SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રૌપદીવ વર રૂપકમાં દ્રૌપદીને મેળવવાની ઇચ્છાથી સ જન્મે છે. કૌરવપક્ષી તેજસ્વી પુરુષો એને મેળવવાની ઇચ્છાથી જ લક્ષ્યવેધના ઉપક્રમ કરે છે પણ શ્રીકૃષ્ણની માયાથી -તપ્રભ બને છે એટલે દિવ્ય સ્ત્રી માટેના એ સ`ગ્રામ બની રહે છે. અજુ ને બ્રાહ્મણ વેશમાં રહીને લક્ષ્યવેધ કર્યાં હાઈ એને બ્રાહ્મણ જ માનતા રાજાએ ‘કાપ ટિક દ્રૌરદીને પરણી શકે નહિ' એવા વાંધા ઉઠાવી લડવા તત્પર થાય છે અને દ્રૌપદીને સ્વયંવર કરવાની ફરજ પડે છે. શ્રીકૃષ્ણ કુનેહપૂર્ણાંક એ શરત સ્વીકારી સ`ભાવિત યુદ્ધને ટાળી દે છે. આમ કોઈ બહાને યુદ્ધના અભાવ બતાવવા એ શરત પળાય છે. ૩૦ આ ઈહામૃગમાં માત્ર ત્રણ જ સધિ છે. પ્રારંભની શ્રીકૃષ્ણની ઉક્તિમાં અને ભીમ દ્વારા કરાવેલી શરયાચના અને શ્રીકૃષ્ણે અર્જુનના વિજય માટે કરેલા સધન પ્રયાસામાં અનુક્રમે મુખ અને પ્રતિમુખ સધિ છે. જ્યારે ખીન્ન અંકના સ્વયંવરવિધિમાં નિહષ્ણુ સંધિ છે જ્યારે ગભ અને અવમશ` સંધિ એમાં આવતી નથી તેથી હામૃગમાં ત્રણ જ સંધિ હોય એ શરત પણ અહીં પળાઈ છે. કદાચ આ શરત પાળવા જ નાટકકારે કથાવસ્તુને બિલકુલ પ્રસ્તાર કર્યો નથી. દ્રૌપદીસ્વયંવર'ના નાયક અજુન મહાભારતનું પ્રસિદ્ધ પાત્ર છે. તે ધીરાદ્ધત છે અને લક્ષ્યવેધ સમયની એની ઉક્તિ एतां न पाटयाम्यद्य यदि राधां वृकोदर ! | इतः प्रभृति नो चाप करिष्यामि करे ततः ॥ એના દીપ્તસ્વભાવ પ્રગટ કરે છે. અર્જુનતે સામાન્યતયા દ્વિવ્યનાયક ન કહી શકાય પણ અજુ નને અહીં શ્રીકૃષ્ણની દિવ્યસહાય મળ્યા કરે છે તેથી એને ‘થ્યિપુરુષ અવતઃ’ કહી શકાય. વળી અર્જુન ન્દ્રના પુત્ર છે તેમજ અર્જુન અને શ્રીકૃષ્ણ અને નરનારાયણુના અવતાર છે. એ હકીકત પ્રસિદ્ધ છે એટલે એને દ્વિવ્ય માનવ માનવામાં વાંધો નથી. અજુ ન ઉપરાંત ક, દુર્થાંધન, શિશુપાલ વગેરે તેજસ્વી પુરુષ પાત્રાનું પણ આ રૂપકમાં બાહુલ્ય છે એટલે પુરુષપાત્રોન! બાહુલ્યની અપેક્ષા પણ સંતાષાય છે. દ્રૌપદીસ્વયંવરને મુખ્ય રસ વીર્ છે. આ રૂપકની પ્રસ્તાવનામાં કવિ પે!તે એને ચીર ભુત પ્રધાનું નાટકન કહે છે. યાદ્દાના લક્ષ્યવેધના સંરભમાં વીરરસનુ સૂચન છે. જ્યારે કૃષ્ણને માયાપ્રયોગ અદ્ભુતરસથી યુક્ત છે. સ્વયંવર સભામાં
SR No.005715
Book TitleDropadi Swayamvaram
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Shantiprasad M Pandya
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy