________________
આઠમું સત્કાર દ્વારા
82
શ્રાદ્ધદિનકૃત્ય લલાટે ન લગાડવા. સ્ત્રીઓએ અંજલિર્યા વિના જ બે હાથ જોડી, મસ્તકને જરા નમાવીને “નમો જિણાણ એ પ્રમાણે બોલવું. સ્ત્રીઓ બે હાથ ઊંચા કરે તો તેમના અંગો ઉઘાડાં થાય અને કોઈકને પાપનું કારણ બને. આ ઉપરથી બેનોએ બોધપાઠ લઇને વસ્ત્રો એવાં ન પહેરવા જોઈએ એવી રીતે ન પહેરવાં જોઈએ કે જેથી અંગો ઉઘાડાં થાય. બધે આ મર્યાદા સાચવવી જોઈએ, તેમાં પણ ધર્મસ્થાનોમાં વિશેષરૂપે સાચવવી જોઈએ.
(૫) પ્રણિધાન :- પ્રણિધાન એટલે મનની એકાગ્રતા. મંદિરમાં પ્રવેશ થયા બાદ મન પરમાત્માની ભક્તિમાં રહેવું જોઈએ. પરમાત્માની ભક્તિસિવાયના કોઇ વિચારો પણ ન કરી શકાય તો પરમાત્મભક્તિસિવાયના વચન કેમ બોલી શકાય અને પ્રવૃત્તિ તો કેમ જ કરી શકાય?
આ પાંચ અભિગમો પુરુષ માટે છે. સ્ત્રી માટે ખેસ અને અંજલિ વિના ત્રણ અભિગમ છે.
રાજા માટે પાંચ અભિગમ:- રાજાએ તલવાર, છત્ર, મોજડી, મુગટ અને ચામર એ પાંચ રાજચિહ્નોને મંદિરની બહાર મૂકી દેવા જોઇએ. કારણ કે ત્રણ ભુવનના રાજા એવા દેવાધિદેવની આગળ પોતાનું રાજાપણું દર્શાવવું તે અત્યંત અવિનય છે. રાજા પોતાનું રાજપદ મૂકીને, મંત્રી પોતાનું પ્રધાનપદ મૂકીને અને શેઠ પોતાનું શ્રેષ્ઠિપદ મૂકીને મંદિરમાં પ્રવેશ કરે. પ્રભુ પાસે તો સેવક બનીને જ જવાનું હોય, સ્વામી બનીને નહિ. આનો તાત્પર્યાર્થ એ છે કે અહંકારને છોડીને મંદિરમાં જવું જોઈએ. પણ ઘણા આત્માઓ અહંકારને સાથે લઈને મંદિરમાં પ્રવેશ કરે છે. એથી કોઇ ભૂલ બતાવે તો મારું અપમાન થયું એમ માનીને ઝગડો કરે છે, ગુસ્સે થાય છે. (૪૯૫૦)
निसीहियं च काऊणं, अग्गे मज्झे तहेव य । बंधमित्ताइसंजुत्तो, करे तिन्नि पयाहिणा ॥५१॥ હવે જિનમંદિરમાં પ્રવેશની વિધિને કહે છે – નિસીહિ બોલીને બંધુ અને મિત્ર વગેરેથી યુક્ત શ્રાવક ત્રણ પ્રદક્ષિણા આપે.
૧. પહેલી નિસાહિ જિનમંદિરના અગ્રદ્વારમાં પ્રવેશતાં પહેલાં કહે. ૨. બીજી નિસાહિ જિનમંદિરમાં પ્રદક્ષિણા આપતાં પહેલાં કહે. ૩. ત્રીજી નિસાહિગભારામાં પ્રવેશતાં પહેલાં કહે.
અથવા ૧. ઘરની પ્રવૃત્તિના ત્યાગરૂપ પહેલી નિશીહિ મંદિરના અગ્રદ્વારમાં કહે. ૨. મંદિરની પ્રવૃત્તિના ત્યાગરૂપ બીજી નિશીહિ ગભારામાં પ્રવેશતાં કહે.
૩. દ્રવ્યપૂજાના ત્યાગરૂપ ત્રીજી નિસાહિચૈત્યવંદન કરતાં પહેલાં કરે. અહીં ત્રણ નિસાહિઅને ત્રણ પ્રદક્ષિણાનું ગ્રહણ કર્યું હોવાથી દશેય ત્રિકો અહીં જાણવી.
જિન દર્શન-પૂજનમાં જરૂરી દશત્રિક
(દશ વિષયોનું ત્રણ ત્રણનું જૂથ) નિસહિ, પ્રદક્ષિણા, પ્રણામ, પૂજા, અવસ્થા, દિશિત્યાગ, પ્રમાર્જન, આલંબન, મુદ્રા અને પ્રણિધાન