________________
ઉપકાર , સ્વીકાર
આ ગ્રંથની રચના, સંશોધન અને પ્રકાશન આદિ કાર્યમાં અનેક મહાત્માઓએ તથા ગૃહસ્થ મહાશયોએ માર્ગદર્શન આપી, સહાયક બનીને મને ઉપકૃત કર્યો છે. તેઓના ઉપકારનું | ઋણનું સ્મરણ અત્ર અનિવાર્ય બની ગયું છે. નિમ્નોક્ત તે સૌનું સંસ્મરણ કરીને હાર્દિક કૃતજ્ઞભાવ વ્યક્ત કરું છું.
* સૌ પ્રથમ તો સિદ્ધહેમ - વ્યાકરણના રચયિતા કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને તેઓએ રચેલ વ્યાકરણને આશ્રિત ન્યાયોનો સંગ્રહ કરી તેની વિશદ ટીકા રચનાર મહોપાધ્યાયશ્રી હેમહંસગણિવર્યનો અદ્વિતીય ઉપકાર છે, જેઓ એ પૂર્વોક્ત બે ગ્રંથોની રચના કરીને વ્યાકરણના અધ્યેતાઓ ઉપર નિઃસીમ કૃપા કરી છે. જો આ વિષયમાં ગ્રંથ જ રચાયો ન હોત તો તેનું પ્રસ્તુત ભાષાંતર કે વિવેચન પણ શું થાત? ...
* મારા અનંતોપકારી ભવોદધિતારક પંન્યાસ પ્રવર ગુરુદેવશ્રી ચંદ્રશેખરવિજય મ. સાહેબ, જેમણે આ વિષયનું અધ્યયન કરાવ્યું, જેમની પ્રેરણાથી આ ગ્રંથનો પ્રારંભ થયો અને જેઓના પ્રોત્સાહન અને અવિરત કૃપાદૃષ્ટિથી આ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ તે ગુરુદેવશ્રીનો ઉપકાર જણાવવા શબ્દો વામણા પડે છે..
* આ ગ્રંથના પ્રકાશન - કાર્યમાં વિર્ય મુનિરાજશ્રી મેઘદર્શન વિજય મ. સાહેબનું અમૂલ્ય માર્ગદર્શન અને અનેકવિધ સહાયતા પ્રાપ્ત થઈ છે, જે અવિસ્મરણીય છે. ઉપરાંત મુનિરાજશ્રી જિતરક્ષિતવિજય મ. સાહેબે ગ્રંથના પ્રકાશનમાં સતત સહાયતા કરી માર્ગદર્શન આપેલ છે.
* વિહારાદિમાં મળવાનું થતા આ ગ્રંથના પ્રકાશનમાં રસ લઈને જેમણે મને ઉપયોગી માર્ગદર્શન આપ્યું અને પ્રોત્સાહિત કર્યો તે પ. પૂ. પં. શ્રી અજિતશેખર વિજય ગણિવરનો તથા પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. સાહેબનો પણ હું ઋણી છું.
પ્રથમ વાર જ આવા ગ્રંથના પ્રકાશનનો પ્રસંગ હોય પૂર્વોક્ત મહાત્માઓનો ઉપકાર આશીર્વાદ રૂપ બનેલો છે. અન્ય કેટલાંય નામી - અનામી મહાત્માઓએ આ કાર્યમાં રસ લઈ મને ઉપકૃત કર્યો છે, તે સૌનું અત્ર કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું...
પ્રસ્તુત ગ્રંથના લખાણનું સંશોધન કરી આપનાર (૧) પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ અધ્યાપન કાર્ય ચાલુ રાખીને જેમણે મને “તત્ત્વપ્રકાશિકા' બૃહદ્રવૃત્તિનું અધ્યયન કરાવ્યું અને જેમણે પ્રસ્તુત ગ્રંથગત ખૂબ કઠણ કહી શકાય એવા “પરામર્શ' વિવેચનનું સંશોધન ખૂબ સરળતાથી કરી આપ્યું એ વ્યાકરણવિશારદ વિદ્યાગુરુ સુશ્રાવક પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવીનો ઉપકાર સદેવ સ્મરણમાં રહેશે.
(૨) અનેક સાધુ - સાધ્વી ભગવંતોને અવિરત અધ્યાપન કાર્ય કરી રહેલ પંડિતજીશ્રી જગદીશભાઈ છોટાલાલ શાહ, જેમણે આ ગ્રંથની “ન્યાયાર્થમંજૂષા” અને “સ્વોપજ્ઞન્યાસ'ના ગુર્જરીનુવાદનું લખાણ તપાસી આપી તેને ગ્રંથાકારે પ્રકાશિત કરવાની ભલામણ કરી...
(૩) જેમણે આ ગ્રંથના પ્રાંતે રહેલ પ્રશસ્તિ – કાવ્યના ગુર્જરીનુવાદનું લખાણ સંશોધિત કરી આપ્યું અને પુર્વાવતી ના શ્લોકો અંગે પણ માર્ગદર્શન આપી તપાસી આપ્યા અને આ કાર્યમાં પ્રોત્સાહિત કર્યો તે પૂ. પં. શ્રી રશ્મિરત્નવિજય ગણિવરનો ઉપકાર ભૂલાશે નહીં.
= ૪૩