________________
(૧) સામાન્યતઃ સિદ્ધહેમ - વ્યાકરણની લઘુવૃત્તિનો અભ્યાસ થઈ ગયા બાદ આ ગ્રંથનો અભ્યાસ કરવો ઉચિત છે. કેમકે લઘુવૃત્તિથી સૂત્રનો પરિચય થઈ ગયા બાદ - તે તે સૂત્રોના વિશેષ અર્થ, પ્રયોજનાદિનો બોધ તથા રૂપોની સાધનિકાની પ્રક્રિયા - આ ન્યાયોનો અભ્યાસ કરવા દ્વારા - સરળતાથી સમજી શકાશે.
(૨) પ્રસ્તુત ગ્રંથમાં પણ પહેલાં મૂળ ગ્રંથ આપેલો છે. અભ્યાસુએ પહેલાં મૂળ ગ્રંથ જ વાંચવો જોઈએ. એમાં સરળતા રહે એ માટે જ મૂળ ગ્રંથ શરૂઆતમાં અખંડ રૂપે અલગ આપેલો છે.
(૩) ત્યારબાદ ત્રણ વિભાગ ગુર્જરભાષામાં છે. આ ત્રણેય વિભાગોમાં સૌથી વધુ મુખ્યતા અને મહત્ત્વ ન્યાયાર્થમંજૂષાના ભાષાંતરનું છે. માટે પહેલાં એનો જ સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ વિશેષ બોધ માટે અને સંદેહાસ્પદ સ્થળોને સ્પષ્ટ કરવા માટે “સ્વપજ્ઞ - ન્યાસ' ના ભાષાંતરનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. આનાથી ન્યાયાર્થમંજૂષાનો વિશદ બોધ થશે.
(૪) પૂર્વોક્ત બન્ને વિભાગનો બરોબર અભ્યાસ થયા બાદ જ “પરામર્શ' વિવેચનનો અભ્યાસ કરવો ઉચિત છે. જેમને પૂર્વના બે વિભાગો બરોબર સમજાઈ ગયો છે અને પછી પણ ઉંડાણમાં ઉતરવા માંગતા હોય અથવા ન્યાયોના કે બૃહદ્રવૃત્તિ આદિના કેટલાંક પદાર્થોનો વિશેષ બોધ કરવાની જિજ્ઞાસા હોય તેમણે અવશ્ય “પરામર્શ' વિવેચન વાંચવું. ક્રમશઃ આ વિવરણ વાંચવાથી અવશ્ય વિશેષ બોધ થશે.
(૫) જ્ઞાપક શું છે? એનાથી ન્યાયોનું જ્ઞાપન કેવી રીતે થાય છે? એ હકીકત પહેલાં જાણવી આવશ્યક છે. આ માટે પ્રથમ ન્યાયનું “પરામર્શ' વિવેચન ખાસ ધ્યાનથી વાંચી લેવું.
(૬) કેટલાંક ન્યાયોના ઉદાહરણો અથવા અનિત્યતાના ઉદાહરણો એકદમ સચોટ નથી. તો પણ વ્યવહાર દષ્ટિએ તે ઘટી શકે છે. આની સ્પષ્ટતા સ્વયં ગ્રંથકારે કરી છે. આથી તે અંગે શંકા કરવી ન જોઈએ. આ હકીકતને વિસ્તારથી જાણવા “કંઈક.. ધ્યાનમાં રાખવા જેવું પૃ. ૧૩૦ મથાળા હેઠળનું લખાણ સારી રીતે વાંચી લેવું જોઈએ.
(૭) ન્યાયોના ઉદાહરણાદિના સ્મરણથી તે ન્યાયની ઉપયોગિતા વગેરેનું પણ સ્મરણ થઈ આવે છે. આથી આ તમામ ન્યાયોના ઉદાહરણ, જ્ઞાપક, અનિત્યતાના ઉદાહરણ | જ્ઞાપક, વિશેષતા વગેરેની સંક્ષિપ્ત માહિતી માટે કોષ્ટક | યંત્ર રૂપે પરિશિષ્ટ - ૧ આપેલું છે. ગ્રંથના પદાર્થોના સરળ - સ્મરણ માટે આનો ખાસ ઉપયોગ કરવા યોગ્ય છે.
શું વ્યાકરણ વ્યાધિકરણ છે ? વ્યાકરણ એ વ્યાધિકરણ છે. વ્યાકરણ એક નીરસ, ક્લિષ્ટ અને સુદીર્ઘ વિષય હોયને ઘણી વખત આનું અધ્યયન કંટાળાજનક (વ્યાધિકરણ) બનતું હોવાથી અને પ્રવેશિકા - મધ્યમા વગેરે બુકો (સંસ્કૃત પાઠ્ય પુસ્તકો) થી જ સંસ્કૃત ભાષાનો જરૂરી બોધ થઈ જવાથી આ વિષયનું અધ્યયન ન કરવું જોઈએ.” – એવો પણ અભિપ્રાય પ્રવર્તે છે. જો ખરેખર કંટાળાજનક બનીને નિરુત્સાહતા પૈદા થતી હોય તો તે અપેક્ષાએ વાત સાચી છે. પણ જો પૂર્વોક્ત વાત આગળ કરીને આના અધ્યયનની ઉપેક્ષા થશે તો કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ આદિ મહાપુરુષો વડે અથાક પરિશ્રમ કરીને રચેલું વ્યાકરણ અંગેનું સાહિત્ય | શ્રુત નાશ નહીં પામે ? ધીમે ધીમે વ્યાકરણની આવશ્યકતા ઘટતી જવાથી તે સાહિત્ય લુપ્ત નહીં બને ? આ સાહિત્યની રક્ષા તો એનું અધ્યયન
= ૨૧ =