?” મુનિઓ બોલ્યા – હે કલ્યાણી ! અમે આર્યસહસ્તીના શિષ્ય છીએ, અને તેમના આદેશથી વસતિ માગવા આવ્યા છીએ.’ એટલે તેણે વસતિ માટે એક વિશાળ વાહનકુટી (તબેલો) કાઢી આપી. પછી સુહસ્તી સપરિવાર ત્યાં આવીને રહ્યા.
એકવાર સંધ્યા વખતે આચાર્ય નલિની ગુલ્મ નામના શ્રેષ્ઠ અધ્યયનનું પરાવર્તન કરવા લાગ્યા. તે વખતે ભદ્રાનો દેવ સમાન અવંતિસુકુમાલ નામનો પુત્ર આવાસના સાતમા મજલાપર વિલાસ કરતો હતો. સ્વર્ગની સુંદરી સમાન બત્રીસ રમણીઓ સાથે ક્રિીડા કરતાં કર્ણને રસાયન જેવું તે અધ્યયન તેના સાંભળવામાં આવતાં તેનું મન તેમાં રોકાયું, અને તેને સમ્યપ્રકારે સાંભળવા માટે વિલાસ બુદ્ધિવાળો એવો તે ભદ્રાપુત્ર મહેલ પરથી તરત નીચે ઊતરીને વસતિદ્વાર પાસે આવ્યો. ‘પછી આવું મેં ક્યાંક અનુભવ્યું છે' એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તે આચાર્ય પાસે ગયો. તેમને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે – હે ભગવન્! હું ભદ્રાનો પુત્ર
મૂળગાથામાં વંચૂલનું નtifથા એવું વિશેષણ છે. વંકચૂલ રાજા ન હતો. ટીકામાં આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આથી અનુવાદમાં તેનો ઉલ્લેખ ક્ય નથી.