________________
૧/૧૭. ન્યા. મં.... અને પરામર્શ....
સંભવતી નથી. અને તેવા ઘણા અનેકસ્વરી - અનુસ્વારેત્ (અનુસ્વાર અનુબંધવાળા) ધાતુઓ ત્યારે જ સંભવે કે જો વગેરે ધાતુઓને યલૢબન્ત બનાવીને આ ન્યાયનું સ્ફુરણ (સ્મરણ અથવા પ્રવૃત્તિ) કરવામાં આવે.
તે આ રીતે - ૢ ધાતુને યલૢબત્ત બનાવવાથી ઘ એવું રૂપ થવાથી તે અનેકસ્વરી થાય છે. અહિ આ ન્યાયનું સ્ફુરણ (પ્રવૃત્તિ) કરવાથી, એટલે કે પ્રકૃતિનું ગ્રહણ થયે યક્ લુબન્ત ધાતુનું પણ ગ્રહણ થવાથી, હ્ર ધાતુનું ગ્રહણ થતાં ચ ધાતુનું પણ ગ્રહણ થવાથી, વ અનુસ્વારેત્ પણ થશે. અને આ પ્રમાણે પરિતા । વગેરે રૂપોમાં અને અવધીત્ । વગેરે રૂપોમાં પણ રૂટ્ નિષેધની નિવૃત્તિ માટે (અર્થાત્ ર્ ની પ્રાપ્તિ માટે) ‘સ્વરાવનુસ્વારેત:'' એ પ્રમાણે કરેલી બૃહસૂત્રની રચના સાર્થક થાય A.
આ પ્રમાણે આ ન્યાય વિના અનેકસ્વરી એવા અનુસ્વાર અનુબંધવાળા ધાતુઓની બહુલતા / પ્રચુરતા ઘટમાન = સંગત થતી ન હોવાથી, અને તેવા ધાતુઓની બહુલતા વિના સ્વરાવનુસ્વારેત: (૪-૪-૫૬) એવું બૃહસૂત્ર કરવું અઘટમાન / નિરર્થક બની જતું હોયને, આવા બૃહસૂત્રની રચના પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપન કરે છે. અર્થાત્ આ ન્યાયથી આવા બૃહસૂત્રની સાર્થકતા સંભવતી હોયને તે આ ન્યાયને જણાવે છે.
અનિત્ય છે. કારણ કે અગ્રિમ ન્યાયવડે કહેવતાં (૧/૧૭)
પરામર્શ
-
અનિત્યતા : આ ન્યાય ચટુલ અપવાદનો વિષય આ ન્યાય બને છે.
=
A. કહેવાનો આશય એ છે કે, સ્વાત્ એવા વિશેષણથી આ ન્યાયથી સિદ્ધ થતાં ઘણા અનેકસ્વ૨ી એવા અનુસ્વêત્ ધાતુઓનો વ્યવચ્છેદ = બાદબાકી = નિષેધ થતો હોયને તેવું વિશેષણ સાર્થક છે. આથી અનેકસ્વરી એવા અનુસ્વારેત્ વગેરે યલૢબત્ત ધાતુઓથી અને વધ ધાતુથી સ,િ તાવિ પ્રત્યયની આદિમાં ર્ આગમનો નિષેધ થશે નહિ, પણ રૂટ આગમ જ થશે. ફક્ત એકસ્વરી અને અનુસ્વારેત્ એવા વગેરે શુદ્ધ ધાતુઓથી જ સાવિ, તાવિ પ્રત્યયોની પૂર્વમાં સ્ નો નિષેધ થશે. આ પ્રમાણે અનેકસ્વરી અને અનુસ્વારેત્ એવા વગેરે અનેક યલૢબન્ત ધાતુઓથી ર્ આગમના નિષેધની નિવૃત્તિ માટે સ્વરાવનુસ્વારેત: એવું બૃહસૂત્ર કરવું અનિવાર્ય હોયને સાર્થક છે. (૧/૧૭)
शक्तिग्रहं व्याकरणोपमानकोषाप्तवाक्याद् व्यवहारतश्च ।
वाक्यस्य शेषाद् विवृतेर्वदन्ति सान्निध्यतः सिद्धपदस्य वृद्धाः ॥ १ ॥
(૧) વ્યાકરણથી (૨) ઉપમાનથી (૩) શબ્દ કોષથી (૪) આપ્તવાક્યથી (૫) વ્યવહારથી (૬) વાક્યના શેષ ભાગથી (૭) વિવરણથી અને (૮) પ્રસિદ્ધ પદના સાન્નિધ્યથી શબ્દમાં રહેલ શક્તિનું (અમુક અર્થનો બોધ કરાવવાના સામર્થ્ય વિશેષનું અથવા સંબંધ વિશેષનું) જ્ઞાન થાય છે. એટલે કે - અમુક પદ અમુક અર્થને જણાવે છે - એવું જ્ઞાન થાય છે, એમ વૃદ્ધપુરુષો કહે છે. (૧)
પદની શક્તિનું જ્ઞાન થવાથી જ વાસ્તવિક પદાર્થનો બોધ (શાબ્દ બોધ) થાય છે. શક્તિ ગ્રહ (શક્તિ જ્ઞાન)ના પૂર્વોક્ત આઠેય હેતુઓમાં વ્યાકરણ - એ પ્રધાન હેતુ છે. આથી જ કદાચ શ્લોકમાં તેને પહેલું સ્થાન આપેલું છે...
૧૯૧