________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. છે. બીજા બધાંય કારણો હોવા છતાંય અમુક એકાદ કારણ ન હોવા પર પણ જો કાર્ય થઈ જતું હોય તો તે એકાદ વસ્તુ કારણ જ ન કહેવાય. કારણ તો તે જ કહેવાય કે જેના વિના કાર્ય ન જ થાય - જેના વિના કાર્ય વિલંબાય - તે ખરું કારણ કહેવાય. ગર્દભ ન હોય તો પણ ઘડો બની જાય છે - એટલે ઘડા પ્રત્યે ગર્દભને કારણ ન કહેવાય. પણ કુંભાર કે માટી ન હોય તો ક્યારેય ઘડો બનતો નથી, માટે ઘડારૂપી કાર્ય પ્રત્યે કુંભાર કે માટી ખરા કારણ કહેવાય. તે જ પ્રમાણે લાકડા વગેરે બળતણ – ઈંધણમાં અગ્નિ હોય તો જ ધૂમાડો થાય છે – અને અગ્નિ ન હોય તો કદાપિ ધૂમાડો થતો નથી, માટે અગ્નિ એ ધૂમનું કારણ ગણાય.
આ ઉપરોક્ત હકીકતથી એમ નક્કી થાય છે કે, જ્યારે વસ્તુની ઉત્પત્તિનો અથવા તો કાર્યકારણભાવનો વિચાર કરાય ત્યારે “જ્યાં જ્યાં (અન્ય તમામ કારણો સહિત) અમુક કારણ હોય
ત્યાં ત્યાં કાર્ય હોય” અને “જ્યાં જ્યાં તેવા કારણનો અભાવ ત્યાં ત્યાં કાર્યનો અભાવ હોય” એ પ્રમાણે નિયમ બને છે. અગ્નિ એ ધૂમાડાનું કારણ છે. ધૂમાડો એ અગ્નિનું કાર્ય છે. માટે અહીં આ પ્રમાણે નિયમ થાય કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ હોય અને જ્યાં જ્યાં અગ્નિ ન હોય - અગ્નિનો અભાવ હોય, ત્યાં ત્યાં ધૂમ ન હોય - ધૂમનો અભાવ હોય.
પણ જ્યારે વસ્તુની ઉત્પત્તિનો વિષય ન હોય પણ (અપ્રત્યક્ષ) વસ્તુની જ્ઞપ્તિનો = જ્ઞાન કરવાનો અથવા કરાવવાનો વિષય હોય ત્યારે પૂર્વોક્ત નિયમ સાક્ષાત ઉપયોગી થતો નથી, પણ હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્ય - વ્યાપક ભાવ અર્થાત, વ્યાપ્તિરૂપી નિયમ જ આવશ્યક બની જાય છે. પૂર્વે કિાર્ય - કારણભાવરૂપ સંબંધનો વિચાર કરતાં હતાં ત્યારે હેતુ (કારણ) તરીકે અગ્નિ આવતો હતો. અને કાર્ય = સાધ્ય તરીકે ધૂમ આવતો હતો. પણ હવે જ્યારે જ્ઞપ્તિ (= અનુમાન જ્ઞાન *) કરવાનો વિચાર કરીએ છીએ ત્યારે હેતુ વ્યાપ્ય) તરીકે ધૂમાડો – ધૂમ આવશે અગ્નિ નહીં અને સાધ્ય (વ્યાપક) તરીકે અગ્નિ આવશે, ધૂમ નહીં. આ પ્રમાણે ધૂમરૂપી કાર્ય કરનાર હોવાથી અગ્નિને કરકહેતુ કહેવાય છે. અને અગ્નિનું જ્ઞાન કરાવનાર હોવાથી ધૂમને જ્ઞાપકહેતુ કહેવાય છે.
““કારણ વિના કાર્ય ન થાય” આવો જગતનો નિયમ હોવાથી જ, ધૂમ વગેરે કાર્યના દર્શનથી અગ્નિ વગેરે કારણનું અનુમાન કરવા માણસ પ્રેરાય છે. અર્થાત પ્રત્યક્ષ દેખાતાં ધૂમાદિ કાય જો અગ્નિ વગેરે કારણો વિના પણ સંભવતા હોય તો “કારણ વિના કાર્ય ન થાય' એ જગતનો સર્વસંમત નિયમ ખોટો પડી જાય. વળી અગ્નિ અને ધૂમ વચ્ચે કાર્ય - કારણભાવ પણ નિશ્ચિત છે. માટે આવા નિયમના બળથી કાર્ય - ધૂમાદિના દર્શનથી કારણ અગ્નિ વગેરેનું અનુમાન – જ્ઞાન થઈ શકે છે. જો પર્વત પાછળ અગ્નિરૂપ કારણ હોય તો જ – અગ્નિ વિના પેદા નહીં થઈ શકતો દેખાતો એવો - ધૂમ હોવો ઘટે છે - તે વિના ઘટતો નથી. આ પ્રમાણે અગ્નિ વિના અઘટમાન - અસંગત બની જતો પ્રત્યક્ષ દેખાતો એવો ધૂમાડો એ અપ્રત્યક્ષ એવા પણ અગ્નિનું જ્ઞાન કરાવી આપે છે. માટે ધૂમને જ્ઞાપક હેતુ કહેવાય છે. અહીં ધ્યાનમાં રાખવું કે અગ્નિ - વગેરે સાધ્યનું જ્ઞાન ધૂમ વગેરે હેતુથી થાય છે. પણ ધૂમાદિ હેતુનું જ્ઞાન તો પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણથી પહેલેથી નિશ્ચિતપણે થયેલું જ હોય છે. આથી અહીં આવો નિયમ થશે - જ્યાં જ્યાં ધૂમાદિ હેતુ હોય ત્યાં ત્યાં અગ્નિ વગેરે સાધ્ય હોય. આને અન્વય (હકારાત્મક) વ્યાપ્તિ કહેવાય છે. અને બીજો નિયમ - જ્યાં જ્યાં અગ્નિ ન હોય, ત્યાં ત્યાં ધૂમ પણ ન જ હોય.
* અનુમાનથી થતાં જ્ઞાનને નૈયાયિકો અનુમિતિ' કહે છે. પણ વ્યવહારમાં અનુમિતિને જ અનુમાન' એમ પણ કહેવાતું હોય છે, માટે અહીં પણ સરળતા માટે અનુમિતિને બદલે “અનુમાન' એમ કહેલું છે.
= ૧૨૬