SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નામો સાપેક્ષ ન હોવાથી, સામર્થ્ય હોયને તન્દ્રિત પ્રત્યય થઇ જ જશે. માટે આ ન્યાયનો અહીં અવકાશ (આવશ્યકતા) જ ક્યાં છે ? સમાધાન :- ના, આ રીતે ા શબ્દથી પહેલાં તદ્ધિત ચણ્ (7) પ્રત્યય લાવીને પછી જય પદનો સંબંધ થઇ શકે નહીં. અમે તમને પૂછ્યું કે, ‘ગ્ગસ્થ' એવા રૂપમાં ળ શબ્દ (૧) ગુણવાચક છે કે (૨) ગુણાંગવાચક ? (કૃષ્ણાદિવરૂપ ગુણ છે અંગ = પ્રવૃતિનિમિત્ત જેનું તે ગુણાંગવાચક = એટલે ગુણીનો વાચકશબ્દ) જો (૧) ફ્ળ એવા વર્ણનો ભાવ, એમ ળ શબ્દ ગુણવાચક કહેશો, તો ટ્યમ્ પ્રત્યયની પ્રાપ્તિ જ નથી. કેમકે ગુણાંગવાચક = ગુણીવાચક ા વગેરે શબ્દથી તેનું વિધાન કરેલું છે. અને (૨) જો જ઼ ગુણના યોગથી જે ળ શબ્દ અર્થાત્ ગુણીવાચક ળ શબ્દ છે, તેનાથી તસ્ય પાવ: એમ કરો, તો હ્રષ્ણ શબ્દ ગુણાંગ (ગુણી) વાચક હોવાથી ખ્મસ્ય એ વિશેષણ બને, અને વિશેષણ શબ્દથી જે ષષ્ઠી આવે છે, તે વિશેષ્યવાચક ાજસ્ય શબ્દની ષષ્ઠીથી જ આવે છે, પણ અન્ય રીતે નહિ. (આ હકીકત 7 એવા પ્રકૃતિ: પ્રયોńવ્યા (૩/૧૩) ન્યાયમાં કહેવાશે.) અને તેથી પ્રથમથી જ જાજસ્ય એવું ષષ્ચન્ત વિશેષ્ય છે અને હ્રામ્ય શબ્દને તેની અપેક્ષા પણ છે, એમ અવશ્ય સ્વીકારવું જોઇએ. અને આમ સ્ય એવું પદ સાપેક્ષ હોવા છતાંય જે તદ્ધિત પ્રત્યયની ઉત્પત્તિ થાય છે, અને જોજસ્ય જામ્ । એવો પ્રયોગ થાય છે, તે આ ન્યાયના બળથી જ ઘટે છે. આથી સ્પષ્ટપણે જ આ ન્યાયનો અવકાશ છે. ૨. પુરુષાર્૰ (૭-૧-૭૦) સૂત્રમાં ન્ય શબ્દ હોવા છતાં પણ પુરુષ શબ્દથી જ કાર્યસદ્ધિ થઈ જવાથી તેની ઉપેક્ષાપૂર્વક જ મુકેલો છે. અર્થાત્ તેના ઉદાહરણાદિ આપેલ નથી. ૩. પરમપુરુષત્વમ્ । રૂપમાં પરમત્સ્ય પુરુષસ્ય ભાવ: । એ પ્રમાણે સમાસની પૂર્વ અવસ્થા છે. અને ત્યારે ‘માવ’ પદની એપક્ષાએ પરમ અને પુરુષ શબ્દથી ષષ્ઠી થઇ છે. આથી પરમ અને પુરુષ શબ્દ વચ્ચે સમાનાધિકરણપણું (એકાર્થ - બોધકત્વ) હોવાથી સન્મહત્તમોત્તમોત્કૃષ્ટ પૂનાયાર્ (૩-૧-૧૦૭) સૂત્રથી કર્મધારય સમાસની પ્રાપ્તિ છે. પરંતુ ત્વ પ્રત્યય લાવવામાં આવે ત્યારે, પ્રત્યય: પ્રત્યારે (૭-૪-૧૧૫) પરિભાષાથી ત્વ પ્રત્યય એ પુરુષ રૂપ પ્રકૃતિ સંબંધી થાય. કારણકે પુરુષ શબ્દથી જ ત્વ પ્રત્યયનું વિધાન કરેલું છે. આ રીતે પુરુષત્વ રૂપ સિદ્ધ થાય. અને પછી ‘ભાવ:' પદની અપેક્ષાએ સંબંધમાં (મસ્ય એવા) ષષ્ઠી વિભક્ત્યત પરમ શબ્દનો પુરુષત્વ એવા ત્વ પ્રત્યયાંત પુરુષ શબ્દની સાથે સામાનાધિકરણ્યનો અભાવ હોવાથી કર્મધારય સમાસની અપ્રાપ્તિ હોયને પચયનાછેલે (૩-૧-૭૬) સૂત્રથી પરમપુરુષત્વમ્ । એમ ષષ્ઠી તત્પુરુષ સમાસ જ થયો. આ જ રીતે પરમપૌરુષમ્ એવા અસાધુ રૂપની કલ્પના કરી છે, ત્યાં પણ કહેવું. કેમકે ત્વ પ્રત્યયની જેમ અહિ [ પ્રત્યય પણ પુરુષ માત્ર શબ્દ સંબંધી છે. આથી તેના જ આદિસ્વરની વૃદ્ધિ થઇ. જો અહીં પણ પરમ અને પુરુષ શબ્દના સામાનાધિકરણ્યરૂપ હેતુથી કર્મધારય સમાસ થયો હોત તો પરમપુરુષ શબ્દથી મર્પી પ્રત્યય થયે પ્રત્યય: પ્રત્યારે (૭-૪-૧૧૫) પરિભાષા વડે [ પ્રત્યય પરમપુરુષ શબ્દનો જ સંબંધી હોવાથી, તેના જ આઘ સ્વરની વૃદ્ધિ થયે, પારમપુરુષમ્ । એવું રૂપ બનાવ્યું હોત. શંકા :- પરમપૌરુષમ્ । એવું રૂપ એ અસાધુ હોવાથી તેની ચિંતા (વિચારણા) કરવી યોગ્ય નથી. : સમાધાન :- સાચી વાત છે, પણ અસાધુ રૂપમાં પણ કર્મધારય સમાસ થવાનું અને નહિ થવાનું ફળ દર્શાવવું શક્ય છે. પરમપુરુજત્વ રૂપમાં બતાવવું શક્ય નથી. આથી આ અસાધુરૂપની પણ ચિંતા કરેલી છે.(અર્થાત્ કર્મધારય કરાય તો પામપુરુષમ્ અને કર્મધારય ન થાય તો પરમપૌરુષમ્ રૂપ થાય, એમ તફાવત ૩૯૦
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy