________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. દીધો છે. તેથી અતાત્ત્વિક એવા પણ અનિત્યતાના ઉદાહરણ વગેરે આપવા તે ગ્રંથકારના દોષરૂપે જોવા ન જોઈએ. કારણ કે તેઓ સ્વયં તે તે અનિત્યતાના ઉદાહરણાદિની અવાસ્તવિકતા જાણ્યા પછી પણ જે તેઓએ તે અનિત્યતાના ઉદાહરણાદિ દર્શાવવાનો પ્રયાસ કરેલો છે - તેમાં ગ્રંથકારની વિવફા જ કામ કરે છે. અર્થાત્ વ્યવહારથી પણ જો કોઈ અનિત્યતાનું ઉદાહરણ કે જ્ઞાપક મળતું હોય તો તે બતાવવાની ગ્રંથકારની ઈચ્છા હોયને તેઓએ તે બતાવ્યા છે. આમાં શિષ્ય (ભણનાર) ની બુદ્ધિની વિશદતા - વિકાસ માટે પણ આવા વ્યવહાર - દષ્ટિથી ઉદાહરણાદિ આપવાનો આશય હોઈ શકે છે.
એટલે આવા અનિત્યતાના ઉદાહરણો - તાત્ત્વિક નથી, અતાત્ત્વિક છે વગેરે શંકાઓ કરવી, ઉચિત નથી. સ્વયં ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ સ્પષ્ટ જણાવી જ દીધું છે કે, કેટલાંક અનિત્યતાના ઉદાહરણાદિ એકદમ - તાત્ત્વિક નથી. પરંતુ તે તે અનિત્યતાના ઉદાહરણાદિને - વ્યાવહારિક દૃષ્ટિથી = શૂલદષ્ટિથી તે તે સ્થળે અન્ય કોઈપણ કારણસર ન્યાયની પ્રવૃત્તિનું ફળ ન દેખાતાં, ન્યાયની અનિત્યતાદિરૂપે દર્શાવ્યા છે. તે તે ન્યાયોની અનિત્યતાના ઉદાહરણાદિનું સ્થાન ખાલી ન રહે તે માટે - વ્યવહાર - દષ્ટિથી જ ઘટી શકે એવા પણ ન્યાયની અનિત્યતાદિના ઉદાહરણાદિ આપેલાં છે. સ્યાદ્વાદ (જૈન) – દર્શન તો નિશ્ચય અને વ્યવહાર બન્ને ય નય (અપેક્ષા) નો સ્વીકાર કરે છે. આથી સ્યાદ્વાદ - સિદ્ધાંતથી પરિભાવિત થયેલી મતિવાળા વિદ્વજ્જનોએ ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ કરેલી ઉપર્યુક્ત સ્પષ્ટતાને = સમાધાનને બરોબર સમજીને તેવા વ્યાવહારિક ઉદાહરણાદિ અંગે ન્યાયાર્થમંજૂષા - ગ્રંથકારશ્રીનો આશય જાણીને શંકા - કુશંકા કરવી નહિ. બલ્ક, આ પૂર્વોક્ત સમાધાન કરવાના પ્રયાસમાં પણ વૃત્તિકારશ્રીની સરળતા અને વાચકોના મનમાં ઉઠનારા પ્રશ્નોને ધ્યાનમાં લેવાની સૂક્ષ્મમેધાના જ દર્શન કરવા યોગ્ય છે. અસ્તુ.
= ૧૩૪