________________
202
અગિયારમું શ્રવણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય. તેમશુભનિમિત્તોથી સમ્યક્તવગેરેના પરિણામ પ્રગટે છે. અને અશુભ નિમિત્તોથી નાશ પામે છે. માટે મહાપુરુષો કહે છે કે સાધકે સદા શુભનિમિત્તામાં રહેવું જોઇએ, અને અશુભ નિમિત્તોનો ત્યાગ કરવો જોઈએ.
અહીંનંદમણિયાર શેઠને સાધુનો યોગ અને જિનવાણી શ્રવણરૂપશુભનિમિત્તન મળવાથી તેનું સમ્ય ચાલ્યું ગયું. સમ્યકત્વનો નાશ થવાથી વાવડી પ્રત્યે મમતા થઈ. વાવડી પ્રત્યે મમતા થવાથી દુર્ગતિ થઈ. આમ નંદમણિયાર શેઠની દુર્ગતિનું મૂળ કારણ સાધુઓના યોગનો અભાવ છે. આ ઉપરથી સમજી શકાય છે કે સાધકને સાધુયોગ અને સાધુસેવા અત્યંત જરૂરી છે. હવે નંદમણિયાર શેઠનું આગળ શું થયું તે જોઈએ.
વાવડીમાં રહેલા તેણે લોકોના મુખેથી બોલાતા “આવી વાવડી બંધાવનાર નંદમણિયાર શેઠને ધન્ય છે.” વગેરે શબ્દો સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગુરુયોગનો અભાવ વગેરે કારણોથી મેં મળેલા દેશવિરતિ ધર્મને ગુમાવ્યો, વગેરે તેના ખ્યાલમાં આવ્યું. હવે ફરીથી ભાવથી દેશવિરતિની હું આરાધના કરું એવો નિર્ણય તેણે કર્યો. પછી અભિગ્રહર્યો કે આજથી હું સદા છઠ્ઠના પારણે છઠ તપકરીશ. પારણામાં જુની-સુકી સેવાળ, જળનો મેલ વગેરે અચિત્ત વસ્તુનો ઉપયોગ કરીશ. આ અભિગ્રહને બરોબર પાળવા લાગ્યો. સમય જતાં એક દિવસ શ્રી મહાવીરસ્વામી રાજગૃહી નગરી પાસે પધાર્યા. વાવડીમાં સ્નાન વગેરે કરતા લોકોના મોઢે “શ્રી મહાવીરસ્વામી પધાર્યા છે.” એમ તેણે જાણ્યું, આથી તે મહાવીરસ્વામીનાં દર્શન કરવા ઉત્સુક બન્યો. પાણી ભરતી સ્ત્રીના પાણીના બેડામાં પ્રવેશીને તે બહાર આવ્યો. પછી શ્રી મહાવીરસ્વામી તરફ ઉતાવળથી ચાલવા લાગ્યો. પણ રસ્તામાં જ શ્રેણિક રાજાના ઘોડાના પગ નીચે ચગદાઈ ગયો. તુરત અનશનનો સ્વીકાર કરીને પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. સમાધિથી મૃત્યુ પામીને સૌધર્મદેવલોકમાં દરાકનામે દેવ થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ચારિત્ર લઈને મુક્તિમાં જશે.
નંદમણિયારનું આ દષ્ટાંત સાધુયોગ, સાધુસેવા અને જિનવાણી શ્રવણની મહત્તા સમજાવે છે. (અહીં ૯૦મી ગાથા પૂર્ણ થઈ.) (૯૦)
धम्माधम्मं तहा किच्चं, जुत्ताजुत्तं तहेव य । देवा य देवलोगा य, सिद्धा नेरइया तहा ॥९१॥ जं एमाइं पयत्था, आगमेंण वियाणइ । उज्झित्ता सव्ववावारं, तओ य तं निसामए ॥१२॥
અહિંસા વગેરે ધર્મ, જીવહિંસા વગેરે અધર્મ, ચૈત્યવંદન વગેરે મુક્ત કર્તવ્ય, કુતીર્થિકોની પાસે જવું અને પાખંડીઓની પ્રશંસા કરવી વગેરે અયુક્ત કર્તવ્ય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક વગેરે દેવો, દેવોનું આયુષ્ય, દેવોનું શરીર વગેરે, દેવોના આશ્રય વિશેષ, દેવલોક, સિદ્ધો, નારકો, નરકાવાસો, નારકોનું આયુષ્ય, નારકોનું શારીરિક દુઃખ – આ બધા પદાર્થો જીવ આગમથી જાણી શકે છે. આથી શ્રાવક બીજા સર્વ વ્યાપારોને છોડીને જિનાગમનું શ્રવણ કરે. (૯૧-૯૨).
अन्नं च जीवाईणं, कुणइ सद्दहणं तहा । ससंकियाण अत्थाणं, कुजा पुच्छं विअक्खणो ॥१३॥ વળી બીજું