________________
(૪) પ્રથમ ન્યાયસૂત્રના પરામર્શ' અંતર્ગત જ્ઞાપકાદિની સમજ આપતો પ્રસ્તુત ગ્રંથનો મહત્ત્વનો લેખ તથા “લેખકના અંતરની વાત..” લખાણને તપાસી આપનાર પૂ. પં. શ્રી યશોરત્નવિજય મ. સાહેબનો હું ખૂબ જ ઋણી છું..
(૫) તદ્ધિતીયો પીવપ્રત્યયઃ સાપેક્ષાપ (૨/૩૦) ન્યાયસૂત્રના પરામર્શ - વિવેચન - અંતર્ગત ભાવ” શબ્દાર્થને સ્પષ્ટ કરતાં વિસ્તૃત લેખને તપાસી આપનાર તથા આ કાર્ય માટે ઉપઍહિત કરનાર પંડિતજી શ્રી માણેકભાઈ હરગોવનભાઈ સોનેથાનો પણ ખૂબ આભાર માનું છું.
આ ઉપરાંત પ્રસ્તુત ગ્રંથના નિર્માણ સંબંધી પાંચ વર્ષની સુદીર્ઘ એવી લેખન – સંશોધન - પ્રકાશન - યાત્રા દરમિયાન સહવર્તિ અનેક મહાત્માઓએ આ કાર્યમાં મને ઉપભ્રંડિત | પ્રોત્સાહિત કર્યો છે, શુભેચ્છાઓ પાઠવી છે અને અવસરોચિત સહાયતા કરી છે. કેટલાંના નામ લઉં ? એ સવાલ છે. તે સૌના ઉપકારોનું નમ્રભાવે સ્મરણ કરી હાર્દિક કૃતજ્ઞતા અભિવ્યક્ત કરું છું...
પ્રાંતે આ સુદીર્ઘ અને કઠણ વિષયના લખાણને ખૂબ જહેમત ઉઠાવી કંપોઝ કરાવીને છપાવવાનું કાર્ય સંપૂર્ણ રીતે કરી આપનાર અરિહંત ઓફસેટવાળા સુશ્રાવક જિતુભાઈ પી. શાહ પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.
આ ગ્રંથના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નામી - અનામી અનેક પુણ્યાત્માઓ સહર્ષ સહાયભૂત થયા છે. તે સૌનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું.
ગુરુપાદપંકજરજ - મુનિ રત્નવલ્લભવિજય
પરામર્શ' વિવેચનમાં સહાયક ગ્રન્થોની સૂચિ
(૧) કાવ્યાનુશાસન (‘અલંકાર ચૂડામણિ' અને વિવેક ટીકા..) (૨) તત્ત્વપ્રકાશિકા બૃહવૃત્તિ (૩) ધાતુપારાયણ (૪) ન્યાય ભૂમિકા (આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી કૃત) (૫) ન્યાયાથે સિંધુ તથા તરંગ ટીકા (આચાર્ય શ્રી લાવણ્યસૂરીશ્વરજી કૃત) (૬) ન્યાસસાર સમુદ્ધાર – લઘુન્યાસ. (૭) પ્રમાણનયતત્ત્વાલોક. (આચાર્યશ્રી વાદિદેવસૂરિવિરચિત) (૮) શબ્દમહાર્ણવ બૃહન્યાસ.
૪૪
=