________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જરૂર નથી. આ ન્યાય નિત્ય હોય તો પણ જ્ઞા રૂપના સાહચર્યથી રા એવા રૂપનું જ ગ્રહણ સંભવે છે. માટે આ ન્યાય અનિત્ય હોવાથી રા સંજ્ઞાને બદલે રા રૂપનું ગ્રહણ કર્યું, એમ કહેવું ઉચિત નથી.
સમાધાન :- એવું નથી, જે શબ્દ સંજ્ઞા એવો અંશ અનિત્ય ન હોત, નિત્ય જ હોત તો સાહચર્યથી શું સરે? અથાત, કંઈ ન સરે. માટે જ આપવામાહા (૪-૩-૯૬) સૂત્રમાં , પા. વગેરે રૂપોનું સાહચર્ય હોવા છતાં ય “રા' એમ સંજ્ઞાનું જ ગ્રહણ કરાય છે, તો એવા રૂપનું નહીં. પરંતુ અહીં પ્રજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં “રા ' એ ન્યાયાંશ અનિત્ય હોવાથી તેની દુબળતાને વિચારીને સૂરિજીએ રૂપના સાહચર્યથી રા રૂપના પ્રહણ રૂપ સ્વ - ઈષ્ટ કાર્યને પરાણે (બળાત્કારે) સ્થાપિત (સિદ્ધ) કરેલું જણાય છે. આથી જેમ, પર્વતોડયે
- આ પર્વત વદ્વિવાળો = અગ્નિવાળો છે. કારણ કે તે ઘૂમવાળો B છે. એવા અનુમાન - પ્રયોગમાં વદ્ધિ વિના ધૂમ રહી શકતો ન હોવાથી (દ્વિને અવિનાભાવી = વ્યાપ્ય હોવાથી) ધૂમનું દર્શન જેમ પર્વત પાછળ રહેલાં વતિને જણાવે છે, તેમ આ ન્યાયની અનિત્યતા વિના “જ્ઞJ' (૫-૧-૭૯) સૂત્રની ટીકામાં રા રૂપના ગ્રહણની ઉક્તિ સંભવિત ન હોવાથી તે રા રૂપના ગ્રહણની ઉક્તિ આ ન્યાયાંશની અનિત્યતાને જણાવે છે.
(કહેવાનો આશય એ છે કે, જો આ “શબ્દસંજ્ઞા' ન્યાયાંશની બળવત્તા હોત તો સાહચર્ય પણ કશું કરી શકે નહિ. આથી પહેલાં આ ન્યાયની અનિત્યતા માનવી જોઈએ. આમ આ ન્યાયને અનિત્ય માનવા દ્વારા તેની નિર્બળતા થવાથી જ સાહચર્યનાં બળનું ઉદ્દભાવન કરવા દ્વારા આચાર્ય ભગવંત પોતાને ઈષ્ટ કાર્યની સિદ્ધિ કરી શક્યા. આમ જ્ઞા રૂપના સાહચર્યથી તો એવા રૂપનાં ગ્રહણનું વિધાન પણ આ ન્યાયને અનિત્ય સ્વીકારવા દ્વારા જ સાર્થક થઈ શકતું હોયને તે આ ન્યાયની અનિત્યતા જણાવે છે, એમ સ્વપજ્ઞ ન્યાસકારનો આશય છે.) (૧૧).
પિરામર્શ ]
A. કેટલાંક વિદ્વાનો આ ન્યાયનું અને તેને પ્રથમરૂપે મુકવાનું પ્રયોજન આ પ્રમાણે બતાવે છે. શબ્દાનુશાસન (વ્યાકરણશાસ્ત્ર) માં શબ્દો વડે જ તમામ વ્યવહાર થવાથી અર્થાત્ શબ્દોનો જ પ્રધાનતયા વ્યવહાર થવાથી, આવા અર્થનો નિર્ણય કરાવતાં ન્યાયનું જ પહેલાં નિરૂપણ કરવું ઉચિત હોયને વં રૂi શબ્દસ્થ - ન્યાય પહેલાં કહેવાય છે. આ ન્યાયનું પ્રયોજન આ પ્રમાણે છે. સામાન્યતઃ શબ્દવડે અર્થનો જ બોધ કરાવાય છે. એટલેકે તે તે અર્થનો બોધ (પ્રતીતિ) કરાવવા માટે જ તે તે અર્થવાચક શબ્દોનો પ્રયોગ કરાય છે. આવી સ્થિતિમાં “શબ્દ અંગેના વ્યાકરણશાસ્ત્રવડે કહેલાં કાર્યોનો (શબ્દવડે શબ્દાર્થ લેવામાં) શબ્દના અર્થને વિષે બાધ થવાથી વ્યાકરણ - શાસ્ત્રમાં શબ્દના ગ્રહણથી તે તે શબ્દનો જ - તે. શબ્દના સ્વરૂપનો જ બોધ થાય છે,” એ પ્રમાણે આ પ્રથમ ન્યાયવડે નિશ્ચય કરાય છે.
કહેવાનો ભાવ એ છે કે, શબ્દાનુશાસનમાં શબ્દો અંગે (શબ્દ નિર્દેશપૂર્વક) કહેલાં કાર્યો શબ્દમાં જ થવા ઘટે છે, તે શબ્દના અર્થમાં નહિ. દા. ત. ગુન: I એવા રૂપમાં જન્ શબ્દના સ્વરૂપમાં વ્યાકરણ - સૂત્રથી વે કારનો દ્વિતીયા બહુવચન વગેરે સ્વરાદિ સ્વાદિવિભકિત – પ્રત્યય પર છતાં ૩ આદેશ થાય છે. આ કાર્ય શબ્દમાં જ થાય છે. આથી અન્ + કમ્ = ગુન: I રૂપ થાય છે. પણ વ દેશરૂપ કાર્ય અર્થમાં ન જ સંભવે. કારણ કે શ્વા શબ્દનો અર્થ જે કતરો. તેમાં ૩ કાર જ કયાં છે
૧૨૪