SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨૯. ન્યા. મં..... સંવ –શઃ સાપેક્ષ નિત્યં સર્વ પ્રવર્તત ! स्वार्थवत्सा व्यपेक्षा वृत्तावपि न हीयते ॥ १ ॥ અર્થ - નિત્ય સાપેક્ષ (નિત્ય સંબંધી = સાકાંક્ષ) એવા સર્વ સંબંધિ શબ્દો સમાસ પામે છે. કારણકે સ્વાર્થ માત્રને જણાવનારી નિત્ય સાપેક્ષ - પદોની વાક્યાવસ્થામાં જેમ પરસ્પર - આકાંક્ષારૂપ વ્યપેક્ષા હોય છે, તેમ વૃત્તિ = સમાસમાં પણ તે વ્યાપેક્ષા = પરસ્પરાકાંક્ષા વ્યાઘાત પામતી નથી. કિંતુ, તે વ્યપેક્ષા, સમાસમાં પણ કાયમ બની રહે છે. માટે જ - વૃત્તિમાં | સમાસમાં વ્યાપેક્ષાનો વ્યાઘાત ન થવાથી જ રેવદ્રત્તી પુરુતમ્ | વગેરે પ્રયોગોમાં સમાસ થવા છતાંય, નિત્ય સાપેક્ષ ગુરુ વગેરે શબ્દની સેવા વગેરે સંબંધી આકાંક્ષા જણાઈ જતી હોવાથી ગમકત્વ છે. અને ગમત્વ હોવાથી સામર્થ્ય પણ હોયને સમાસ થવામાં બાધ આવતો નથી. આ પ્રમાણે આ ન્યાયની અનિત્યતાનું જે ઉદાહરણ – દેવદ્રત્તસ્થ તામાર્યા, ત્યાં પણ ટાલ પદ એ સ્વામિ - વાચકપદને નિત્ય સાપેક્ષ હોયને જ, ત્યાં સાપેક્ષ હોવામાં પણ સમાસ થાય છે. પણ અન્યત્ર તો સાપેક્ષમસમર્થમ્ | ન્યાયથી સાપેક્ષપદ, અગમક હોયને અસમર્થ હોવાથી સમાસ ન થાય. વળી, અગ્રિમ ન્યાય પ્રધાન) તું સાપેક્ષત્રેડપ સમાસ: I એ આ ન્યાયનો અપવાદ હોયને તેનું ઉદાહરણ પણ આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ બની શકે છે. જેમકે, ઇનપુરુષોડતિ ટર્શનીયઃ | અહિ પુરુષ પદ ર્શનીય પદને સાપેક્ષ હોવા છતાંય સમાસ પામેલો છે. અને આ રીતે તો દરેક અપવાદ (બાધક) ન્યાયોના ઉદાહરણો બાધ્ય | ઉત્સર્ગ ન્યાયોની અનિત્યતાના ઉદાહરણ બની શકશે' - એવો નિયમ બની શકે છે . એવો અમારો અભિપ્રાય છે. આ અંગે વિદ્વજનોએ વિચારવું. (૨/૨૮): ८६. प्रधानस्य तु सापेक्षत्वेऽपि समासः ॥ २/२९ ॥ ન્યાયાઈ મંષા, ન્યાયાર્થ :- જે પદનો ક્રિયાપદ સાથે સમાનાધિકરણ રૂપે પ્રયોગ થાય તે પ્રધાન પદ કહેવાય. (અર્થાત્ ક્રિયાપદ વડે કહેવાતો અર્થ જ જે પદવડે કહેવાય તે પદ ક્રિયાપદને સમાનાધિકરણ હોયને પ્રધાન કહેવાય.) A. આવું પ્રધાનપદ અન્યપદને સાપેક્ષ હોય તો પણ તેનો સમાસ થાય છે. પ્રિયોજન છેલ્લે કહેવાશે.) ' ઉદાહરણ :- નપુરૂષોડતિ ટર્શનીયઃ | વગેરે પ્રયોગોમાં સમાસ થવાની પૂર્વાવસ્થામાં (: પુરુષોડતિ ટુર્ણય: I એમ) પુરુષ શબ્દ એ પોતાના વિશેષણભૂત વર્શનીય શબ્દને સાપેક્ષ હોવા છતાંય નન્ શબ્દ સાથે તેનો તપુરુષ સમાસ થયો. જે પુરુષત્વનું અધિકરણ (પુરુષ) છે, તે જ અતિ એવા ક્રિયાપદના અર્થ - સત્તારૂપ ક્રિયાનું અધિકરણ છે. આથી પુરુષ પદાર્થ અને | ક્રિયાપદાર્થ = સત્તાનું એક (સમાન) જ અધિકરણ હોવાથી પુરુષ શબ્દ પ્રધાન છે. આથી આ ન્યાયથી તેનો સમાસ થયો. (ટૂંકમાં પ્રકૃતિ ક્રિયાપદથી જે અભિહિત થાય - કહેવાય - તે પ્રધાન પદ કહેવાય.) = ૩૮૧ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy