SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 265 ) પંદરમું ભોજન દ્વારા યુક્ત છે. (પણા ૩ કરાડ વહિક) પૃષ્ટિવંશ વગેરે જેમાં સાધુ માટે બનાવ્યા હોય તે વસતિ મૂલગુણયુક્ત છે, પણ શુદ્ધ નથી = આધાર્મિકી છે. (૭૦૭) (ઉત્તરગુણોમાં મૂલ ઉત્તરગુણો અને ઉત્તર ઉત્તરગુણો એવા બે ભેદો છે. તેમાં અહીં) ઉત્તરગુણોમાં મૂલ (ઉત્તર) ગુણો જણાવે છે અહીં વૃદ્ધોએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. વંશક = ભીંત ઉપર આડા મૂકેલા દાંડા (=વાંસડા). કટના મકાનને ઢાંકવાદાંડા ઉપર નાખેલી સાદડી (ચટાઈ). અવલંબન = છત બાંધવા દાંડાઓને બાંધવા. છાદન = ઘાસ વગેરેથી ઢાંકવું. લેપન = ભીંતો લીંપવી. દ્વાર = (બારણું બનાવવું અથવા) બારણાને મોટું બનાવવું. ભૂમિ = ભોયતળિયાની વિસમભૂમિને સમાન કરવી. સાધુ માટે આ સાત જેમાં બનાવ્યા હોય તેવી વસતિ ઉત્તરગુણોથી સપરિકર્મ છે, અર્થાત્ ઉત્તરગુણોથી અશુદ્ધ છે. (૭૦૮) (મૂલગુણોના સાત અને મૂલઉત્તર ગુણોના સાત એ ચૌદ દોષો અવિશુદ્ધિ કોટિ છે. અવિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિત ભાગ કાઢી નાખવા છતાં તે મકાન નિર્દોષ ન થાય. ઉત્તર ઉત્તરગુણો વિશુદ્ધિકોટિ છે. વિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિતભાગ કાઢી નાખવાથી તે મકાન નિર્દોષ થાય.) વસતિનો ઉપઘાત કરનારા વિશુદ્ધિકોટિ ઉત્તર ઉત્તરગુણો આ છે– દૂમિતા = ચૂના વગેરેથી સફેદ કરેલી. પૂમિતા = દુગંધવાળી હોવાથી ધૂપ વગેરેથી ધૂપેલી. વાસિતા = દુગંધવાળી હોવાથી સુગંધી ચૂર્ણ વગેરેથી વાસિત કરેલી. ઉઘોતિતા = રત્ન, દીપક આદિથી પ્રકાશવાળી કરેલી. ' બલિતા = જેમાં ચોખા આદિથી બલિ કર્યો હોય. સંસૃષ્ટા = (સાવરણી આદિથી) સાફ કરેલી. આવી વસતિ વિશુદ્ધિકોટિ છે, અર્થાત્ અવિશુદ્ધિકોટિ નથી. આ પ્રમાણે વૃદ્ધકૃત વ્યાખ્યાથી બે ગાથાનો અર્થ કહ્યો. (૭૦૯) હવે સામાન્યથી જ વસતિના દોષો જણાવે છે-- કાલાતિકાતા, ઉપસ્થાના, અભિક્રાંતા, અનભિક્રાંતા, વર્યા, મહાવર્યા, સાવદ્યા, મહાસાવદ્યા અને અલ્પક્રિયા એમ વસતિના નવ ભેદો છે. જે કાલને ઓળંગી ગઈ છે તે કાલાતિકતા, જેનું નજીમાં સ્થાન છે તે ઉપસ્થાના, જે બીજાઓથી અભિક્રાંત થયેલી છે = સેવાયેલી છે તે અભિક્રાંતા, જે બીજાઓથી અભિક્રાંત થયેલી નથી = સેવાયેલી નથી તે અનભિક્રાંતા, પ્રસ્તુત વસતિ સિવાય બીજી વસતિ કરનારાઓ પ્રસ્તુત વસતિને છોડી દે તે વર્યા, જે વસતિના સેવનથી પરલોકમાં દુ:ખ આવે તે મહાવર્યા, જે પાંચ પ્રકારના શ્રમણો માટે કરી હોય તે સાવદ્યા, જે (જૈન) સાધુઓ માટે જ કરી હોય તે મહાસાવધા, જે વસતિ નિર્દોષ હોય તે અલ્પ ક્રિયા, ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. (૭૧૨) વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છે-- જે વસતિમાં ચોમાસામાં ચાર મહિનાથી અધિક કાળ અને શેષ કાળમાં એક મહિનાથી અધિક કાળ રહેવામાં આવે તે વસતિ કલાતિકાંતા છે. (બીજાઓ ૩૩ માd પાઠના સ્થાને ૩૩ વાર એવા પાઠાંતર પ્રમાણે
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy