________________
કરાય તો તેમાં વાંધો નથી.
સૂત્રાર્થને અનુરૂપ સૂત્રોના ઉદાહરણની અને પ્રત્યુદાહરણની પણ કલ્પના | વિચારણા કરી શકાય. કેમકે સૂત્રગત પદોની સાર્થકતા જણાવવા જ નાની | મોટી ટીકામાં યથાયોગ્ય તૃતીય તિ fમ્ ? પાન્ત રૂત્યેવ ? પશ્ચમ તિ વિમ્ ? ઈત્યાદિ પ્રશ્નો કરીને તેના પ્રત્યુદાહરણો આપેલાં છે. છેવટે ચોક્કસ ઉદા. - પ્રત્યુદા. નક્કી કરવા ટીકાનો આશ્રય લેવામાં કોઈ દોષ નથી. પણ સુદીર્ઘ ટીકા ગોખવા છતાં ય કાળાન્તરે સૂત્રો જ યાદ રહે છે, ટીકા વિત થઈ જાય છે. આથી જ સૂત્રો ઉપરથી - દિગદર્શન માત્ર રૂપે ઉપદર્શિત પદ્ધતિથી - સૂત્રાર્થનો નિર્ણય કરવાનો અભ્યાસ કરવાથી ફક્ત સૂત્રો જ અને બહુ બહુ તો ઉદાહરણ | પ્રત્યુદાહરણો જ યાદ રાખવાની આવશ્યકતા રહે. આ રીતે વ્યાકરણ અધ્યયન સરળ બનવાથી રસપ્રદ બનશે.
વ્યાકરણ વિષયમાં ભલે વૈરાગ્ય ન હોય પણ પૂર્વે કહ્યું તેમ અનેક વૈરાગ્ય – પોષક ગ્રંથોનો તાગ પામવાની હથોટી વ્યાકરણથી આવે છે એ વિચાર જરૂર ઉત્સાહ વર્ધક બનશે. વળી આ વિષયમાં પણ મેધાવી અને સ્વાધ્યાય રસિકોને પ્રક્રિયાની | રૂપસિદ્ધિની વિચારણા જરૂર રૂચિકર બને છે. છેલ્લાં કેટલાંય દાયકાઓમાં ફક્ત બે – ત્રણ જ મહાત્માઓએ આ વ્યાકરણની આખી ય તત્ત્વપ્રકાશિકા બૃહવૃત્તિ કંઠસ્થ કરેલી એવું જાણવા મળે છે. આવા સંજોગોમાં મધ્યમ ક્ષયોપશમવાળા છતાં તેજસ્વી વિચારશક્તિવાળા આત્માઓ માટે ખૂબ ઉપયોગી હોવાથી બહુવિધ પ્રતિભાશાળી પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખ પૂર્વોક્ત સૂત્ર - પ્રધાન અધ્યયન - પદ્ધતિના વિકાસક અને હિમાયતી હતા. આનો બોધ મારા વિદ્યાગુરુ અને પોતાના બહોળા અનુભવથી કંઈક ભાવિત કરનાર વયોવૃદ્ધ. પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી પાસેથી થયો. આથી અન્ય - અભ્યાસુઓની જાણ માટે અહીં પ્રસ્તુત કર્યો તે અસ્થાને નહીં ગણાય એમ માનું છું.
ઉપસંહાર
અહીં જે કાંઈ પણ પ્રાસ્તાવિક લખાણ કર્યું છે, તે ક્યાં તો અનુભવી વિદ્યાગુરુ પંડિતજી અથવા તો પૂજયપાદ ગુરુદેવશ્રી પાસેથી મેળવીને અને મારા અનુભવના આધારે મેં લખેલું છે. આ ગ્રંથને તૈયાર કરવા દ્વારા જો કે ગુર્વાજ્ઞાપાલન અને તે દ્વારા કર્મનિર્જરા રૂપ સ્વાર્થ તો કિંચિત, સાધ્યો જ છે. એટલે બીજી કોઈ અપેક્ષા - વિશેષ રાખવાની આવશ્યકતા જ નથી. છતાં ય આ કાર્ય પાછળ સ્વાર્થની સાથે પરાર્થની પણ ભાવના જોડાયેલી છે. અને આથી જ મને લાગે છે કે વર્ષો સુધી અનેક આત્માઓ આ સવિવેચન ગુર્જરાનુવાદ ગ્રંથના સહાયથી પ્રસ્તુત ગ્રંથના અધ્યયન | અધ્યાપનની પરંપરા ચાલુ રાખવા દ્વારા મારા આ પરિશ્રમને સાર્થક કરશે અને એ દ્વારા પૂર્વ મહાપુરુષોએ આ વિષયના અધ્યયન - અધ્યાપનના જે દીપકને જળહળતો રાખવા તેલ અને દીવેટનું કામ કરેલું છે, તે દીપકને જલતો રાખવા ૧ ટીપું તેલ મારા પરિશ્રમનું પણ જાય તો હું ખૂબ ધન્યતા અનુભવીશ.
પ્રાન્ત, એક પણ આત્મા આ સમસ્ત ગ્રંથનું ઉંડાણથી અધ્યયન કરવા દ્વારા આ વિષયમાં નિપુણતા મેળવશે તો પણ હું મારા આ પરિશ્રમને સાર્થક સમજીશ. અને બૃહવૃત્તિ અને બૃહન્યાસમાં (જે થોડો પણ ઉપલબ્ધ થાય છે, તેમાં) પડેલાં અનેક પદાર્થરત્નો અને રહસ્યોને એકત્રિત કરી, સુંદર સંકલન કરીને તેને પ્રકાશિત કરવા પ્રેરાશે અથવા તો બૃહવૃત્તિ અને ન્યાસમાં સ્થાને - સ્થાને, સૂત્ર - સૂત્રે ઉપયોગમાં લેવાયેલાં, ચર્ચાયેલાં અથવા નિર્દેશ કરેલાં ન્યાયોનો સંગ્રહ કરી પ્રકાશિત થાય, એવું
= ૨૬