________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ભાગ બને છે. એ પ્રમાણે નિયમન કરાય છે અને માટે ટીકામાં નામ: પદનો અર્થ “નામ્યન્તધાતુ સંબંધી’ એવો અર્થ કરાશે.
વળી પ્રસ્તુત પ્રત્યય એ વિશેષણ (અવયવ) રૂપ લેવાનો છે. અને પ્રત્યયઃ પ્રત્યારે (૭-૪-૧૧૫) પરિભાષાવડે વિશેષથી નિયમ કરેલો છે કે, પ્રત્યય એ પોતાની જે પ્રકૃતિ (જેનાથી તે પ્રત્યયનું વિધાન કરેલું હોય તે પ્રકૃતિ) વગેરે પ્રકૃતિ પ્રત્યયરૂપ) સમુદાયનું વિશેષણ (અંતિમ અવયવ) જાણવું. પણ પ્રકૃતિપ્રત્યયરૂપ સમુદાયથી ન્યૂન કે અધિક અંશનું વિશેષણ ન બને. અને આથી પ્રસ્તુતમાં, સૂત્રમાં કેવળ પ્રત્યયના ગ્રહણથી ઉક્ત પરિભાષાથી તે પ્રત્યયાત એવા પ્રકૃતિ - પ્રત્યય સમુદાયના ગ્રહણની પ્રાપ્તિ છે. પણ સંજ્ઞાસૂત્રોમાં અને ઉત્તરપદવિધિ - અધિકારમાં પ્રત્યય ગ્રહણથી પ્રકૃતિ - પ્રત્યયસમુદાયનું ગ્રહણ ઇષ્ટ નથી, પણ કેવળ પ્રત્યયનું જ ગ્રહણ ઇષ્ટ છે. આથી પ્રત્યયના ગ્રહણથી પ્રકૃતિ પ્રત્યય - સમુદાયનું ગ્રહણ જે પ્રાપ્ત છે - તેનો નિષેધ કરવો તે આ ન્યાયનું પ્રયોજન છે.
આમ આ ન્યાય વિશેષમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષાનો અપવાદ છે, એમ માનવું જોઈએ.' * પરામર્શ - c. “યથાકથંચિત્ અનિત્યતા બતાવી છે,' એવું ગ્રંથકારશ્રી હેમહંસગણિજીનું વિધાન સૂચવે છે કે, સિદ્ધાર્થ (૭-૪-૨૯) સૂત્રમાં રૂનું પ્રત્યયાતનું ગ્રહણ એ આ ન્યાયની અનિત્યતાનું તાત્ત્વિક રીતે ઉદાહરણ બની શકતું નથી. આ વાતનો પૂર્વોક્ત રીતે ગ્રંથકારે સ્વયં સ્વીકાર કરેલો જણાય છે, તો પણ અસંભવ હોવાથી કે અન્ય કારણથી પ્રત્યયનું ગ્રહણ થયે પ્રત્યયાતનું ગ્રહણ થવાથી “પ્રત્યયના ગ્રહણમાં – પ્રત્યયનું જ ગ્રહણ થાય, પ્રત્યયાંતનું નહિ” એવા આ ન્યાયના અવધારણ (જકાર, નિત્યતા) નો સ્વરૂપથી તો ભંગ થયો જ ગણાય. એટલે સ્વરૂપ માત્રથી સ્કૂલરૂપે અહિ અનિત્યતા કહેલી છે, એમ જાણવું.
આથી જ અન્ય વિદ્વાનોએ આની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, અનિત્યત્વ એ ક્વચિત્ કોઈ સ્થળે ન્યાયની અપ્રવૃત્તિરૂપ જ છે. ભલે પછી તે અપ્રવૃત્તિરૂપ અનિત્યત્વ, અસંભવ હોવાથી થતું હોય કે બીજા કોઇ કારણથી થતું હોય. વસ્તુતઃ તો અસંભવ પણ ન્યાયની અનિત્યતાના જ્ઞાપકરૂપે સ્વીકારી શકાય જ છે, આથી પૂર્વોક્તરીતે અનિત્યતા માનવામાં કોઈ બાધ નથી, એમ તેઓનું કહેવું છે.
આ પ્રમાણે વિત્યનવ્યયાડરુષો મોડનો દૂર્વા (૩-૨-૧૧૧) તથા તપુરુષે કૃતિ (૩-૨-૨૦) વગેરે સૂત્રોમાં વિ અને વૃત્ પ્રહણથી ક્રમશઃ વત્ પ્રત્યયાત અને કૃદન્તનું ગ્રહણ વગેરે પણ આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ સમજવા.
ટૂંકમાં, ગ્રંથકારે સ્વયં પ્રથમ ન્યાયના ન્યાસમાં આવા સ્થળે અતાત્ત્વિક છતાં વ્યાવહારિક કહી શકાય એવા ઉદાહરણો અપાશે અને સ્થાન ખાલી ન રહે એ માટે તેવા ઉદા. આપવાનો પ્રયાસ કરેલો છે – એવા ભાવનો જે ખુલાસો કરેલો છે - તે અહિ વિચારવો. જુઓ “કંઈક... ધ્યાનમાં રાખવા જેવું વિભાગ-પૃ ૧૩૦. (૨/૧૭). | शब्दानामेव सा शक्तिस्तों य : पुरुषाश्रय : । स शब्दानुगतो न्यायोऽनागमेष्वनिबन्धन : ॥ १५३ ॥ (वा. पदी.)
જે પુરુષનિષ્ઠ પુરુષમાં રહેલ) તર્ક (અર્થ, પ્રકરણ, લિંગ વગેરે ન્યાયોથી પ્રમાણભૂત માનવામાં આવેલ - અનુમાન) છે, તે તો શબ્દની જ શક્તિ છે. જેમનામાં આગમ (વ્યવસ્થા) નથી તેઓમાં શબ્દ (શક્તિ) વડે સ્થાપિત થયેલો ન્યાય (તક) પ્રમાણભૂત નથી. (અર્થાત્ આગમ વ્યવસ્થા વિનાના - આગમને નહીં માનનારા હોયને જેઓ આગમથી અપ્રાપ્ત તર્ક કરે છે તે શબ્દ - મૂળ વિનાનો હોયને અપ્રમાણભૂત છે. આમ જે તર્ક શબ્દ શક્તિથી પ્રાપ્ત થતો નથી પરંતુ પદાર્થોના સાધર્મ - વૈધર્મને અનુસરે છે તે આગમનો નાશ કરતો હોવાથી પ્રમાણભૂત નથી તેને શુષ્ક તર્ક કહેવાય.)
= ૩૪૨