________________
'
ઉષ્કૃત કરેલાં જણાય છે. આ લઘુન્યાસ પણ પ્રાયઃ બૃહન્યાસમાંથી જ ઉદ્ધૃત હોયને પ્રમાણભૂત છે. આમાં બીજા વક્ષસ્કારના ૬૫ ન્યાયોની પણ પ્રથમ ૫૭ ન્યાયો જેટલી જ મહત્તા / ઉપયોગિતા સ્વીકારવી જોઈએ. હા, છેલ્લાં ૧૯ ન્યાયો પ્રાયઃ જ્ઞાપકાદિ રહિત તથા અવ્યાપક હોયને તેનું પૂર્વ ન્યાયો જેટલું મહત્ત્વ નથી, એ વાતનો તો સ્વયં ગ્રંથકારે પણ સ્વીકાર કરેલો છે. આ પ્રમાણે આ તમામ ન્યાયો સિદ્ધહેમ વ્યાકરણ શાસ્રમાં ઉપયુક્ત હોયને તે ન્યાયો કલ્પિત કે પ્રક્ષિપ્ત હોવાની કલ્પના કરવી ન જોઈએ.
બીજું કે, ગ્રહળવતા નાના 7 તખ્તવિધિ: (૨/૧૮) ન્યાયની ‘ન્યાયાર્થમંજૂષા' ટીકામાં નિર્દિષ્ટ પ્રજીવતા નાના 7 તલાિિવધિ: (૨/૧૮) ન્યાયની ટીકાને અંતે ગ્રંથકાર શ્રી હેમહંસગણિજી એ કહ્યું છે કે, ‘‘પરં તસ્ય ચાયત્વે સૂત્રપાત: સાક્ષાત્ પિ મૈં વૃષ્ટઃ ।'' આ ન્યાયનો આવો સૂત્રપાઠ સાક્ષાત્ ક્યાંય પણ જોવામાં આવ્યો નથી. માટે અમે આનો જુદો નિર્દેશ કરેલો નથી. આ વિધાન એવું સૂચન કરે છે કે, શેષ ન્યાયોનો સૂત્રપાઠ તેઓને દૃષ્ટિગોચર થયો હશે. અન્યથા તે તે ઠેકાણે પણ આવો ખુલાસો કરત. તે વખતે કેટલું અધિક સાહિત્ય ઉપલબ્ધ હશે એ તો જ્ઞાની જાણે, કિંતુ, વર્તમાનમાં વ્યાકરણ અંગેનું જે સાહિત્ય પ્રાપ્ત થાય છે, તેમાં પણ કેટલાંક અપવાદ છોડીને પૂર્વોક્ત તમામ ન્યાય મળી આવે છે. કયો ન્યાય ક્યાં નિર્દિષ્ટ છે, એના કેટલાંક સંદર્ભો અમે પરામર્શ - વિવેચનમાં - ન્યાયો મૌલિક હોવાની (મૂલ - ગ્રંથાધારિત હોવાની) અધ્યેતાઓને પ્રતીતિ થાય એ માટે - પ્રસંગતઃ આપેલાં છે. પ્રાપ્ત સર્વ ન્યાયોના સ્થાનો / આધારો શોધીને તેનું સૂચિ - પત્ર તૈયાર કરવું એ ભાવિમાં કોઈ સંશોધકનો વિષય જરૂર બની શકે...
ગ્રંથકાર શ્રી હેમહંસગણિવર્યે ખરેખર સિદ્ધહેમ વ્યાકરણના સાહિત્યનો ખૂબ ઉંડાણથી અભ્યાસ કરીને આ ટીકા ખૂબ જ ધારાવાહી શૈલીમાં રચી છે અને તે નિશંક અને સચોટ છે. તેઓએ પ્રશસ્તિ કાવ્યમાં કરેલું “સિદ્ધહેમ વ્યાકરણનું મહાસાગરની જેમ વિલોડણ કરીને આ ન્યાયાર્થમંજૂષા સંપૂર્ણ ભરાય એટલાં સાચા ન્યાયરત્નો એકઠાં કર્યા છે.” એ વિધાન સાર્થક છે.
આ ‘ન્યાયસંગ્રહ' ની ‘ન્યાયાર્થમંજૂષા' ટીકા ખૂબ જ પદ્ધતિસરની છે. તેમાં સૌ પ્રથમ (૧) અધ્યાહ્નત (શેષ) પદના નિર્દેશપૂર્વક ન્યાયાર્થ કહેલો છે. પછી (૨) પ્રયોજન (૩) ઉદાહરણ (૪) શાપક (૫) અનિત્યતાનું ઉદાહરણ અને (૬) અનિત્યતાનું જ્ઞાપક. અને (૭) અંતે કંઈક વિશેષતા હોય તે જણાવી છે. અર્થાત્ અન્ય સૂત્રાદિ સાથે સંબંધ આદિ હકીકત છેલ્લે આપેલી છે. કેટલાંક અપવાદ છોડીને આ જ ક્રમ સર્વત્ર છે.
ગ્રંથકારની વિશેષતા એ છે કે તેમણે ન્યાયનું જ્ઞાપક અને અનિત્યતા જણાવવા માટે મોટે ભાગે દરેક ન્યાયમાં જુદાં જુદાં પર્યાય શબ્દોનો પ્રયોગ કરેલો છે. આ શબ્દોની એક સૂચિ પાછળ પરિશિષ્ટ - ૩ તરીકે આપવામાં આવી છે, જેથી તેઓની વિદ્વત્તા અને ગ્રંથરચનાની કુશળતાની ઝાંખી થાય છે. પ્રકાશિત થતાં પ્રસ્તુત ગ્રંથ વિષે કંઈક...
આ ગુર્જર - ભાષાંતર રૂપે પ્રગટ થતાં ન્યાય સંગ્રહ' ગ્રંથમાં સૌથી પહેલાં સળંગ મૂળ સટીક ‘ન્યાયસંગ્રહ' ગ્રંથ આપેલો છે. ત્યારબાદ તેનું ભાષાંતર આપેલું છે. અર્થાત્ મૂળ ગ્રંથ અને
ભાષાંતર લગોલગ આપેલાં નથી. આનું કારણ એ છે કે પહેલાં મૂળ ગ્રંથનો જ અભ્યાસ ભણનારે કરવો
જોઈએ. અને પછી ભાષાંતરનો આશ્રય કરવો જોઈએ. મૂળ અને ભાષાંતર જુદા વિભાગમાં આપવાથી
૧૯
-