SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય 207 ) અગિયારમું શ્રવણ દ્વાર જિનમંદિરનો ઉદ્ધાર કરનારાઓએ નીચોવકર્મ ખપાવી દીધું છે, ઉચ્ચગોત્રકર્મ બાંધ્યું છે, નરક વગેરે કુગતિનો માર્ગ બંધ કરી દીધો છે, અને દેવગતિ વગેરે સદ્ગતિનો માર્ગ પ્રાપ્ત કર્યો છે. નીચગોત્ર = હલકા કુળોમાં ઉત્પત્તિ. ઉચ્ચગોત્ર = સુકુલમાં જન્મ. સુકુલમાં જન્મેલ જીવ ઘણા લોકોથી પૂજાય છે. માટે ઉચ્ચગોત્રકર્મ બહુજન પૂજ્યતાનું કારણ છે. સ્કૂટ, બદ્ધ અને નિધત્ત અવસ્થાવાળું પૂર્વે બાંધેલું નીચગોત્રકમ સત્તામાં પડ્યું હોય તો જિનમંદિરના ઉદ્ધારકો શુભપરિણામથી ઉદ્ગલનાકરણ વગેરે દ્વારા તે કર્મને ખપાવી નાખે છે, અને ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. વિવેચન પૃટ વગેરે ચાર પ્રકારના બંધનો અર્થ આ પ્રમાણે છે– સ્કૃષ્ટ– પરસ્પર અડેલી સોયો સમાન. જેમ પરસ્પર અડીને રહેલી સોયોને છૂટી કરવી હોય તો અડવા માત્રથી છૂટી કરી શકાય તેમ, કર્મો વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી (=પ્રદેશોદયથી) જોગવાઈને આત્માથી છૂટા પડી જાય તેવો બંધ સ્પૃટ બંધ છે. જે જીવ પાપ કરવાની ઈચ્છા ન હોવા છતાં ચાલે તેમ ન હોવાથી દુભાતા દિલે પાપ કરે તેનો બંધ અત્યંત શિથિલ હોય છે. આવાં કર્મો હૃદયના પશ્ચાત્તાપથી નાશ પણ પામી જાય. બદ્ધ- દોરામાં પરોવેલી સોયો સમાન. જેમ દોરામાં પરોવાયેલી સોયોને છૂટી કરવી હોય તો જરા પ્રયત્ન કરવો પડે તેમ, કર્મો થોડું ફળ આપીને છૂટાં થાય તેવો બંધ બદ્ધબંધ છે. ઈચ્છાથી કરેલાં પાપોથી આ બંધ થાય. નિધત્ત-દોરામાં પરોવેલી અને કટાઈ ગયેલી સોયો સમાન. આવી સોયોને છૂટી પાડીને ઉપયોગમાં લેવી હોય તો તેલમદન આદિ ઘણી મહેનત કરવી પડે છે, એ પ્રમાણે કોંઘણું ફળ આપીને છૂટાં થાય તેવો બંધતે નિધત્ત બંધ. ઈચ્છાથી અને રાજી થઈને કરેલાં પાપોથી આવો કર્મબંધ થાય. નિકાચિત-ઘણથી કુટીને એકમેક બનાવેલી સોયો સમાન. જેમ આવી સોયો ઉપયોગમાં લઇ શકાય, તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે, તેમકર્મો પોતાનું અત્યંત ઘણું ફળ આપીને જ વિદાય થાય તેવો બંધ નિકાચિત બંધ. અત્યંત રાચી–માચીને, રસપૂર્વક, આનંદ અને ઉત્સાહથી કરેલા પાપથી આવો બંધ થાય. પ્રથમના ત્રણ પ્રકારના બંધનાફળમાં શુભાશુભ અધ્યવસાયના આધારે ફેરફાર (=વધારેમાંથી ઓછું અને ઓછામાંથી વધારે) થઈ શકે, પણ નિકાચિત બંધમાં કોઈ જાતનું પરિવર્તન ન થાય. સામાન્ય રીતે જેવી રીતે બાંધ્યું હોય તેવી જ રીતે ભોગવવું જ પડે. કર્મસાહિત્યમાં આઠરણ બહુપ્રસિદ્ધ છે. તેમાં સંમકરણ છે. સંકમકરણના વર્ણનની અંતર્ગત ઉદ્વલના કરણનું વર્ણન આવે છે. કષાયમિશ્રિત અધ્યવસાય અને યોગના બળને કરણ કહેવામાં આવે છે. ઉદ્વલના એટલે ઉખેડવું = ક સત્તામાંથી નિર્મૂળ થાય તે ઉદ્ગલના કરણ. જિનમંદિરનો ઉદ્ધારક જીવ તેવા વિશિષ્ટ શુભ અધ્યવસાયથી સત્તામાં પડેલા નીચગોત્ર કર્મનાં દલિકોને સત્તામાંથી નિર્મૂળ કરી નાખે છે. (૧૨) इहलोगंमि सुकित्ती, सुपुरिसमग्गो य देसिओ होइ । अन्नेसिं भव्वाणं, जिणभवणं उद्धरंतेहिं ॥१०३॥ - જિનમંદિરના ઉદ્ધારકોની આ ભવમાં પણ સુકીર્તિ = સુપ્રશંસા થાય. તથા તેમણે અન્ય ભવ્ય જીવો સમક્ષ સુપુરુષોનો તીર્થોદ્ધારરૂપ માર્ગ પ્રગટ કર્યો છે.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy